SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ આવા શ્રાવકો પણ હતા. સુદર્શન વગેરેનાં દૃષ્ટાંત આપણે શાસ્ત્રોમાં, આગમોમાં વાંચીએ છીએ. મુનિ, યોગી સાધુઓનાં તો અનેક દૃષ્ટાંતો વાંચવા મળે છે. તેઓ નિર્ભય હતા, ઇન્દ્રિયવિજેતાઓ હતા, વીર અને ધીર હતા. અંદરનો ઉત્સવ તો આવા સત્પુરુષો જ મનાવી શકે છે. આવા સત્પુરુષો જે રીતે એકાન્તપ્રિય અને મૌનવ્રતધારી હતા, તેઓ સહજરૂપથી તપસ્વી હતા. આહારપાણી વગર તેઓ કેટલાય દિવસો સુધી પોતાની આરાધનામાં નિરત રહી શકતા હતા. લોકસંપર્કથી તેઓ દૂર રહેતા હતા. ચિદાનંદની મસ્તીમાં ખાવુંપીવું.... એમને યાદ પણ આવતું ન હતું, તેઓ તો અમૃતપાન કરતા હતા - ‘પ્રશમરસ’નું ‘અમૃતપાન !’ યોગીપુરુષ કેવા હોય છે ? : પ્રશ્ન ઃ આપ કહો છો એવા યોગીપુરુષો કેવા હોય છે ? ઉત્તર ઃ આત્મધ્યાન કરનારા અને પરમાનંદનો ઉત્સવ મનાવનારા યોગી ૧૨ યોગ્યતાવાળા હોય છે. સાંભળો, એ યોગ્યતાઓ બતાવું છું : ૭. લયયોગમાં તત્પર ૮. વીર્યવાન ૯. દયાવાન ૧૦. સત્યવાદી ૧૧. શ્રદ્ધાવાન ૧૨. યોગાભ્યાસમાં તત્પર ૧. સ્થિર બુદ્ધિવાળા ૨. સ્વાધીન ૩. વિશાળ હૃદયવાળા ૪. ક્ષમાશીલ વીર ૫. ૬. ગુરુચરણપૂજક આવો સાધક જ આત્મધ્યાન કરવા યોગ્ય અને અધિકારી હોય છે. આવો યોગીપુરુષ કદાચ પોતાના આત્માનો ‘જિનસ્વરૂપ’ બનીને આરાધના કરે છે, તો તે ‘જિનસ્વરૂપ’ બની જાય છે. મહાયોગી શ્રી આનંદઘનજી કહે છે - જિનસ્વરૂપ થઈ જિન આરાધે તે સહી જિનવર હોવે છે. પોતાના આત્માને જિનસ્વરૂપ એટલે કે પરમાત્મસ્વરૂપ જોવો અને એના ઉપર એકાગ્ર થવું, એને માટે સંભવિત છે કે જે હમણાં મેં બતાવ્યું એવું વ્યક્તિત્વ ધરાવતો હોય. શ્રી શાન્તિનાથ ભગવાનની સ્તવના કરતાં શ્રીમદ્ આનંદઘનજીએ ગાયું છે ઃ માન-અપમાન-ચિત્ત સમ ગણે સમ ગણે કનક-પાષાણ રે. વૈદક-નિંદક સમ ગણે, ઇસ્યો હોય તું જાણ રે....શાન્તિ. શાન્તસુધારસ : ભાગ ૧ ૧૨૮
SR No.006044
Book TitleShant Sudharas Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1996
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy