________________
નથી. મેં સંબંધોને કદી સ્થાયી માન્યા નથી. મેં સ્વજનો સાથે મમત્વ બાંધ્યું નથી. એટલા માટે મને કોઈ દુઃખ નથી.
* કોઈ આવીને દુઃખ વ્યક્ત કરે છે - ‘આપે જે મિત્રને ખૂબ જ મદદ કરી હતી, પડેલાને બેઠો કર્યો હતો - હું જાણું છું.... તેણે આપને દગો દીધો ! તમને જ પાડવાની ચેષ્ટા કરી..... એ જાણીને ખૂબ દુઃખ થયું.’
તે જવાબ આપે છે ઃ “મારા મિત્ર, મારા બાહ્ય વ્યવહારથી તમે માની લીધું હતું કે એને મેં મારો મિત્ર માન્યો હતો, એની સાથે મારી લાગણી હતી ? ના, મેં તો એને મદદ કરી હતી, માત્ર કરુણાથી એને ઊંચે ઉઠાવવાનું કાર્ય કર્યું હતું સાધર્મિક સમજીને, પરંતુ મેં કદી એની પાસે પ્રતિ-ઉપકારની આશા રાખી ન હતી. અને જેવો તમે સમજો છો એવો મૈત્રીનો સંબંધ પણ બાંધ્યો ન હતો. મારી મૈત્રી તો સંસારના તમામ જીવો પ્રત્યે છે. એણે મને દગો દીધો નથી; દગો આપનાર તો મારું કર્મ છે.
આમ જોતાં દગો દીધો તો પણ શું થયું ? વૈષયિક સુખ જ ચાલ્યાં ગયાં ને ? મેં તો વિષયસુખોને ક્ષણભંગુર માન્યાં છે.
पश्य भंगुरमिदं विषयसुखसौहृदं पश्यतामेव नश्यति सहासं,
एतदनुहरति संसाररूपं रया
ज्जलदजलबालिका रुचि विलासम् ॥ २ ॥
જુઓ, વિચારો, વૈષયિક સુખોનો સંબંધ ક્ષણભંગુર છે. દગો દઈને, કપટ કરીને એ સંબંધ ચાલ્યો જાય છે - તૂટી જાય છે. આ સંસારની માયા વીજળીના ઝબકારા જેવી ચંચળ હોય છે.
પ્રબુદ્ધ મનુષ્યની યૌવન પ્રત્યેની દૃષ્ટિ :
સામાન્ય મનુષ્ય, અબુદ્ઘ મનુષ્ય વિષયસુખોને ભોગવવાનો યોગ્ય સમય યૌવનકાળને સમજે છે. ‘યૌવનકાળમાં પાંચ ઇન્દ્રિયોના વૈષયિક સુખભોગોને ભરપૂર રીતે ભોગવી શકાય છે.’ એવી દૃઢ માન્યતા છે. આમાં સ્ત્રીપુરુષનું સમાગમ-સુખ જ કેન્દ્રમાં હોય છે. યૌવનના પ્રારંભમાં જ જાતીયવૃત્તિ - સેક્સ જાગૃત થાય છે. એ વૃત્તિ પુરુષને સ્ત્રી તરફ અને સ્ત્રીને પુરુષ તરફ આકૃષ્ટ કરે છે. યુવાવસ્થામાં સ્ત્રીપુરુષની અંદર વિષયવાસનાનો આવેગ પ્રબળ હોય છે. એ આવેગને સંયમિત કરવો ખૂબ અઘરું કાર્ય છે, એટલા માટે યૌવનને જ ‘અનિત્ય - ક્ષણભંગુર' કૂતરાની પૂંછડી જેવું વક્ર બતાવીને, સમજાવીને યૌવનના ઉન્માદને શાન્ત કરવાનો ઉપાય કરતાં તેઓ
અનિત્ય ભાવના
૭