________________
મૃત્યુની સામે બધાં જ અશરણઃ
રોગોથી બચાવનાર, શત્રુથી બચાવનાર, આપત્તિથી બચાવનાર મળી જાય છે આ સંસારમાં. એ પણ જો પુણ્યકર્મનો ઉદય હોય તો! અન્યથા નહીં. પરંતુ મોતથી - યમરાજથી બચાવનાર કોઈ નથી. ભલે ને તમે મોટા સમ્રાટ હો, ચક્રવર્તી હો, દેવ યા દેવેન્દ્ર હો - તમારી પાસે વિરાટ સેના હોય, વિશાળ ભૂમિ હોય, સાગર જેટલી સેના હોય કે આકાશીસેના હોય. તમે મોતથી બચી શકતા નથી. યમરાજ તમને ઉઠાવીને લઈ જશે! તમે જવા ઇચ્છતા નહીં હો તો પણ તે તમને ઉઠાવીને અવશ્ય લઈ જશે. તમે દીનહીન બનીને ચારે તરફ જોતા રહી જશો અને યમરાજ તમને લઈ જશે. આ છે – અશરણતા. ઉપાધ્યાયજી સકલચંદ્રજી કહે છે?
માતપિતાદિક ટગટગ જોતા, યમ લે જનને તાણી રે મરણ થકી સુરપતિ નવિ છૂટે નવિ છૂટે ઈન્દ્રાણી રે
કો નવિ શરણે કો નવિ શરણે. પ્યારભરી માતા પાસે જે છે. વાત્સલ્યપૂર્ણ પિતાજી બાજુમાં જ ઊભા છે. પ્રેમપૂર્ણ પત્ની નજીકમાં ઊભી છે. અનેક સ્વજન-મિત્રજનો પણ બાજુમાં ઊભાં હોય છે. સૌ જોતાં રહે છે. અને યમરાજ જીવને ઊંચકીને લઈ જાય છે. મૃત્યુથી કોણ બચે છે? ન દેવેન્દ્ર, ન ઈન્દ્રાણી બચે છે. મોતથી બચાવનાર સંસારમાં કોઈ શરણ નથી, માટે મદોન્મત્ત ન બનો, મોત સામે જ ઊભું છે.
तावदेव मदविभ्रममाली, तावदेव गुणगौरवशाली । यावदक्षमकृतान्तकटाक्षैक्षितो विशरणो नरकीटः ॥२॥ ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી કહે છે હે મનુષ્ય ત્યાં સુધી જ તું મદોન્મત્ત અને ગુણશાલી છે, જ્યાં સુધી તારા ઉપર દુર્જય યમરાજનો દૂર દૃષ્ટિપાત થયો નથી. તેનો દૃષ્ટિપાત થતાં જ તને કોઈ નહીં બચાવી શકે.”
જો તમે પ્રતિપળ મૃત્યુને સામે રાખશો તો તમને કદીય, કોઈ પણ વાતનું અભિમાન નહીં આવે. અથવા જ્યારે સંપત્તિનું, યૌવનનું, બુદ્ધિનું યા જ્ઞાન વગેરેનું અભિમાન આવી જાય ત્યારે મૃત્યુનું ક્ષણિક ચિંતન કરજો. અભિમાન ટકી શકશે નહીં. ગર્વ વિચલિત થઈ જશે. કેટલાંક ઐતિહાસિક અથવા શાસ્ત્રીય ઉદાહરણો યાદ રાખો. જ્યારે મને ગર્વોન્મત્ત બને ત્યારે એ ઉદાહરણોને યાદ કરજો. આવાં બે ઉદાહરણો પ્રાચીનકાળનાં યાદ રાખીએ - એક રામાયણકાલીન લંકાપતિ રાવણનું અને બીજું મહાભારતકાળના દુર્યોધનનું.
[ ૧૩૪
શાન્ત સુધારસઃ ભાગ ૧|