________________
પ્રયોગ કરીને અનુભવો. અનુભવ કરી લો, પછી જુઓ. પ્રબુદ્ધ આત્માની મનઃસ્થિતિ :
બહારથી તો શરીરાદિ ક્ષણભંગુર પદાર્થોની સાથે જ જીવવાનું છે. પરિવર્તન અંદર - અંતઃકરણમાં લાવવાનું છે. ક્રાન્તિ વૈચારિક ક૨વાની છે.
જ્યારે શરીર રોગગ્રસ્ત હોય,
જ્યારે સંપત્તિ ચાલી જાય - ઓછી હોય,
-
જ્યારે સ્વજનો મુખ ફેરવી લે, પારકાં બની બેસે,
જ્યારે મિત્ર શત્રુ બની જાય....
એ સમયે તમારું મન અશાન્ત, સંતપ્ત અને ઉદ્વિગ્ન ન બનવું જોઈએ. બસ, આટલું જ પરિણામ જોઈએ - ‘અનિત્ય ભાવના’ના ચિંતનનું. જે સમયે મૂઢ, અબુધ અને મૂર્ખ મનુષ્ય રહે છે - ઘોર દુઃખનો અનુભવ કરે છે, એ સમયે “અનિત્ય ભાવના’નું ચિંતન કરનાર પ્રબુદ્ધ મનુષ્ય સ્વસ્થ રહે છે, પ્રસન્ન રહે છે:
* કોઈ એને પૂછે છે - ‘તમારું શરીર આટલું રોગગ્રસ્ત બની ગયું છે.... અમને ખૂબ દુઃખ થાય છે. એ કહે છે - શરીર રોગગ્રસ્ત થવાનું જ હતું. હું તો પૂર્ણ નીરોગી છું, હું દુઃખી નથી; તમે પણ દુઃખી ન થાઓ.
* કોઈ આશ્વાસન આપતાં કહે છે - તમને વેપારમાં ખૂબ ભારે નુકસાન આવ્યું.... કરોડ - બે કરોડનું નુકસાન સાંભળ્યું છે, સાંભળીને દુઃખ થયું. તે કહે છે - આપની સહાનુભૂતિ માટે આભાર. આમ તો સંપત્તિને મેં મારી માની જ ન હતી. સંપત્તિને તો સદૈવ ચંચળ, અનિત્ય જ માનતો આવ્યો છું. એટલા માટે હું તો સંપત્તિ ચાલી જવા છતાં પણ સ્વસ્થ જ છું - મને કોઈ દુઃખ નથી !
* કોઈ સહાનુભૂતિ દેખાડતો કહે છે - “મને જાણીને અતિશય દુઃખ થયું કે તમને એકલા છોડીને છોકરાઓ અલગ થઈ ગયા ? વૃદ્ધાવસ્થાની શરૂઆતમાં પિરવારથી દૂર રહેવું ખૂબ દુઃખદ છે !' એ કહેશે - મિત્ર, હું સ્વજનોનાં સંબંધોને અનિત્ય જ માનતો હતો, અને માનું છું. જેવી રીતે જહાજમાં અથવા વાયુયાનમાં અનેક મુસાફરો એકત્ર થાય છે અને પોતપોતાનાં સ્થાન આવે છે ત્યારે તે મુસાફરો ઊતરી જાય છે, ચાલ્યાં જાય છે ને ? આપણે બધાં પણ ભવયાત્રાનાં મુસાફરો છીએ. મુસાફરોનો સંબંધ સ્થાયી નથી હોતો, ક્ષણિક હોય છે. અલ્પકાલીન હોય છે. પુત્રોનો, પત્નીનો, ભાઈબહેનોનો એ રીતે જ અનિત્ય હોય છે. તે ચાલ્યાં ગયાં, મને કોઈ દુઃખ
શાન્તસુધારસ ઃ ભાગ ૧
૯૬