SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ મોહબ્ધ છે. આપ તો તપસ્વી છો, જ્ઞાની છો, આપ એમને ક્ષમા કરો. આપ ક્રોધ શાન્ત કરો.... સમતા ધારણ કરો.” આ રીતે શ્રીકૃષ્ણે ખૂબ પ્રાર્થના કરી. દ્વૈપાયને કહ્યું: “કૃષ્ણ, તું મને ઉપદેશ ન આપ. જ્યારે તારા પુત્રોએ મને માર્યો, મૃતપ્રાયઃ કરી દીધો એ સમયે મેં દ્વારિકાને, સર્વ યાદવો સાથે સળગાવી દેવાનો સંકલ્પ કર્યો છે. તમને બંનેને દ્વારિકા બહાર જવા દઈશ. હવે મને સમજાવવાની આવશ્યકતા નથી. મેં નિયાણું બાંધી લીધું છે.' નિયાણું શું છે? ‘નિયાણા'નો અર્થ જાણો છો? નથી જાણતા, નિયાણું અતિ ઉત્કૃષ્ટ તપસ્વી જ કરી શકે છે, બીજો કોઈ નહીં. મોટા તપસ્વી લોકો કોઈક લાલચથી યા રોષથી પોતાની તપશ્ચર્યાનો સોદો કરી બેસે છે. તેઓ સંકલ્પ કરી દે છે કે - “મારી તપશ્ચયના ફળસ્વરૂપે મને આવી સિદ્ધિ પ્રાપ્ત થાય.” જેમ કે દ્વૈપાયન મુનિએ નિયાણું કર્યું કે “મારી તપશ્ચયને કારણે તેના ફળરૂપે હું દ્વારકાને તમામ યાદવોની સાથે સળગાવી દઉં. એવી શક્તિ મને પ્રાપ્ત થાઓ.' * ‘સમરાદિત્યચરિત્રમાં અગ્નિશમાં નામના તાપસે નિયાણું કર્યું હતું કે • પ્રતિજન્મ હું ગુણસેન રાજાને મારનારો બનું.' * જ્યારે સાધ્વી હતી ત્યારે પૂર્વજન્મમાં દ્રોપદીએ નિયાણું બાંધ્યું હતું. તેણે પાંચ પતિ પ્રાપ્ત કરવાનું નિયાણું કર્યું હતું. એટલા માટે તો તે પાંચ પાંડવોની પત્ની બની હતી. * બ્રહ્મદત્ત ચક્રવર્તીએ, જ્યારે પૂર્વજન્મમાં સાધુ હતો, ત્યારે તેણે ચક્રવર્તીનું સ્ત્રીરત્ન પ્રાપ્ત કરવાનું નિયાણું કર્યું હતું. ઘોર અને ઉગ્ર તપશ્ચયથી તપસ્વી જે ચાહે તે કરી શકે, એને મેળવી શકે છે. પરંતુ એની એ તપશ્ચર્યા કર્મક્ષય કરાવતી નથી અને મોક્ષ પ્રાપ્તિ પણ કરવા દેતી નથી. એ તપસ્વી સંસારમાં ભટકાઈ જાય છે. શ્રીકૃષ્ણની દ્વારિકામાં ઘોષણા : જ્યારે દ્વૈપાયને નિયાણાની વાત કરી ત્યારે બલરામ રોષાયમાન થઈ ગયા. તેમણે શ્રીકૃષ્ણને કહ્યું: “હે બંધુ. હવે આ સંન્યાસીને મનાવવો. સમજાવવો વ્યર્થ છે. જેનાં મુખ, ચરણ, નાસિકા અને હાથ વાંકા હોય છે, જેના હોઠ, દાંત અને નાસિકા સ્થળ હોય છે, જેની ઈન્દ્રિયો વિલક્ષણ હોય છે અને જે લોકો હીન અંગવાળા હોય છે, તે કદી શાન્તિ પામતા નથી. તેમને વધારે શું કહેવું? ભાઈ, સર્વજ્ઞ ભગવંતનું વચન મિથ્યા થનારું હોતું નથી. જે થવાનું છે તે થશે જ.' અશરણ ભાવના ૧૩૯
SR No.006044
Book TitleShant Sudharas Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1996
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy