________________
વ્યય કરનાર ધનાશા પોરવાડને યાદ કરો. - આ રીતે વર્તમાનકાળમાં પણ પ્રતિવર્ષ અંદાજે એક કરોડ રૂપિયાનું સુકૃત
કરનાર એવાં કેટલાંક ધાર્મિક ટ્રસ્ટ છે જે જીવદયા, માનવદયા આદિનાં કાર્યો
કરે છે. જે કોઈ નાનું-મોટું દાન કરે છે, તેમની પ્રશંસા કરતા રહેશો તો તમને પણ દાન આપવાની ભાવના જાગ્રત થશે. લક્ષ્મીનો સંચય કરવાની ઈચ્છા નહીં થાય. એક સમ્રાટ એક ધનપતિ :
એક સમ્રાટ હતો. પુષ્કળ દાન કરતો હતો. ચારે દિશામાં એની કીર્તિ ફેલાયેલી હતી. રાજાની પ્રજા એના ત્યાગનાં, એની સાદગીનાં, વિનમ્રતાનાં ગુણગાન કરતી. હતી. પરંતુ એ કીર્તિ - પ્રશંસાથી સમ્રાટનું અભિમાન અને અહંકાર વધતાં ગયાં. પરમાત્મા અને સદ્ગથી તે ઘણો દૂર નીકળી ગયો, સમ્રાટ દાન આપતો હતો, યશ વધતો હતો, પરંતુ એનો આત્મા ડૂબતો જતો હતો. સમ્રાટની શાખાઓ વિસ્તરતી જતી હતી, પરંતુ એનાં મૂળ નિર્મૂળ થતાં જતાં હતાં. દાન કરતો હતો સમ્રાટ, પરંતુ ‘દાનધર્મ કરતો ન હતો.
એ સમ્રાટનો એક મિત્ર હતો. એની પાસે પુષ્કળ લક્ષ્મી હતી. એ સમયનો એ કુબેર જ હતો. એની સાગર જેવી તિજોરીમાં ચારે બાજુથી ધનની નદીઓ આવીને સમાઈ જતી હતી, પરંતુ જેવો સમ્રાટ દાનેશ્વરી હતો, તેવો આ મિત્ર કંજૂસ હતો. એક પૈસો પણ કોઈનેય આપતો નહીં. સર્વત્ર એની કંજૂસ તરીકે અપકીતિ ફેલાયેલી હતી. '
સમય વીતતો ગયો. સમ્રાટ અને ધનપતિ મિત્ર બંને જણા વૃદ્ધ થઈ ગયા. સમ્રાટ “હું દાની છું એ અભિમાનમાં ઊછળી રહ્યો હતો. ધનપતિઃ હું કોઈ સત્કર્મ કરી ન શક્યો’ એ વિચારથી ખિન્ન મનથી એ આત્મગ્લાનિથી પીડિત હતો.
અહંકાર અને આત્મગ્લાનિ એક રીતે તો સમાન જ છે. સમ્રાટ અહંકાર છોડતો નથી, તો કંજૂસ આત્મગ્લાનિ ત્યજતો નથી - બંને દુઃખી થઈ ગયા. પરંતુ ધનપતિના એક સદ્ગુરુ હતા. ધનપતિ એમનો અભિપ્રાય લેવા ગયો. તેણે સદ્ગુરુને કહ્યું અશાન્ત છું, જાણે કે આગમાં બળી રહ્યો છું મારે શાન્તિ જોઈએ છે.' સદ્દગુરુએ પૂછ્યું “તારી પાસે આટલો ધનવૈભવ છે, શક્તિ છે, સામર્થ્ય છે, તો પછી અશાંતિ ક્યાંથી ?”
ધનપતિએ કહ્યું હવે મને અનુભવ થઈ ગયો છે કે ધનમાં શાન્તિ નથી, માત્ર ધનથી જ શાન્તિ મળતી નથી!” ગુરુએ કહ્યું: ‘જા, અને તારી તમામ સંપત્તિનું દાન કરી દે, જેની પાસેથી લક્ષ્મી છીનવી લીધી હોય, એને પાછી આપી દે, જેની
અનિત્ય ભાવના
૧૧૭ |