________________
ન
પાસે લક્ષ્મી ન હોય એને આપ..... દીન, દિદ્ર હોય તેને દાન આપીને દરિદ્ર, દીન થઈને મારી પાસે આવ.'
ધનપતિ ગયો. સર્વસ્વ આપી દીધું. કશું જ એની પાસે ન રહ્યું. તે સદ્ગુરુ પાસે ગયો અને તેણે કહ્યું : ‘આપના કહેવા અનુસાર હુંનિર્ધન બની ગયો છું, હવે તો આપ જ શરણ છો.’ સદગુરુએ કહ્યું : “તેં જે સંપત્તિનું દાન કર્યું, ત્યાગ કર્યો, એ ત્યાગનું અભિમાન પણ છોડી દે, પછી આવ. તે પછી જ તને સાચી શાન્તિ મળશે. તારો મિત્ર સમ્રાટ મહાદાની હોવા છતાં પણ કેમ અશાંત છે ? તેણે લક્ષ્મીનો ત્યાગ કર્યો, પરંતુ ત્યાગનું અભિમાન ત્યજ્યું નથી. એટલા માટે તમે બંને ‘દાનાભિમાન’થી મુક્ત બનો. પરમ શાન્તિથી તમે મરી શકશો.
મૃત્યુ નિશ્ચિત છે :
જો તમે લક્ષ્મીનો ત્યાગ સ્વેચ્છાએ નહીં કરો તો તમારે સ્વયં લક્ષ્મીનો ત્યાગ કરીને પરલોક જવું પડશે. મહાકાળ નિરંતર જીવોનો ભક્ષ્ય કરે જ છે. તો પણ તે કદી તૃપ્ત થતો નથી. આ વાત ઉપાધ્યાયજી કહે છે.
कलयन्नविरतं, जंगमाजंगमं
जगदहो नैव तृप्यति कृतान्तः । मुखगतान् खादतस्तस्य करतलगतैः
न कथमुपलप्स्यतेऽस्माभिरन्तः ॥ ८ ॥
આશ્ચર્ય ! સ્થાવર, જંગમ, જગતનું સદૈવ ભક્ષણ કરતો કાળ કદાપિ તૃપ્ત થતો નથી, આવા કાળના હાથોમાં આપણે પણ આવી ગયા છીએ, આપણને પણ એ ભક્ષ્ય બનાવી દેશે. કંહેવાનું તાત્પર્ય એ છે કે મૃત્યુ નિશ્ચિત છે. ધનસંપત્તિ અહીં જ રહેશે અને જીવ પરલોક ચાલ્યો જશે ! ધનસંપત્તિ પામવા માટે મન-વચન-કાયાથી કરેલાં પાપ, હિંસા, અસત્ય, ચોરી, અનીતિ વગેરે જીવની સાથે પરલોક જશે; અને પાપોનાં પોટલા સાથે જે પરલોક જાય છે, એને કઈ ગતિમાં જવું પડે છે, તે જાણો છો?
સભામાંથી નરકમાં !
:
મહારાજશ્રી ઃ છતાં પણ પાપોનાં પોટલાં બાંધતા જાઓ છો ? નરકનાં દુઃખોથી નિર્ભય થઈ ગયા છો ? નરકની વેદનાઓ કદી યાદ કરો છો ? નરકનાં દુઃખોનું લિસ્ટ તમારા બેડરૂમમાં અગર ડ્રોઇંગરૂમમાં રાખી મૂકો. નરકમાં જવું એટલે ગાર્ડનમાં જવું એવું નથી. હિટલરના ગેસ ચેમ્બર કરતાં પણ ભયંકર નરક છે ! ગેસ ચેમ્બરમાં એક વાર મોત થાય છે, જ્યારે નરકમાં વારંવાર ઘોર દુઃખ સહન કરવાં પડે છે.
શાન્તસુધારસ ઃ ભાગ ૧
૧૧૮