SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ પણ હાય નથી. બાળપણથી આજ સુધી તે કદીય નિરાશ થયા નથી. તે બીજા જીવોને સહાયક બન્યા હતા, આજે પોતે જ અસહાય બન્યા છે. જેમના પ્રત્યે તેમને અત્યંત સ્નેહ હતો, પ્રેમ-લાગણી વગેરે હતાં, એવાં માતાપિતાને તે બચાવી ન શક્યા, તેમના દેખતાં જ માતાપિતા આગમાં બળીને ભસ્મીભૂત થઈ ગયાં. શ્રીકૃષ્ણને શિશુપાલની સભામાં જુઓ. શ્રીકૃષ્ણને યુદ્ધના મેદાનમાં અર્જુનના રથમાં જુઓ...પાંડવોની રાજસભામાં જુઓ. તેમની સ્મિતસભર મુખમુદ્રાને જુઓ.... તેમની આંગળી ઉપર ફરતા સુદર્શનચક્રને જુઓ... એમના વિરાટ સ્વરૂપને જુઓ અને આજ દીનહીન બની... નિરાશાથી ઘેરાયેલા શ્રીકૃષ્ણને જુઓ ! આજ એમનો પ્રભાવ, પ્રતાપ, શૌર્ય, સાહસ, બુદ્ધિ - કશું જ નથી બચ્યું. બંને ભાઈઓ ઉદ્યાનમાંથી ચાલી નીકળ્યા. મૈત્રત્ય દિશામાં પાંડવોની નગરી તરફ ચાલી નીકળ્યા. શ્રીકૃષ્ણનું મોતઃ બલરામની સાથે જંગલોમાંથી ચાલતાં ચાલતાં એ કૌશામ્બી નગરના બાહ્ય ઉદ્યાનમાં પહોંચ્યા. ગ્રીખ કાળ હતો. શ્રમ હતો, શોક હતો અને પુણ્યક્ષય હતો. શ્રીકૃષ્ણ અધિક તૃષાતુર થયા. તેમણે બલરામને કહ્યું "બંધુ, અતિતૃષાથી મારું મુખ સૂકાઈ ગયું છે. આ વૃક્ષઘટાવાળા વનમાં પણ હું એક ડગલું ય ચાલવા શક્તિમાન નથી.’ * બલરામે કહ્યું: ‘મારા ભાઈ, હું હમણાં જ પાણી લઈને આવું છું. તું આ વૃક્ષ નીચે વિશ્રામ કર. પરંતુ અપ્રમત્ત થઈને બેસજે. હું હાલ જ પાછો આવું છું.” બલરામ પાણી લેવા ગયા હતા, કૃષ્ણ અતિશ્રમિત થઈ ગયા હતા. તે એક પગ ઉપર બીજો પગ ચડાવીને પીળું વસ્ત્ર ઓઢીને વૃક્ષ નીચે સૂઈ ગયા- અલ્પ સમયમાં ઊંઘી ગયા. બલરામે જતાં જતાં પણ કૃષ્ણને એક પળ વાર માટે પણ અલ્પ પ્રમાદ ન કરવા કહ્યું હતું. એટલું જ નહીં, તેમણે વનદેવીઓને પ્રાર્થના કરી હતી - હે વનદેવીઓ, મારો આ અનુજ બંધુ આપને શરણે છે, એટલા માટે આ વિશ્વવત્સલ પુરુષની રક્ષા કરજો.’ પરંતુ ભવિતવ્યતાને કોણ મિથ્યા કરી શકે છે ? એ જંગલમાં બાર વર્ષથી જરાકુમાર રહેતો હતો. એણે વ્યાઘ્રચર્મ પહેર્યું હતું. હાથમાં ધનુષ્યબાણ હતાં. શિકારી બની ગયો હતો. ફરતો ફરતો એ પ્રદેશમાં આવ્યો કે જ્યાં શ્રીકૃષ્ણ સૂતા હતા. દૂરથી જરાકુમારે જોયું, કૃષ્ણ એ રીતે સૂતા હતા કે તેણે મૃગની કલ્પના કરી. મૃગ સમજીને તેણે તીર માર્યું. કુષ્ણના ચરણતલમાં તીર વાગ્યું. તીર વાગતાં જ કૃષ્ણ બેઠા થઈ ગયા અને બોલ્યા કે “કોણે તીર માર્યું? હું તો નિરપરાધી છું? આજ સુધી અશરણ ભાવના ૧૪૫
SR No.006044
Book TitleShant Sudharas Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1996
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy