________________
असकृदुन्मिष्य निमिषयन्ति सिन्धूर्मिवत् - વેતનાતનાઃ સર્વમાવાઃ | इन्द्रजालोपमाः स्वजनधनसंगमाः
तेषु रज्यन्ति मूढस्वभावाः ॥७॥ સમુદ્રનાં તરંગોની જેમ બધા સજીવ-નિર્જીવ પદાર્થ ઉત્પન્ન થાય છે અને વિનષ્ટ થાય છે. સ્વજન અને ધન-લક્ષ્મીના સંબંધો ઈન્દ્રજાલ જેવા હોય છે. છતાં પણ મૂઢ જીવ એમાં આસક્ત બને છે. ધન-લક્ષ્મીની અસ્થિરતા :
શરીર, સ્વજન, યૌવન, સંબંધ પાંચ ઇન્દ્રિયોના વિષયો....ઇત્યાદિની અનિત્યતાનું ચિંતન-વિવેચન કરી લીધું. હવે ધનલક્ષ્મીની ક્ષણભંગુરતાની અનિત્યતાનું ચિંતન કરવાનું છે. મનુષ્યને આજકાલ શરીર કરતાં વધારે મોહાસક્તિ થઈ ગઈ છે - ધનસંપત્તિમાં. ધનસંપત્તિની પાછળ પાગલ બનીને મનુષ્ય દોડતો જાય છે. એ ધનસંપત્તિની બાબતમાં શાન્ત ચિત્તે, સ્વસ્થ મનથી કંઈક વિચાર કરવો જરૂરી છે. નવી દ્રષ્ટિથી, જ્ઞાનવૃષ્ટિથી ચિંતન કરવું જરૂરી છેઃ “જે લક્ષ્મી, સંપત્તિ, જે ધન, દોલત ઉત્કૃષ્ટ પુણ્યકર્મના ઉદયથી ચક્રવર્તી વગેરે સમ્રાટ રાજાઓને મળે છે; એમની પાસે પણ એ શાશ્વતુ કાળ ટકતી નથી, તો પછી જેમનો પુણ્યોદય થયો નથી, જે અભાગી જીવો છે, એમની પાસે તો કેવી રીતે રહેશે? – કોઈ સમજે કે હું ઉચ્ચ કુળમાં જન્મ્યો છું. કેટલીય પેઢીઓથી ચાલી આવતી
સંપત્તિ છે, હવે તે કેવી રીતે જાય? - કોઈ વિચારે કે મારામાં ધૈર્ય છે, વિર્ય છે. લક્ષ્મીને જવા કેમ દઈશ? - હું પંડિત છું વિદ્વાન છું. મારી પાસેથી કોણ ધન છીનવી લેશે? - હું સૈનિક છું, પરાક્રમી છું. હું સંપત્તિને કેવી રીતે જવા દઈશ? - હું ધમત્મિા છું, ધર્મથી લક્ષ્મી આવે છે, જશે ક્યાંથી? - હું રૂપવાન છું, મારું રૂપ જોઈને દુનિયા ખુશ થાય છે, પછી લક્ષ્મી મને છોડીને . કેવી રીતે જશે? - હું સર્જન છું, પરોપકારી છું, લક્ષ્મી મારી પાસે જ રહેશે !
આ તમામ વિચારો મિથ્યા છે, વ્યર્થ છે, કારણ કે લક્ષ્મી ક્યારેય કોઈની પાસે સ્થિર રહેતી નથી. વધે વિખ મડ઼ કચ્છી |
તમે ગમે તેવા હો, જુવાન હો, ગુણવાન હો, પંડિત હો, શક્તિશાળી હો, ધર્માત્મા
અનિત્ય ભાવના
૧૧૫