________________
કહે છે – हन्त हतयौवनं पुच्छमिव शौवनं
कुटिलमति तदपि लघु दृष्टनष्टम् । तेन बत परवशाः परवशाहतधियः
દુમિદ વિંગ ર નિ વિષ્ટમ્ રૂ . . ખરેખર કૂતરાની પૂંછડી જેવું વક્ર છે યૌવન, જોતજોતામાં તે (યૌવન) નષ્ટ થઈ જાય છે. યૌવનના જાતીય આવેગોમાં પુરુષ સ્ત્રીને પરવશ થઈ જાય છે, એની બુદ્ધિ કુંઠિત થઈ જાય છે. એ વિષયોના ઉપભોગ(સેક્સ)ની કટુતા. એનાં દુખપૂર્ણ પરિણામોને સમજી શક્યો છે? ઉપાધ્યાયજીને આશ્ચર્ય થાય છે, પરંતુ આ યૌવનની વાસ્તવિકતા છે. યૌવનમાં સેક્સી આવેગો એટલા પ્રબળ હોય છે કે બુદ્ધિશાળીઓની અને ધાર્મિકોની બુદ્ધિ કુંઠિત થઈ જાય છે. યુવાની પરિણામોનો વિચાર કરવામાં પ્રાયઃ સક્ષમ નથી હોતી, વાસ્તવિકતાના વિચારો પણ ઉન્મત્ત યૌવનકાળમાં અસંભવ છે.
અને યૌવનમાં પુરુષને સ્ત્રીનું અને સ્ત્રીને પુરુષના સમાગમની તીવ્ર ઇચ્છા સ્વાભાવિક હોય છે. સ્ત્રીને પુરુષનું અને પુરુષને સ્ત્રીનું આકર્ષણ તીવ્ર હોય છે, અને જેનું આકર્ષણ હોય છે તે જ્યારે મળી જાય છે ત્યારે એકબીજાને વશ થઈ જાય છે. એકબીજા વગર રહી શકતાં નથી. યૌવનકાળમાં કામપુરુષાર્થ જ પ્રધાન હોય છે.
ગ્રંથકાર - કાવ્યકાર ઉપાધ્યાયજી યુવકોને એટલું જ સમજાવવા માગે છે કે તમારું યૌવન સદાકાળ ટકનારું નથી. ક્ષણિક છે. કેટલાંક જ વર્ષ ટકનારું છે. એટલા માટે યૌવન ઉપર વિશ્વાસ ન રાખો. - યૌવનમાં પણ શરીર રોગગ્રસ્ત બની શકે છે અને ભોગ ભોગવવામાં
અશક્ત બની શકે છે. યૌવનકાળમાં પણ મોત આવી શકે છે, જીવન સમાપ્ત થઈ શકે છે. - યૌવનમાં પ્રિય પાત્રનો વિયોગ થઈ શકે છે. - યૌવનમાં નિરાશા-હતાશા ઘેરી વળી શકે છે -મન ડિપ્રેશનમાં ડૂબી જાય છે,
અને તેવા સમયે ભોગસુખ ભોગવી શકાતાં નથી. યૌવન વ્યર્થ લાગે છે. યૌવનને સાર્થક કરનારા
યૌવનમાં ભોગસુખોનો ત્યાગ કરીને, વિરક્ત બનીને, બ્રહ્મચર્યનું મહાવ્રત લેનારા મહામાનવોને યાદ કર્યા કરો. તો યૌવનમાં પણ ભોગવૃત્તિ ઉપર સંયમ આવી શકે છે. [૯૮ . .
. શાન્તસુધારસઃ ભાગ ૧]