SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ બલરામ શ્રીકૃષ્ણનો હાથ પકડીને ઊભા થયા. બંને ભાઈ નિરાશ થઈને પાછા ફર્યા. બીજે દિવસે શ્રીકૃષ્ણ દ્વારિકામાં ઘોષણા કરાવી તમામ નાગરિકો ધર્મમાં વિશેષરૂપે તત્પર રહે.” દ્વારિકામાં તમામ લોકોને ઋષિના નિયાણાની વાતનો ખ્યાલ આવી ગયો, એટલે તો નગરમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. લોકોએ તપશ્ચય અને દાન-શીલની આરાધના સાચા ભાવથી શરૂ કરી દીધી હતી. ભગવાન નેમિનાથ ગિરનાર ઉપર : એ સમયે ભગવાન નેમિનાથ ગિરનાર ઉપર પધાર્યા. ત્યાં દેવોએ સમવસરણની રચના કરી. શ્રીકૃષ્ણ સપરિવાર પ્રભુની દેશના સાંભળવા સમવસરણમાં ગયા. દેશના સાંભળીને સર્વ શ્રોતાઓ મોહનિદ્રા ત્યજીને જાગ્રત થઈ ગયા અને યાદવકુમાર, શાંબ, પ્રદ્યુમ્ન, નિષધ, ઉલ્શક, સારણ વગેરેએ વિરક્ત બનીને પ્રભુની પાસે ચારિત્રધર્મ સ્વીકાર્યો. તેઓ શ્રમણ સાધુ બની ગયા. આમ તો તેમના મનમાં દ્વૈપાયનને માયનો પશ્ચાત્તાપ પણ હતો. એ રાજકુમારોને કારણે જસૈપાયને દ્વારિકાદહનનું નિયાણું કર્યું હતું ને? છે કે શ્રીકૃષ્ણ રાજકુમારોને કશું જ કહ્યું ન હતું, પરંતુ ભગવાન નેમિનાથના ઉપદેશે એમના આત્માને જાગૃત કરી દીધો અને તે સાધુ બની ગયા. એમની સાથે સાથે તેમની રાણીઓ રુક્મિણી, જાંબવતી વગેરેએ પ્રભુની પાસે દીક્ષા લીધી. શ્રીકૃષ્ણ પ્રભુને પૂછ્યું: “ભગવંત, દ્વૈપાયન દ્વારકાનું દહન ક્યારે કરશે?” ભગવંતે કહ્યું “કૃષ્ણ, દ્વૈપાયન આજથી બાર વર્ષ પછી દ્વારિકાને બાળી મૂકશે.” આ સાંભળીને કૃષ્ણ વિચારમાં પડી ગયાં કે “સમુદ્રવિજય વગેરે ધન્ય છે કે જેમણે પહેલાંથી જ ચારિત્રધર્મ સ્વીકારી લીધો. હું જ ધિકકારપાત્ર છું કે હું રાજસુખોથી લુબ્ધ થઈને સંસારમાં પડ્યો રહ્યો છું.' સર્વજ્ઞ ભગવંતે કૃષ્ણને કહ્યું: “કૃષ્ણ, વાસુદેવ કદી ચારિત્રધર્મ લઈ જ ન શકે. કારણ કે જે વાસુદેવ બને છે તે નિયાણાથી જ બને છે. એટલું જ નહીં, વાસુદેવ અધોગામી - નરકગામી હોય છે. હે કૃષ્ણ, તું મરીને મરણ બાદ ત્રીજી વાલુકાપ્રભા નામની નરકમાં જઈશ.' આ સાંભળીને કૃષ્ણ અત્યંત દુઃખી થઈ ગયા. તેમના મુખ ઉપર અત્યંત ગ્લાનિ છવાઈ ગઈ, ત્યારે ભગવાને કહ્યું હે વાસુદેવ, તું દુઃખી ન થા. તું નરકનું આયુષ્ય પૂર્ણ કરીને આ ભરતક્ષેત્રમાં જન્મ લઈશ અને તીર્થકર બનીશ.' ત્યારે કૃષ્ણ પૂછ્યું: “ભગવંત, મારા ભાઈ બલરામની મુક્તિ ક્યારે થશે? કૃષ્ણ, મૃત્યુ પછી બલરામ બ્રહ્મલોકમાં દેવ બનશે. દેવનું આયુષ્ય પૂર્ણ થતાં તે મનુષ્યજન્મ પામશે. પછી ફરી દેવ બનશે ત્યાં આયુષ્ય પૂર્ણ થતાં આ ભરતક્ષેત્રમાં ૧૪૦ શાન્ત સુધારસ : ભાગ ૧
SR No.006044
Book TitleShant Sudharas Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1996
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy