________________
ઉત્સર્પિણી કાળમાં મનુષ્યજન્મ પામશે - રાજા બનશે, અને એ સમયે તું તીર્થંકર બનીશ, તારા તીર્થમાં જ તે દીક્ષા લેશે અને મુક્તિ પામશે.”
ભગવાને જે ભવિષ્યકથન કર્યું એનાથી કૃષ્ણને સંતોષ થયો. તેમણે ભગવંતને વંદના કરી, તે નગરમાં પધાર્યા. પુનઃ તેમણે નગરમાં ઘોષણા કરાવી અને લોકોને ધર્મઆરાધનામાં વિશેષ પ્રવૃત્ત કર્યા. વૈપાયન કરીને અગ્નિકુમાર દેવ બન્યા?
દ્વૈપાયન તાપસ ઉગ્ર તપશ્ચર્યા કરવા લાગ્યો હતો. તેનું મૃત્યુ થયું અને તે અગ્નિકુમાર નિકાયમાં દેવ બન્યો. પૂર્વભવમાં દ્રઢ કરેલી વેરભાવના જાગૃત થઈ અને તે દ્વારિકામાં આવ્યો. તેણે જોયું તો દ્વારિકાનાં નગરજનો વિશેષ રૂપે તપશ્ચર્યા કરી રહ્યાં હતાં અને પરમાત્માની ભક્તિ કરતાં હતાં. ધર્મના પ્રભાવથી એ નગરમાં કિંઈ પણ ઉપદ્રવ ન કરી શક્યો. મનમાં રોષ તો ભરેલો હતો. વેરની અગ્નિજ્વાળા પ્રજ્વલિત હતી. એ અગિયાર વર્ષ સુધી દ્વારિકામાં રહ્યો. રાહ જોતો રહ્યો કે ક્યારે નગરજનો પ્રમાદી. બને અને ધર્મઆરાધના છોડીને પાપાચરણ કરવા લાગે!
જ્યારે બારમું વર્ષ આવ્યું ત્યારે લોકોએ વિચાર કર્યો કે આપણા સપના પ્રભાવથી દ્વૈપાયન પોતાની પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થઈને ભાગી ગયો લાગે છે. નગર બળ્યું નહીં અને આપણે જીવતાં રહ્યાં... હવે ચિંતાની વાત નથી.' આવું વિચારીને લોકો મદિરાપાન કરવા લાગ્યા, અભક્ષ્ય ખાવા લાગ્યા અને સ્વચ્છંદ બનીને પાપાચાર કરવા લાગ્યા.
દ્વૈપાયન તો (અગ્નિકુમાર દેવ) જોઈ જ રહ્યો હતો. એને અવસર મળી ગયો. તે નાચવા લાગ્યો. તેણે તત્કાલ કલ્પાંતકાય જેવો ઉત્પાત દ્વારિકામાં ઉત્પન્ન કર્યો. લોકોને યમરાજ જેવું તાંડવનૃત્ય દેખાડ્યું. આકાશમાં ઉલ્કાપાત થવા લાગ્યો. પૃથ્વી કંપવા લાગી. ગ્રહોમાંથી ધુમાડો છૂટવા લાગ્યો. અંગારવૃષ્ટિ થવા લાગી. સૂર્યમંડળમાં છિદ્ર દેખાવા લાગ્યું. સૂર્ય અને ચંદ્રના ગ્રહણ થવા લાગ્યાં. મહેલોમાં લગાડેલી પાષાણની પૂતળીઓ અટ્ટહાસ્ય કરવા લાગી, ચિત્રોમાં અંકિત દેવો હસવા લાગ્યા. નગરમાં વાઘ-સિંહ જેવાં હિંસક પશુઓ ફરવા લાગ્યાં - બલરામનું ‘હળ'નામનું અને શ્રીકૃષ્ણનું ચક્ર' નામનું આયુધ નષ્ટ થયાં.
અને દ્વૈપાયને (અગ્નિકુમારે) દ્વારિકા નગરીને આગ લગાડી દીધી. વિશેષ વાતો આગળ ઉપર કરીશ.
આજે બસ, આટલું જ.
[ અશરણ ભાવના |
૧૪૧]