________________
प्रतापैप्पन्नं गलितमथ तेजोभिरुदितैर्गतं धैर्योद्योगैः श्लथितमथ पुष्टेन वपुषा । प्रवृत्तं तद्व्यग्रहणविषये बान्धवजनै
जने कीनाशेन प्रसभमुपनीते निजवशम् ॥३॥ ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી કહે છે જ્યારે મનુષ્ય યમરાજના બળાત્કારનો ભોગ બની જાય છે ત્યારે તેનો પ્રભાવ નષ્ટ થઈ જાય છે. તેનું ઉદિત તેજ નષ્ટ થઈ જાય છે. તેનાં પૈર્ય અને પુરુષાર્થ વિલીન થઈ જાય છે. પુષ્ટ શરીર શૈથિલ્ય અનુભવે છે અને એનાં સ્વજનો એનું ધન તેમજ વૈભવ પડાવી લેવા પ્રયત્નશીલ બને છે. મૃત્યુની સામે માનવ સર્વથા દીન બની જાય છે - આ છે મનુષ્યની ઘોર
અશરણતા !!
યાદવોથી ભરેલી દ્વારિકા બળી રહી છે .
દ્વૈપાયન, જો કે અગ્નિકુમાર દેવ બન્યો છે, તેણે શ્રીકૃષ્ણનું ચક્ર અને બલરામનું હળ પણ નષ્ટ કરી નાખ્યાં. તેણે સંવર્તક વાયુ પ્રવર્તિત કર્યો. એ વાયુથી ચારે દિશાઓમાંથી તૃણ, કાષ્ઠ વગેરે દ્વારિકામાં ભરાઈ ગયાં. લોકો જ્યારે ચારે દિશાઓમાં ભાગવા લાગ્યાં ત્યારે અગ્નિકુમાર એમને પકડીને દ્વારિકામાં લાવતો. દિશા, વિદિશાઓમાંથી વૃક્ષો લાવીને દ્વારિકામાં નાખતો અને તેણે બધા જ યાદવોને દ્વારિકામાં બંધ કરી દીધા - પછી દ્વૈપાયને આગ લગાડી. સમગ્ર દ્વારિકા સળગવા લાગી. અગનજ્વાળાઓ આકાશને સ્પર્શવા લાગી. કૃષ્ણ અને બલરામનો પ્રતાપ નષ્ટ થઈ ગયો હતો. ધૈર્ય અને પુરુષાર્થ વિલીન થઈ ગયાં હતાં. તે અશરણ - અસહાય બનીને સળગતી દ્વારિકાને જોઈ રહ્યા હતા. માતાપિતાને બચાવવાના પ્રયત્ન
શ્રીકૃષ્ણ અને બલરામે વસુદેવ, દેવકી અને રોહિણીને આગમાંથી બચાવવા માટે રથમાં બેસાડ્યા, પરંતુ દ્વૈપાયન દેવે રથના અશ્વોને ખંભિત કરી દીધા. અશ્વો એક ડગલું પણ આગળ ચાલી ન શક્યા. શ્રીકૃષ્ણે રથની આગળ બળવાન વૃષભોને જોતય,બળદો પણ ખંભિત થઈ ગયા. શ્રીકૃષ્ણ આ બળદોને પણ રથમાંથી મુક્ત કરી દીધા અને એ બંને ભાઈ રથને ખેંચવા લાગ્યા. ત્યાં રથની ધુરા તૂટી ગઈ. તો પણ મહામુશ્કેલીએ તેઓ રથને નગરની બહાર દરવાજા સુધી લાવ્યા. એ સમયે નગરના દરવાજા બંધ થઈ ગયા. માતાપિતા ચિત્કાર કરવા લાગ્યાં, “હે રામ, હે કૃષ્ણ, અમારી રક્ષા કરો, અમને બચાવી લો. દ્વારિકા સળગી રહી હતી. કરોડો યાદવો બળી રહ્યા હતા. ઘોર ચિત્કાર સંભળાતો હતો. પ્રલયનું દ્રશ્ય રચાઈ ગયું
અશરણ ભાવના
૧૪૩