________________
નરક-ગતિની વેદનાઓ:
સભામાંથી નરકમાં કેવી વેદનાઓ હોય છે?
મહારાજશ્રી ત્યાં ૧૦ પ્રકારની ક્ષેત્રવેદના હોય છે : ૧. આહાય પુદ્ગલોનું બંધનઃ પ્રતિસમય આહારાદિ પુદ્ગલોની સાથે જે બંધન
હોય છે, તે પ્રદીપ્ત અગ્નિ કરતાંય ભયંકર હોય છે. ૨. ગતિઃ ગધેડાની ચાલ કરતાં પણ નારકોની ચાલ અતિ અશુભ હોય છે. તપ્ત
લોઢાની ભૂમિ ઉપર પગ મૂકવાથી જે વેદના થાય છે એવી વેદના હોય છે.
અતિ ભયંકર વેદના નરકની જમીન ઉપર ચાલવાથી થાય છે. ૩. સંસ્થાન જે પક્ષીની પાંખો કપાઈ ગઈ હોય એ કેવું લાગે છે? એનાથી ખરાબ
એમનું સંસ્થાન હોય છે. ૪. ભેદ ભીંત ઉપરથી જે પુદ્ગલો પડે છે, તે શસ્ત્રની ધારથીય વધારે પીડાકારી
હોય છે.
૫. વર્ણઃ અંધકારમય, ભયંકર અને મલિન, ભૂભાગ, શ્લેષ્મ, વિષ્ટા-મૂત્ર, કફ
વગેરે બિભત્સ પદાર્થોથી લિપ્ત હોય છે. માંસ, કેશ, હાડકાં, દાંત અને ચામડાંથી આચ્છાદિત ભૂમિ સ્મશાનભૂમિ જેવી હોય છે. ગંધ સડેલાં પશુઓના મૃતકલેવરોની દુર્ગધથી પણ વધારે ખરાબ દુર્ગધ ત્યાં
હોય છે. ૭. રસઃ અતિ કડવો રસ હોય છે. ૮. સ્પર્શ અગ્નિ અને વીંછીના સ્પર્શથીય વધારે તીવ્ર હોય છે. ૯ પરિણામ અતિ વ્યથાકારી હોય છે. ૧૦. શબ્દ સતત પીડાઓથી કરુણ કલ્પાંત કરતા જીવોના સ્વર જેવો સ્વર હોય
છે. સાંભળવા માત્રથી દુઃખદ હોય છે. આ સિવાય, શીતળતા, ઉષ્ણતા, સુધા, તૃષા, ખણજ વગેરેની પરવશતા, જ્વરની, દાહની, ભયની અને શોકની વેદનાઓ તીવ્ર હોય છે.
પરમાધામ દેવોની તરફથી ઘણું ઉત્પીડન થાય છે, એ અલગ છે. પરસ્પરની કાપાકાપી, મારામારી થાય છે, એ પણ વધારાનું. ઉપસંહાર :
એટલા માટે એવાં પાપ ન કરો કે જે નરકમાં લઈ જાય. ‘અનિત્ય ભાવના'નું ચિંતન કરતાં અનિત્ય ભાવના
૧૧૯]