________________
સંબંધોની નિઃસારતા:
ઉપાધ્યાયજી સાંસારિક વિષયોની અસ્થિરતાની વાત કર્યા પછી સંબંધોની નિઃસારતાની વાત કરે છે.
यैः समं क्रीडिता, ये च भृशमीडिताः
૨સાવિMહિ પ્રતિવા | तान् जनान् वीक्ष्य बत भस्मभूयंगतान्,
નિર્વિશ મ રૂતિ fથવ પ્રલિમ્ દા જે સ્નેહી - સ્વજનો અને મિત્રોની સાથે ખૂબ રમ્યા, જેમની સાથે સ્નેહસભર વાતો કરી, જેમની પ્રશંસા કરી, એમના મૃતદેહને સ્મશાનમાં બળતો જોઈને - ભસ્મીભૂત થયેલો જોઈને પણ આપણને જીવનની નશ્વરતાનો, સંબંધોની ક્ષણિકતાનો વિચાર નથી આવતો... આ આપણું કેવું પ્રમાદીપણું? ધિકાર છે આપણા પ્રમાદને !
ઘણી વાર એવું પણ બને છે કે પ્રિયજનોના મૃતદેહની ભસ્મ પવનમાં ઊડીને આપણા માર્ગમાં આવી પડે અને આપણે એ માર્ગેથી પસાર થતાં એ ભસ્મ આપણા પગની નીચે પણ આવી જાય ! આપણને કદી વિચાર આવ્યો કે “સ્વજનોની ભસ્મ આપણા પગ નીચે કચડીને ચાલીએ છીએ !'
સ્વજનોને, મિત્રોને, સ્નેહીઓને એમના મૃત્યુ પછી મનુષ્ય પ્રાયઃ જલદી ભૂલી જાય છે. નિઃશંક થઈને વિષયભોગમાં ડૂબી જાય છે, જાણે કે એમનું મૃત્યુ થયું જ ના હોય !
જે શરીર સાથે માતા, પિતા, બંધુ, પુત્ર, મિત્ર, પત્ની આદિ સાથે સંબંધ હોય છે, એમનાં શરીર બાળી નાખવામાં આવે છે, અથવા તો જમીનમાં દફનાવી દેવામાં આવે છે, અગર તો જંગલી પશુ એનું ભક્ષ્ય કરી જાય છે - બધું જ વિખરાઈ જાય છે. કોને ખબર કે ફરીથી એમનો સંબંધ થશે કે નહીં?
જે રીતે વૃક્ષની છાયામાં મુસાફર વિશ્રામ લે છે, પક્ષીઓ વિશ્રામ લે છે અને પછી સૌ પોતપોતાના સ્થાને ચાલ્યા જાય છેએ રીતે પરિવાર પણ એક વૃક્ષ જેવો છે. પોતપોતાના આયુષ્ય અનુસાર જીવ પરિવાર - કુટુંબમાં રહે છે અને પછી ભિન્નભિન્ન ગતિમાં ચાલ્યો જાય છે. એટલા માટે સ્વજનો સાથે મમત્વ બાંધવું વ્યર્થ છે, સ્વજનોના સંબંધો ક્ષણિક છે, અનિત્ય છે.
સ્વજનોના સંબંધોને અનિત્ય બતાવ્યા પછી ઉપાધ્યાયજી પુનઃ સ્વજન-સંયોગ અને ધન-લક્ષ્મીને સંયોગને ઈન્દ્રજાલ જેવા બતાવતાં જણાવે છે કેઃ
૧૧૪
| શાન્તસુધારસઃ ભાગ ૧|