SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ये षट्खण्डमहीमहीनतरसा निर्जित्य बभाजिरे, . ये च स्वर्गभुजो भुजोर्जितमदा मेदुर्मुदा मेदुराः । तेऽपि क्रूरकृतान्तवक्त्ररदनैर्निर्दल्यमानाहठादत्राणाः शरणाय हा दशदिशः प्रेक्षन्त दीनाननाः ॥७॥ અશરણ ભાવનાનો પ્રારંભ કરતાં ઉપાધ્યાયજી વિનયવિજયજી કહે છે : પોતાના અતુલ પરાક્રમથી સમગ્ર પૃથ્વી ઉપર વિજય પામનાર સમ્રાટ ચક્રવર્તી અને પોતાની અજેય શક્તિથી ઉન્મત્ત અને અપૂર્વ હર્ષથી સદેવ આનંદિત રહેનાર દેવદેવેન્દ્ર, જ્યારે તેમના શરીર ઉપર નિર્દય યમરાજ બળાત્કાર કરે છે અને પોતાના તીક્ષ્ણ દાંતોથી એમને ચીરી નાખે છે, ત્યારે તે સમ્રાટ, ચક્રવર્તી, દેવ અને દેવેન્દ્ર હીનદિીન બનીને અશરણ સ્થિતિમાં ચારે તરફ જોતા રહે છે, પણ એમને કોઈ બચાવી શકતું નથી.' અનંત જન્મોથી જીવોની સાથે અસંખ્ય વાસનાઓ જડાયેલી છે. આહારની વાસના, ભયની વાસના, મૈથુનની વાસના અને પરિગ્રહની વાસના - આ ચાર વાસનાઓ મુખ્ય છે. આ વાસનાઓ જીવોને દુઃખી કરે છે. એટલા માટે પરમ કરુણાવંત જ્ઞનીપુરુષોએ વાસનાઓ ઉપર વિજય પામવાનો, વાસનાઓને નષ્ટ કરવાનો ઉપદેશ આપ્યો. વાસનાઓ ઉપર ભાવનાઓથી વિજય પામી શકાય છે. વાસનાઓ ઉપર વિજય પામવાનો સર્વોત્તમ ઉપાય છે - ભાવનાઓ. ચાર પ્રમુખ વાસનાઓમાં એક છે - ભયની વાસના. જન્મથી મૃત્યુ સુધી કેટલાક ભયોની સાથે મનુષ્ય જીવે છે. પ્રિયના વિયોગનો ભય, અપ્રિયના સંયોગનો ભય. આ બે મુખ્ય ભય છે. સ્વજન, પરિજન, સંપત્તિવૈભવ, શરીર વગેરે પ્રિય પદાર્થો છે. એ બધા ચાલ્યા ન જાય, નષ્ટ થઈ જાય, ચોરાઈ ન જાય એ બાબતને લઈને મનુષ્ય ભયાક્રાન્ત રહે છે. જેમ કોઈ પ્રિય વસ્તુ હોય છે તેમ અપ્રિય વસ્તુ પણ હોય છે. રોગ, શોક, સ્વજન-વિયોગ, દુર્જન-સંયોગ, વૃદ્ધત્વ અને મૃત્યુ...આ બધાથી પણ મનુષ્ય ભયભીત રહેતો હોય છે. ભયથી બચવા માટે તે કોઈક રક્ષા ઈચ્છે છે, કોઈ શરણ ઈચ્છે છે. જે કોઈ એનું ભયથી રક્ષણ કરે છે, એને શરણે એ જાય છે. હા, બીજા બધા ભયોથી બચાવનારા, શરણ આપનારા કદાચ મળી પણ જાય છે, પરંતુ મૃત્યુથી બચાવનાર કોઈ મળતું નથી આ સંસારમાં ! જીવ માટે મૃત્યુ અનિવાર્ય છે. મૃત્યુનો ભય પણ હોય છે નિશ્ચિત રૂપે. જ્યારે મૃત્યુ સામે દેખાય છે ત્યારે જીવાત્મા પોતાની જાતને અશરણ માને છે, અસહાય માની લે છે. [અશરણ ભાવના | અશરણ. ભાવના | _ | ૧૩૩ ૧૩૩
SR No.006044
Book TitleShant Sudharas Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1996
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy