________________
આયુષ્ય પૂર્ણ થતાં ચક્રવર્તીનું મૃત્યુ નિશ્ચિત હતું. ચક્રવર્તીન પોતાની જાતને બચાવી શક્યો કે ન તો દેવો એને મોતથી બચાવી શક્યા. આ છે જીવોની અશરણતા. . “અશરણ ભાવનાની સઝાયમાં કવિ આગળ કહે છેઃ
દ્વિીપાયન દહી દ્વારિકા બલવંત ગોવિંદ રામ રે રાખી ન શક્યારે રાજવી, માતાપિતા સુત ધામ રે
- લોભે તસ ગઈ લાજ રે..... દ્વારિકા બળી જાય છે:
મહાભારતકાલીન આ અતિ કરુણાન્તિક કથા છે. ૨૪મા તીર્થંકર ભગવાન નેમિનાથના સમયમાં બનેલી આ ઘટના છે. ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્રમાં આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજીએ એને માર્મિક ઢંગમાં લખી છે. બળદેવ અને વાસુદેવ જેવા અતિ બળવાન શલાકાપુરુષ, ઉત્તમ પુરુષ પણ મહાકાળની સામે કેવા અશરણ.... અસહાય બની જાય છે એ વાત આ વાર્તાના માધ્યમ દ્વારા સરસ રીતે બતાવવામાં આવી છે. અતિ રોમાંચક અને કરુણ વાત છે. તમે એકાગ્ર ચિત્તથી સાંભળજો અને જીવોની મહાકાળની સામે જે અશરણતા છે તેનો અનુભવ કરજો.
ભગવાન નેમિનાથ દ્વારકાના બાહ્ય ઉદ્યાનમાં પધાર્યા હતા. સમવસરણમાં બેસીને ભગવાને ધમોપદેશ આપ્યો. ઉપદેશ પૂર્ણ થતાં શ્રીકૃષ્ણ વિનયપૂર્વક ભગવંતને પૂછ્યું: “ભગવંત, આ દ્વારિકાનો, યાદવોનો અને મારો નાશ કેવી રીતે
થશે ?”
ભગવંતે કહ્યું “કૃષ્ણ, ઇન્દ્રિયવિજેતા અને બ્રહ્મચારી દ્વૈપાયન ઋષિ દ્વારિકાને બાળી મૂકશે. તેમાં તારાં માતા-પિતા અને સર્વ યાદવો બળી મરશે. માત્ર તું અને બલરામ બચી જશો. તારું મોત તારા ભાઈ જરાકુમારને હાથે થશે.” જરાકુમાર સમવસરણમાં જ બેઠો હતો. ભગવંતનાં વચનો સાંભળીને ખિન્ન થઈ ગયો. તેના હૃદયમાં શ્રીકૃષ્ણ માટે અપાર સ્નેહ હતો. તેણે વિચાર કર્યો હું શ્રીકૃષ્ણનો ભાઈ છું. હું તેમનો ઘાત કરી જ કેવી રીતે શકું? હું દ્વારિકામાં નહીં રહું.” તેણે વનવાસ સ્વીકારી લીધો.
દ્વૈપાયન ઋષિ દ્વારિકાની પાસે રહેતા હતા. તેમણે ભગવાન નેમિનાથની ભવિષ્યવાણી સાંભળી. તે ઊંડા વિચારમાં પડી ગયા. તેમના મનમાં દ્વારકા ઉપર પ્રેમ હતો, યાદવો ઉપર સ્નેહ હતો. કૃષ્ણ-બલરામ માટે પ્રેમ હતો. તેમનું મન પણ વિક્ષુબ્ધ થઈ ગયું. તે પણ દ્વારકા છોડીને દૂરદૂરની ગિરિગુફામાં ચાલ્યા ગયા.
શ્રીકૃષ્ણ ભગવાન પાસેથી જાણી લીધું હતું કે તમામ અનર્થનું મૂળ શરાબ જ બનશે. મદિરાથી આ બધું બનવાનું છે. તેમણે પોતાના નગરમાં, સંપૂર્ણ દ્વારિકામાં | અશરણ ભાવના
૧૩૭]