________________
i અનંત સુખમય
v સંકલ્પ-વિકલ્પથી મુક્ત - જ્ઞાનામૃતથી પરિપૂર્ણ v સ્વભાવલીના . અનંત શક્તિશાળી
નિરાકાર નિર્વિકાર
1 નિરામય નિરાહાર
. બંધનમુક્ત 1 અસંગ
: પ્રસન્નતાથી પરિપૂર્ણ v પરમાનંદથી પૂર્ણ . રાગદ્વેષરહિત પ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ | સિદ્ધાત્મ-સદ્ગશ
| આનંદરૂપ આવો આત્મા શરીરમાં છે !
આવો આત્મા આપણા શરીરમાં રહેલો છે. પરંતુ આવા આત્માને ધ્યાનવીના ન પત્તિ | જે મનુષ્ય ધ્યાની નથી તે જોઈ શકતો નથી. જેમ જન્મ-અંધ વ્યક્તિ સૂર્યને જોઈ શકતો નથી તેમ. ધ્યાની એવો યોગીપુરુષ જ જોઈ શકે છે. .
એવું ધ્યાન કરવું જોઈએ કે જેનાથી મન વિલીન થઈ જાય અને તત્ક્ષણ શુદ્ધ આનંદમય આત્માનું દર્શન થઈ જાય.
तद्ध्यानं क्रियते भव्यं मनो येन विलीयते । શરીરની અંદર જ જોવાનું છે. શરીરમાં વ્યાપ્ત આત્માને જ જોવાનો છે. જે રીતે પાષાણોમાં સોનું હોય છે, દૂધમાં ઘી રહેલું છે અને તલમાં તેલ હોય છે, એ રીતે દેહમાં આત્મા વસેલો છે. જે રીતે લાકડામાં અગ્નિ શક્તિરૂપ હોય છે એ રીતે આ આત્મા સ્વભાવથી નિર્મળ શરીરમાં રહેલો છે. કહેવામાં આવ્યું છે –
पाषाणेषु यथा हेम, दुग्धमध्ये यथा घृतं । तिलमध्ये यथा तैलं, देहमध्ये तथा शिवः ॥ काष्ठमध्ये यथा वह्निः शक्तिस्पेण तिष्ठति ।
अयमात्मा स्वभावेन देहे तिष्ठति निर्मलः ॥ યોગી જ આત્મદર્શન કરે છે?
શરીરનું મમત્વ, મોહ તોડવા માટે કેવી રીતે શરીરમાં માંસ, મજ્જા, રુધિર, વિષ્ટા ઈત્યાદિ બિભત્સ પદાર્થો જોવાના હોય છે, એ જ રીતે આત્મા સાથે મમત્વ જોડવા માટે આ જ શરીરમાં રહેલ નિર્મળ, નિરાકાર, નિરામય, નિર્વિકાર અને
૧૨૪
| શાન્તસુધારસ : ભાગ ૧