________________
વાચસ્પતિ મિશ્ર લજ્જિત થઈ ગયા. ૧૬ વર્ષથી એ સુંદરીએ એમની અને ગ્રંથની મૂક સેવા કરી હતી. પંડિતજી નતમસ્તક થઈ ગયા. પત્નીનું નામ ભામતી હતું, તેમણે ગ્રંથનું નામ ‘ભામતી રાખી લીધું. ગ્રંથ પત્નીને સમર્પિત કરી દીધો.
પંડિતજી પોતાની જ્ઞાનોપાસનામાં મગ્ન હતા. પોતાની સમગ્ર પ્રાણશક્તિ અને સંપૂર્ણ ઊર્જા એમાં સમાવિષ્ટ થઈ ગઈ હતી. એ એમનું સહજ બ્રહ્મચર્ય હતું. એ એમનું સહજ ઈન્દ્રિયનિગ્રહપણું હતું. સાચી અને ખોટી જીવનવૃષ્ટિઃ
મૂળ પ્રશ્ન છે - જીવનવિષયક વૃષ્ટિનો - ફિલોસોફીનો - જીવનદર્શનનો. એક દ્રષ્ટાંત ઉપરથી આ સમજાવું.
આપણા મહાનું પૂર્વજોએ હિમાલય, ગિરનાર, આબુ, શત્રુંજય, સંમેતશિખર જેવા પર્વતો ઉપર - ગિરિપ્રદેશોમાં જ્યાં જ્યાં રમણીયતાં જોઈ ત્યાં ત્યાં દેવમંદિરોનું નિર્માણ કર્યું. યાત્રાધામો બનાવ્યાં. જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા તો તેમણે હિલસ્ટેશનો' બનાવ્યાં. મંદિરની સાથે મંદિરના સહચારી ભાવ આવ્યા, હિલસ્ટેશનની સાથે હિલસ્ટેશનના સહચારી ભાવો આવ્યા. યાત્રાધામોએ તેમના પવિત્ર ભાવો ઊભા કર્યા. જ્યારે હિલસ્ટેશનોએ તેમની દુનિયા ઊભી કરી દીધી. | હિલસ્ટેશનોએ ત્યાંની પ્રજાને વિલાસી-સ્વચ્છંદી અને આમોદપ્રમોદથી ગંદીમલિન બનાવી દીધી. આ જે અંતર છે તે જીવન પ્રત્યેના અભિગમનું અંતર છે.
આ જ રીતે સેક્સ પ્રત્યેનો જે અભિગમ છે, એમાં પણ જીવનદ્રષ્ટિ - જીવનદર્શન જ મહત્ત્વપૂર્ણ રહ્યું છે. ભારતીય સંસ્કૃતિમાં કહેવામાં આવ્યું છે કે પર્યાખ્યો નમઃ | વાત્સ્યાયને પોતાના કામસૂત્ર'માં મંગલાચરણમાં ધર્મ, અર્થ, કામ, પુરુષાર્થને નમસ્કાર કર્યા છે. કામશાસ્ત્રોમાં સ્વાચ્ય છે, પરિપક્વતા છે અને એમાં દ્રષ્ટિ એકાંગી નથી, સવાંગી છે, સમગ્ર જીવનનો ખ્યાલ છે. વાત્સાયન ‘કામશાસ્ત્રની રચના કરી રહ્યા હતા. કામાનંદ કેવી રીતે પામવો એનું શાસ્ત્ર બનાવી રહ્યા હતા, પરંતુ એ ગ્રંથની રચનાનું પ્રયોજન શું હતું? પ્રેરણા કઈ હતી? તતત્ બ્રહ્મવર્ષે એટલે કે બ્રહ્મચર્યનું પાલન પરમ સમાધિમાં ચિત્તને એકાગ્ર કરીને, લોકયાત્રાને માટે મેં આ કામસૂત્ર' ગ્રંથની રચના કરી છે. એથી રાગ-કામ વધે એવી એની રચના નથી. ધર્મ, અર્થ અને કામ આ ત્રણે પુરુષાર્થનું આ શાસ્ત્રપોષક છે. આ શાસ્ત્રનો તત્ત્વજ્ઞ જિતેન્દ્રિય જ હોય છે.
ઈન્દ્રિયસુખનું આ શાસ્ત્ર ઇન્દ્રિયોનું ગુલામ બનવા માટે નથી, પણ સ્વામી બનવા માટે છે, મિત્ર બનવા માટે છે. રચના કરનાર ઋષિએ ઇન્દ્રિયસુખના નશામાં શાસ્ત્ર
૧૦૪
શાન્તસુધારસઃ ભાગ ૧