________________
બંને જણા પોતાની અજેય શક્તિ ઉપર ગર્વોન્મત્ત હતા. બંને જણા પોતાના કુકમનો વિચાર સુદ્ધાં કરતા ન હતા. બન્ને જણાએ પરસ્ત્રીને સતાવી હતી. એક સતી સીતાજીને અને બીજાએ દ્રૌપદીને યુદ્ધમાં બંનેનું મોત થયું. બધું જ અહીં પડવું રહ્યું અને તે દુર્ગતિમાં ચાલ્યા ગયા. તેમને કોઈ જ બચાવી ન શક્યું. ન ભાઈઓ બચાવી શક્યા, ન પુત્રો બચાવી શક્યા, ન સેના બચાવી શકી. તેમના દેહની સાથે આખુંય અભિમાન માટીમાં મળી ગયું - દીન, અનાથ અને અશરણ બન્યા, મૃત્યુ - યમરાજ ઉઠાવીને લઈ ગયો, બળ, બુદ્ધિ, સત્તા અને સંપત્તિ, કશું જ કામમાં ન આવ્યું.
એટલા માટે તો ગ્રંથકાર કહે છેઃ અભિમાન ના કરો. મોતની સામે તમે અશરણ છો. જેવી રીતે જંગલમાં સિંહના પગની નીચે પડેલું મૃગ અશરણ હોય છે, તેવી જ રીતે સંસારમાં કાલ-મહાકાલથી ગ્રસિત જીવ પણ અશરણ હોય છે. ગુણનિધાન લોકો પણ ચાલ્યા જાય છે :
પાપી લોકોને કેવી રીતે યમરાજ નથી છોડતો, તેવી જ રીતે ગુણવાન લોકોને ય યમરાજ ઉઠાવીને લઈ જાય છે. આ સંસારમાં જીવોની નિયતિ છે - જન્મ અને મૃત્યુની. જન્મ અને મૃત્યુની વચ્ચે જીવન હોય છે. જીવન, પ્રત્યેક જીવનું જીવન આયુષ્યકર્મની સાથે સંબદ્ધ છે. આયુષ્યકર્મ સમાપ્ત થઈ જતાં જીવન સમાપ્ત થઈ જાય છે. કાર્તિકેયાનુપ્રેક્ષામાં કહ્યું છે?
आउकरवयेण मरणं आउं दारुण सक्कदे को वि । तह्म देविंदो वि य मरणाउण रक्खदे को वि ॥ આયુષ્યકર્મના ક્ષયથી મૃત્યુ થાય છે અને આયુષ્યકર્મ કોઈને પણ કાંઈ આપી શકતું નથી. એટલા માટે દેવરાજ ઇન્દ્રને પણ મૃત્યુથી બચાવી શકાતો નથી.
સ્વયં ઈન્દ્ર પણ પોતાની જાતને જો બચાવી શકતો હોત તો તે સર્વોત્તમ ભોગોવાળો સ્વર્ગવાસ શા માટે છોડત? અર્થાત્ આ જીવસૃષ્ટિમાં કોઈ પણ જીવાત્મા પોતાનું આયુષ્યકર્મ એક ક્ષણ પણ વધારી શકતો નથી.
દેવ-દેવેન્દ્રોથી પૂજિત તીર્થંકર પરમાત્મા પણ પોતાનું આયુષ્ય વધારી શકતા નથી. શ્રમણ ભગવાન મહાવીરે દેવરાજ ઈન્દ્રની પ્રાર્થના હોવા છતાં કહ્યું હતું કે હે ઇન્દ્ર, આયુષ્યકર્મ હું પણ વધારી શકતો નથી.' આયુષ્યકર્મ પૂર્ણ થતાં ભગવાન મહાવીર સ્વામીનું દેશના આપતાં આપતાં જ નિવણ થઈ ગયું હતુંદેશના દેતાં દેતાં જ નિવણ થઈ ગયું હતું.
અશરણ ભાવના
ANAND ૧૩૫ |