SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ હતું. બલરામ અને કૃષ્ણ માતાપિતાને બચાવી લેવા કૃતનિશ્ચયી બન્યા હતા. તેમણે લાત મારીને નગરનો દરવાજો તોડી નાખ્યો. પરંતુ રથનાં પૈડાં જમીનમાં ફસાઈ ગયાં. બલરામ અને કૃષ્ણ ભારે પ્રયાસ કરવા લાગ્યા રથને બહાર કાઢવા માટે, પરંતુ નિરાશ થઈ ગયા. એ સમયે દ્વૈપાયન દેવે ત્યાં પ્રગટ થઈને કહ્યું : ‘હૈ બલરામ-કૃષ્ણ, તમને આ શું થઈ ગયું છે ? મેં તમને કહ્યું હતું કે દ્વારિકામાં માત્ર તમે બે ભાઈ જ બચશો. તમારા બે સિવાય કોઈ પણ આ અગ્નિથી બચી શકશે નહીં. કારણ કે મેં મારું તપ વેચી માર્યું છે. નિયાણું કરી દીધું છે.’ વસુદેવ-દેવકી-રોહિણીનું મૃત્યુ : દેવનાં વચન સાંભળીને દેવકી અને વસુદેવે કહ્યું ઃ ‘હવે તમે ચાલ્યા જાઓ. જો તમે બંને ભાઈ જીવિત હશો તો બધા યાદવો જીવિત છે. હવે અમને બચાવવા માટે વધારે પ્રયત્ન ન કરો. તમે ઘણો જ પ્રયત્ન કર્યો, પરંતુ ભવિતવ્યતા બળવતી અને અનુસંઘ્ય છે. અમે અભાગી છીએ. ભગવાન નેમિનાથની પાસે ચારિત્રધર્મ ન સ્વીકાર્યો - દીક્ષા ન લીધી. હવે અમારે અમારાં કર્મોનું ફળ ભોગવવું જ પડશે. તો પણ બલરામ અને કૃષ્ણ તો ત્યાં જ ઊભા રહ્યા. વસુદેવ, દેવકી અને રોહિણીએ આંખો બંધ કરી દીધી અને બોલ્યાં : ‘અમને જગદ્ગુરુ ભગવાન નેમિનાથનું શરણ છે. અમે અનશન કરીએ છીએ. ચારે પ્રકારના આહારોનો ત્યાગ કરીએ છીએ. હે પ્રભુ, અમે આપને શરણે છીએ. અરિહંત, સિદ્ધ, સાધુ અને અર્હતકથિત ધર્મનો સ્વીકાર કરીએ છીએ. અમે કોઈનાં નથી, અમારું કોઈ નથી.’ આ રીતે બોલીને શ્રી નવકાર મહામંત્રમાં લીન બન્યાં, આ સમયે દ્વૈપાયને તેમની ઉપર અગ્નિવર્ષા કરી – ત્રણેનું મૃત્યુ થયું અને ત્રણે જણાં દેવલોકમાં ઉત્પન્ન થયાં. શ્રીકૃષ્ણની ઘોર વ્યથા-વેદના : બલરામની સાથે શ્રીકૃષ્ણ દ્વારિકાની બહાર નીકળ્યા - બહારના જિર્ણોદ્યાનમાં ગયા. ત્યાં એક નાનકડી પહાડી હતી, તેના ઉપર ઊભા રહીને તેમણે બળતી દ્વારિકા જોઈ. શ્રીકૃષ્ણ વધારે સમય દ્વારિકાને જોઈ શક્યા નહીં. તેમણે બલરામને કહ્યું ઃ ભાઈ, હું નપુંસક જેવો બની ગયો છું... ધિક્કાર છે મને, અસહાય.... અશરણ બનીને મારી દ્વારિકાને બળતી જોઈ રહ્યો છું. આત્મબંધુ, જે રીતે હું નગરીની રક્ષા ક૨વા સમર્થ નથી, તેવી રીતે તેને હવે બળતી જોવા પણ શક્તિમાન નથી - ચાલો અહીંથી દૂર ચાલ્યા જઈએ. હવે આપણે ક્યાં જઈશું ?' થોડોક વિચાર કરો આ ઘટના ઉપર. પોતાની જાતને અસહાય, અશરણ અનુભવતા શ્રીકૃષ્ણના ભવ્ય ભૂતકાળ ઉપર એક દૃષ્ટિ તો નાખો. કદીય કૃષ્ણ ક્યાંય શાન્તસુધારસ : ભાગ ૧ ૧૪૪
SR No.006044
Book TitleShant Sudharas Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1996
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy