________________
કોઈએ પણ પોતાનો પરિચય આપ્યા સિવાય મારા ઉપર પ્રહાર કર્યો નથી. એટલા માટે જેણે તીર માર્યું હો તે પોતાનું નામ અને ગોત્ર કહે.”
આ વાત વૃક્ષઘટામાં રહેલો જરાકુમાર સાંભળે છે. જો કે તેને તેની ભૂલનો ખ્યાલ આવ્યો. “મેં મૃગ સમજીને તીર માર્યું પરંતુ આ તો મનુષ્ય છે.” કૃષ્ણનો પ્રશ્ન સાંભળીને તે બોલ્યોઃ 'હું હરિવંશીય વસુદેવનો પુત્ર છું. જરાદેવી મારી માતા છે. મારું નામ જરાકુમાર છે. હું શ્રીકૃષ્ણનો અગ્રજ છું. ભગવાન નેમિનાથનાં વચન સાંભળીને હું આ વનમાં બાર વર્ષથી રહું છું. મારા હાથોથી શ્રીકૃષ્ણનું મૃત્યુ ન થાય એ ભાવનાથી અહીં રહું છું. બાર વર્ષોમાં મેં આ વનમાં એક પણ મનુષ્યને જોયો નથી. આપ કોણ છો?
કૃષ્ણ બોલ્યા હે બંધુ, તું અહીં આવી જા. હું જ તારો અનુજ કૃષ્ણ છું. જેને માટે તું વનવાસી બન્યો છે. તારો બાર વર્ષનો વનવાસ નિરર્થક સિદ્ધ થયો. આ સાંભળીને જરાકુમાર શ્રીકૃષ્ણની પાસે આવ્યો. કૃષ્ણને જોતાં જ તે મૂચ્છિત થઈ ગયો. મૂચ્છ દૂર થતાં જરાકુમાર કરુણ રુદન કરવા લાગ્યો. *
તે બોલ્યોઃ “મારા પ્રાણપ્રિય ભ્રાતા. આ શું થઈ ગયું? આપ અહીં કેવી રીતે આવી ગયા? શું દ્વારિકા સળગી ગઈ? શું યાદવોનો વિનાશ થઈ ગયો? આપની આ સ્થિતિ જોતાં મને લાગે છે કે ભગવાન નેમિનાથનાં વચનો સિદ્ધ થયાં છે.' શ્રીકૃષ્ણ આખો વૃત્તાંત કહી સંભળાવ્યો. જરાકુમાર રોતાં રોતાં બોલ્યો, ‘મારા ભાઈ, મેં શત્રુ જેવું કામ કર્યું છે. મૃગ સમજીને મેં તીર ચલાવ્યું. આપ જેવા ભ્રાતૃવત્સલ, વિશ્વવત્સલ મહાપુરુષને મેં માય, મને નર્કમાં પણ જગા નહીં મળે. આપની રક્ષાની ભાવનાથી મેં વનવાસ સ્વીકાર્યો પરંતુ હું જાણતો નહતો કે વિધિએ મને જ આપના ક્રૂર મૃત્યુ માટે નિમિત્ત બનાવ્યો છે. હે પૃથ્વી, તું મને જગા આપ. હું આ શરીરથી નરકમાં ચાલ્યો જાઉં, કારણ કે મારે માટે ભ્રાતૃહત્યાનું દુઃખ તમામ દુઃખો કરતાં વિશેષ છે. હવે મને અહીં તો નરક કરતાં પણ વધારે દુઃખ લાગે છે. જે સમયે ભગવાન નેમિનાથ ભવિષ્યવાણી કરી હતી એ સમયે મારે આત્મહત્યા કરી લેવાની જરૂર હતી.”
શ્રીકૃષ્ણ જરકુમારને સાત્ત્વના આપતાં કહ્યું કે મારા મોટાભાઈ, હવે શોક ન કરો. મારાથી, તમારાથી કે અન્ય કોઈથી ય ભવિતવ્યતાનું ઉલ્લંઘન થઈ શકતું નથી. યાદવકુળમાં માત્ર આપ જ બચ્યા છો. તમે ચિરકાળ જીવો એટલા માટે એક ક્ષણનોય વિલંબ કર્યા સિવાય અહીંથી ચાલ્યા જાઓ. કારણ કે બલરામ હમણાં જ પાણી લઈને આવશે, તે ક્રોધથી તમને મારી નાખશે. લો, આ મારો કૌસ્તુભ મણિ, પાંડવોની પાસે ચાલ્યા જાઓ. તેમને સત્ય હકીકત કદી દેજો. મારા તરફથી પાંડવોને ખમાવજો.
૧૪૬
શાન્ત સુધારસ : ભાગ ૧