________________
-
स्वभावलीना निवसन्ति नित्यं जानाति योगी स्वयमेव तत्त्वम् ॥ सदानन्दमयं शुद्धं, निराकारं निरामयम् । અનન્તમુદ્ધસંપન્ન, સર્વસંગ-વિવનિતમ્ ॥ પરમાાસંપન્ન, રાગદ્વેષ-વિવખિતમ્ । सोऽहं देहमध्येषु, यो जानाति सः पंडितः ॥ आकाररहितं शुद्धं, स्वस्वस्पे व्यवस्थितम् । સિદ્ધાવષ્ટમુળોપેત, નિવિદ્માં, નિમવમ્ ।। तत्सदृशं निजात्मानं, परमानन्दकारणम् 1 संसेवते निजात्मानं, यो जानाति सः पंडितः ॥ ‘પરમાનંદ-પંચવિંશતિમાં આ રીતે આત્માની ઓળખાણ કરાવવામાં આવી છે. ‘શરીરની અંદર રહેલો પરમ વિશુદ્ધ આત્મા અનંત સુખમય છે. જ્ઞાનામૃતથી ભર્યાભર્યા વાદળ જેવો છે; અનંત શક્તિશાળી છે.’- આ રીતે આત્માનાં દર્શન . કરો.
નિર્વિકાર છે, નિરાહાર છે. સર્વ પ્રકારના સંગ-આસંગ વગરનો છે. પરમાનંદથી પરિપૂર્ણ છે અને શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે.
આ પરમ વિશુદ્ધ આત્મતત્ત્વ આનંદરૂપ છે. સર્વ સંકલ્પવિકલ્પોથી રહિત છે. સ્વ-ભાવમાં લીન એવા આત્મતત્ત્વને યોગીપુરુષો સ્વયમેવ જાણે છે.
સદૈવ આનંદમય, શુદ્ધ, નિરાકાર, નિરામય, અનંત સુખમય અને સર્વ બંધનોથી આત્મતત્ત્વ મુક્ત છે.
‘પરમ પ્રસન્નતાથી પરિપૂર્ણ, રાગદ્વેષથી રહિત, ‘સોક્હમ્' એવો હું દેહમાં રહેલો છું' - જે જાણે છે તે વિદ્વાન્ છે.
– આકારરહિત, શુદ્ધ સ્વસ્વરૂપમાં સ્થિત સિદ્ધ પરમાત્માના આઠ ગુણોથી યુક્ત નિર્વિકાર અને નિરામય છે આત્મતત્ત્વ !
એ સિદ્ધાત્માની સમાન પોતાના આત્માને જે જાણે છે, તે ૫૨માનંદનું કારણ બને છે. આ રીતે નિજાત્માને જે જાણે છે, તે પંડિત-વિદ્વાન્ છે.
આ તો સાત શ્લોકોના અર્થ બતાવ્યા, હવે આત્માના ગુણોનું ક્રમશઃ લિસ્ટ સાંભળી લો; એનાથી શુદ્ધ આત્માનો સારો પરિચય થશે.
અનિત્ય ભાવના
૧૨૩