________________
સર્વ જગ જંતુને સમ ગણે, સમ ગણે તૃણમણિ ભાવ રે
મુક્તિ-સંસાર બિહુ સમ ગણે. મુણે ભવ જલનિધિ નાવરે ન માન-સન્માન એમના મનમાં રાગજન્ય ચંચળતા પેદા કરી શકે છે કે ન અપમાન-તિરસ્કાર દ્વેષજન્ય ચંચળતાને જન્મ આપી શકે છે. યોગીપુરષો માનઅપમાનને સમાન ગણે છે. એમની સામે સવર્ણનો ઢગલો હોય યા તો પાષાણના પહાડ હોય, યોગીઓની જ્ઞાનવૃષ્ટિમાં બંને સમાન હોય છે.
સમગ્ર વિશ્વના સર્વ જીવોને યોગી સમાન રૂપથી જુએ છે. એમની દ્રષ્ટિમાં નથી હોતો રાજા-રંકનો ભેદ, ન તો શ્રીમંત-ગરીબનો ભેદ સમગ્ર જીવસૃષ્ટિને સમાન રૂપે જુએ છે. એટલે કે દરેક આત્માને એના શુદ્ધ રૂપમાં જુએ છે. સર્વ જીવોનું વિશુદ્ધ સ્વરૂપ તો સમાન જ હોય છે.
તેમની સમક્ષ ઘાસ હોય યા મણિ-માણેક, યોગીઓના ચિત્તમાં કોઈ ભેદ નથી હોતો. ન ઘાસ પ્રત્યે તુચ્છ ભાવ, ન મણિ-માણેક પ્રત્યે ઉત્તમતાનો ભાવ હોતો.
અરે. એમના મનમાં તો સંસાર અને મોક્ષની વચ્ચે પણ કોઈ ભેદ નથી હોતો! બંને પ્રતિ સમાન ભાવ ! આ છે સમતાભાવ, આ છે પ્રશમભાવ; આ સમત્વનો ઉત્સવયોગીઓ મનાવે છે, પોતાની અંદર જ. ઉત્સવ મનાવતાં ભાવવિભોર બનીને આનંદઘનજી ગાવા લાગે છેઃ
અહો ! અહો ! હું મુજને કહું
નમો મુજ! નમો મુજ૨. પોતાના આત્માનું પરમાત્માનું સ્વરૂપ, પરમાનંદસ્વરૂપ જોઈ લીધું અને એ ગાવા લાગ્યા અને પોતાના જ આત્માને નમસ્કાર કરવા લાગ્યા. “નમો મુજ, નમો મુજ.” બોલતા નાચવા લાગ્યા. આને કહે છે: યોગીનો ઉત્સવ, પ્રશમભાવના અમૃતનો ઉત્સવ! પ્રશમસુખ એટલે મોક્ષસુખઃ
ઉપાધ્યાયજીએ જે પ્રશમસુખના સુધારાન-ઉત્સવની વાત કરી છે.... એ ખૂબ રહસ્યભૂત અને અદ્ભુત વાત છે. પ્રશમરસના વિષયમાં મહાજ્ઞાની ભગવાન ઉમાસ્વાતીજીએ પ્રશમરતિ' ગ્રંથની રચના કરી છે. એ ગ્રંથમાં “પ્રશમસુખ ને તેમણે પ્રત્યક્ષ મોક્ષસુખ કહ્યું છે.
स्वर्गसुखानि परोक्षाण्यत्यन्तपरोक्षमेव मोक्षसुखम् । प्रत्यक्षं प्रशमसुखं न परवशं न व्ययप्राप्तम् ॥ २३७ ॥
સ્વર્ગનાં સુખ પરોક્ષ છે અને મોક્ષનું સુખ તો અત્યંત પરોક્ષ છે. જ્યારે [ અનિત્ય ભાવના
૧૨૯ |