________________
જોતો નથી કે જ્યારે વિષયસુખ ચાલ્યાં જશે, જ્યારે સ્નેહી-સ્વજનો મુખ ફેરવી લેશે, જ્યારે શરીર અને ઇન્દ્રિયો અશક્ત થઈ જશે, ત્યારે સંસારનો ત્યાગ કરીશું !
જ્યારે આવી સ્થિતિનું નિર્માણ થશે ત્યારે પ્રેમહત મનની તૃષ્ણા-મમતા વૃઢ થઈ ગઈ હશે! પોતાના હૃદયમાં પરિવાર આદિ વૈભવોનો વારંવાર વિચાર કરીને વ્યથી મોહિત થઈ જાય છે.
આ દ્રષ્ટિએ ઉપાધ્યાયજી મહારાજે કહ્યું છે. મૂઢ જીવનો મોહ:
मूढ मुह्यसि, मूढ मुह्यसि मुधा,
विभवमनुचिन्त्य हृदि सपरिवारम् । कुशशिरसि नीरमिव गलदनिलकम्पितं,
विनय जानीहि जीवितमसारम् ।। ઉપાધ્યાયજી પોતાની જાતને જ સંબોધિત કરતાં કહે છેઃ વિનય, તું જીવનને અસાર જાણ, નિઃસાર જાણ, કારણ કે જીવન ક્ષણિક છે. અતિ અલ્પકાલીન અને ચંચળ છે. ઘાસના પાન ઉપર રહેલા જળબિંદુ જેવું છે. પવનનો એક ઝપાટો આવતાં જળબિંદુઓ નીચે પડી જાય છે, એ જ રીતે મહાકાલનો ધક્કો-થપાટ લાગી જતાં જીવન સમાપ્ત થઈ જાય છે. એટલા માટે જીવન પ્રત્યે, વૈભવ પ્રત્યે, શરીર અને સ્વજનો પ્રત્યે વ્યર્થ મોહિત ન થા. પોતાના હૃદયમાં આ ક્ષણિક પદાર્થોનો વિચાર કરીને વ્યર્થરાગદ્વેષ કરે છે એ તારી મૂઢતા છે, મૂર્ખતા છે. પોતાના મનનું અનુશાસન કરે છે વિનયવિજયજી ! પોતાના મનને ફિટકારે છે..... “મૂઢ છે. તું મૂઢ છે...' એ શબ્દો વારંવાર વાપરી ઘોર ફિટકાર વરસાવે છે. “હે મન, તને ધિક્કાર છે કે તું સાંસારિક વૈભવોનો વારંવાર વિચાર કરે છે કે જે ક્ષણિક છે.”
જે ક્ષણિક, વિનાશી, ક્ષણભંગુર હોય છે, તેનો વિચાર જ ન કરવો જોઈએ -એની ઉપર મમત્વ બાંધવું ન જોઈએ. ક્ષણિક સાથે મમત્વ બાંધવું મૂઢતા છે, મૂર્ખતા છે.
હા, જે શરીરની સાથે જીવવાનું છે, જે પરિવાર સાથે જીવવાનું છે, જે પૌદ્ગલિક વિષયોનો ભોગ-ઉપભોગ કરવાનો છે, જે વૈભવ-સંપત્તિની સાથે જીવવાનું છે - એની સાથે મમત્વ બાંધવાનું નથી. એમની સાથે પ્રેમ કરવાનો નથી. એમના ઉપર વિશ્વાસ કરવાનો નથી. પ્રશ્નઃ ખૂબ મુશ્કેલ લાગે છે ઉત્તર : મુશ્કેલને સરળ બનાવવા માટે તો ભાવનાઓ ભાવવાની છે. ભાવનાઓના માધ્યમથી અનિત્ય ભાવનાને સહારે મુશ્કેલ કામ પણ સરળ બનશે. અનિત્ય ભાવના
૯૫
હરિ