________________
રચ્યું નથી, પરંતુ સંપૂર્ણ સ્વસ્થતાથી, બ્રહ્મચર્યના પાલન અર્થે અને ચિત્તની સમાધિ અવસ્થામાં કામશાસ્ત્રની રચના કરી છે.
આવી સ્વસ્થતા અને પરિપક્વતા પશ્ચિમની સભ્યતામાં રૂઢ બનેલી સેક્સવિષયક માન્યતાઓમાં તેમજ શાસ્ત્રોમાં બિલકુલ જોવા મળતી નથી. એમાં સર્વાંગી વૃષ્ટિનો અભાવ જોવા મળે છે. સેક્સવિષયક પશ્ચિમની વિકૃત વિચારધારા
પશ્ચિમના દેશોમાં કામશાસ્ત્રના જે સિદ્ધાંતો બનાવવામાં આવ્યા છે, તેમાં માત્ર અર્થ અને કામ - બે ઉપર જ ભાર મૂકવામાં આવ્યો - તેમના ઉપર જ ધ્યાન રહ્યું - ધર્મ અને મોક્ષ પુરુષાર્થની કલ્પના પણ એમને નથી આવી. સંભવ છે કે ધર્મ અને મોક્ષની વાતને “ફાલતું સમજીને એની ઉપેક્ષા કરવામાં આવી છે.
પશ્ચિમના શાસ્ત્રોનાં સિદ્ધાંતોની રચના કરનારા કેટલાક તો પૂર્વગ્રહબદ્ધ માનસવાળા, સંકીર્ણ ખ્યાલવાળા અને જાતે જ જાતીય વિકૃતિથી પીડિત હતા ! કહેવાય છે કે પશ્ચિમી સેક્સોલોજીનો પાયો નાખનાર હેવલોક એલિસ' જાતે જ કેટલીક જાતીય બાબતોમાં “એબ્નોર્મલ’ હતો.
આ સેક્સની બાબતમાં પશ્ચિમમાં અને પૂર્વમાં પણ જેને પથદર્શક માનવામાં આવે છે તે ફ્રૉઇડ પણ ખૂબ જ સ્વકેન્દ્રિત હતો, અતિ મહત્ત્વાકાંક્ષી, વિરોધીઓ પ્રત્યે અસહિષ્ણુ અને પ્રશંસાથી ખુશ થનારો હતો. મહત્ત્વપૂર્ણ વાત તો એ છે કે પશ્ચિમના સમગ્ર કામશાસ્ત્રનાં સિદ્ધાંતો અને ધ્યેય જિતેન્દ્રિયતા સિદ્ધ કરવા માટે ન હતાં. કમનસીબે ફ્રૉઇડે તેનું સંપૂર્ણ ધ્યાન કામવૃત્તિ ઉપર જ કેન્દ્રિત કર્યું હતું. યત્ર, તત્ર, સર્વત્ર તેને કામવૃત્તિ જ દેખાતી હતી! તમામ માનવસંબંધોમાં તેણે ડાયરેક્ટ યા. ઈનડાયરેક્ટ - જાગ્રત યા સુષુપ્ત દશામાં જાતીયવૃત્તિનું પ્રતિપાદન કર્યું. એણે તો એટલે સુધી કહ્યું કે પિતાને પુત્રી વધારે પ્રિય હોય છે અને માતાને પુત્ર પ્રિય હોય છે, તેમાં પણ આ કામવૃત્તિ અને વિજાતીય આકર્ષણ જ કારણભૂત હોય છે.
ફૉઇડ કહે છે. નાનાં બાળકોમાં પણ જાતીય ભૂખ હોય છે. એટલા માટે તો તે પોતાની નજીકમાં નજીક સ્ત્રી – માતા તરફ જાતીય આકર્ષણ અનુભવે છે !
ફ્રૉઇડના આવાં સિદ્ધાંતોનું ખંડન કરતાં પ્રસિદ્ધ માનસશાસ્ત્રી એરિક ફ્રેમે કહ્યું : ફ્રૉઈડ એક તરફ માતાના સ્નેહનો, મનુષ્યની ઇચ્છાનો સ્વીકાર કરે છે, તો બીજી તરફ ઈન્કાર કરે છે. માતા અને પુત્રની નેહવૃત્તિને જાતીયવૃત્તિ બતાવીને સાચા અર્થનો ઈન્કાર કરી દે છે. ફ્રૉઇડ માતાને એના પવિત્ર સ્થાનથી ભ્રષ્ટ કરીને એને જાતીય વાસનાનું સાધન બનાવી દઈને વેશ્યામાં ફેરવી નાખે છે.'
ફ્રૉઇડ વૃઢતાથી માનતો હતો કે પ્રેમ કામનાવૃત્તિજન્ય વિજાતીય સંબંધ જ હોય - અનિત્ય ભાવના