________________
અનિત્ય ભાવનાનો ઉપસંહાર કરતાં ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી ગાય છે કે नित्यमेकं चिदानन्दयमात्मनो
स्पमभिस्प्य सुखमनुभवेयम् । ' प्रशमरसनवसुधापानविनयोत्सवो .
भवतु सततं सतामिह भवेऽयम् ॥९॥ બધું જ અનિત્ય, ક્ષણિક અને ક્ષણભંગુર છે; તો નિત્ય શું છે? શાશ્વતું શું છે? આનંદમય શું છે?
આ પ્રશ્નનો ઉત્તર આપવામાં આવ્યો છે કે નિત્ય અને ચિદાનન્દમય એકમાત્ર આત્મા છે. એ આત્માના સ્વરૂપની ઓળખ કરી લો અને સ્વાભાવિક આત્મસુખની અનુભૂતિ કરો. આ અનિત્ય ભાવનાના ચિંતનથી અંદરમાં “પ્રશમરસ' ઉત્પન થશે ઉપશમરસનું અભિનવ અમૃતપાન કરતા રહો. અપૂર્વ આનન્દોત્સવ, પરમાનન્દોત્સવ તમારી અંદર જામશે. આવો ઉત્સવ સપુરુષોને આ જન્મમાં પ્રાપ્ત
થાઓ.’
આત્માની ઓળખ કરી લો :
જે અનિત્ય, ક્ષણિક છે એવા શરીર, યૌવન, આયુષ્ય, વૈષયિક સુખ, સ્વજન સંબંધ, સંપત્તિ વગેરેની ઓળખાણ કરી લીધી; એમનું મમત્વ, આસક્તિ, રાગ-મોહ છૂટી ગયા. હવે એવા નિત્ય-શાશ્વત્ તત્ત્વની સાથે મમત્વ જોડવાનું છે કે જેનાથી અંદર આનંદોત્સવ થાય, પરમાનંદની અનુભૂતિ થાય. એવું એક જ તત્ત્વ છે - અને તે આત્મતત્ત્વ. આપણા દેહમાં જ એ આત્મતત્ત્વ રહેલું છે. અંદર જ છે. અંદર જોવા માટે ધ્યાન કરવું જોઈએ. જે ધ્યાન નથી કરી શકતા તેઓ પોતાના જ શરીરમાં રહેલા પરમાનંદમય, નિર્વિકાર, નિરામય આત્માને જોઈ શકતા નથી, ઓળખાણ કરી શકતા નથી. ધ્યાનમગ્ન યોગીપુરુષોએ આત્માની ઓળખાણ કરી છે, એ આ પ્રકારની છે?
अनन्तसुखसंपन्नं, ज्ञानामृत-पयोधरं । अनन्तवीर्यसंपन्नं, दर्शनं परमात्मनः ॥ निर्विकारं निराहारं, सर्वसंगविवर्जितं । परमानन्दसंपन्नं - शुद्धं चैतन्यलक्षणम् ॥
आनन्दस्पं, परमात्मतत्त्वं समस्त संकल्पविकल्पमुक्तम् ।
૧૨૨
શાન્તસુધારસ : ભાગ ૧