________________
શ્રીકૃષ્ણની અંતિમ આરાધના
જરાકુમારે શ્રીકૃષ્ણનાં ચરણોમાંથી તીર ખેંચી લીધું, કૌસ્તુભ રત્ન લીધું અને ત્યાંથી ચાલી નીકળ્યો. જરાકુમારના ગયા બાદ શ્રીકૃષ્ણને તીરના આઘાતથી અત્યંત તીવ્ર પીડા શરૂ થઈ. તેઓ ઉત્તરાભિમુખ થઈને અંજલિ રચીને બોલ્યા :
અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંતોને મન, વચન અને કાયાથી મારા નમસ્કાર હો. વિશેષ રૂપે ભગવાન નેમિનાથને મારા નમસ્કાર છે કે જેમણે આ પૃથ્વી ઉપર ધર્મપ્રવર્તના કરી.’
આટલું બોલીને તેમણે તૃણનો સંથારો કર્યો અને સૂઈ ગયા. ઢીંચણ ઉપર ચરણ રાખીને પીળું વસ્ત્ર ઓઢી લીધું અને ચિંતન કરવા લાગ્યા. રુકિમણી વગેરે મારી રાણીઓને ધન્ય છે, શાંબ, પ્રદ્યુમ્ન વગેરે રાજકુમારોને ધન્ય છે કે જેમણે ગૃહવાસનો ત્યાગ કરીને પરમાત્માનાં ચરણોમાં ચારિત્રધર્મ અંગીકાર કર્યો. મને ધિકકાર છે કે હું આ દુઃખપૂર્ણ સંસારમાં પડ્યો રહ્યો.”
આ રીતે શુભ ભાવના ભાવતાં ભાવતાં શ્રીકૃષ્ણનું શરીર અંદરથી તૂટવા લાગ્યું. યમરાજના સહોદર જેવો વાયુ શરીરમાં પ્રકુપિત થયો. તીવ્ર તૃષા, અત્યધિક શોક અને પ્રકુપિત વાયુએ શ્રીકૃષ્ણના વિવેકને સર્વથા નષ્ટ કરી દીધો. એમનું મન અંતિમ ક્ષણોમાં રૌદ્રધ્યાનમાં ચાલ્યું ગયું. “એ દ્વૈપાયને મારો ઘોર અપરાધ કર્યો, તો પણ અત્યારે તે અહીં આવે તો ક્ષણ માત્રમાં એને મારી નાખું...” રૌદ્રધ્યાનમાં એમનું મૃત્યુ થયું. એક હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ થયું. મરીને તેઓ ત્રીજી નરકમાં ચાલ્યા ગયા. ઉપાધ્યાયજી સકલચંદ્રજીની સઝાય યાદ આવે છે?
હય ગય પથ રથ જોડે વીંટ્યા રહે નિત રાણા રાય રે... બહુ ઉપાય તે જીવન કાજે કરતા અશરણ જાય રે.
કો નવિ શરણે કો નવિ શરણે મરતા કુણને પ્રાણી રે. શ્રીકૃષ્ણનું ક્યાં અને કેવું મૃત્યુ થયું? એક અતિ ઘોર અને ભયંકર જંગલમાં તેમનું મૃત્યુ થયું. પાસે કોઈ જ નહીં. બલરામ પણ નહીં. કેવી અશરણતા ? અશરણતાનો આનાથી આગળ વધીને બીજો કયો દાખલો મળી શકે આ દુનિયામાં? જિનધર્મ જ શરણ : ચારિત્રધર્મ જ શરણ : ગ્રંથકાર ઉપાધ્યાય વિનયવિજયજી કહે છેઃ
स्वजनजनो बहुधा हितकामं प्रीतिरसैरभिरामम् ।। : અશરણ ભાવના છે.
૧૪૭ |
૧૪૭