________________
સ્વજન-પરિજનોમાં પરિવર્તનઃ 'જેવી રીતે શરીરની અવસ્થામાં પરિવર્તનશીલ છે, એ જ રીતે સ્વજન-પરિજન પણ પરિવર્તનશીલ હોય છે. ઉદાહરણોથી સમજાવું. - બાળક નાનું હોય છે ત્યાં સુધી માતાપિતાને પ્રિય હોય છે, પણ જ્યારે તે
મોટો થાય છે અને માતાપિતાનું કહેવું માનતો નથી, માતાપિતાની સેવા
કરતો નથી, ત્યારે એ પુત્ર પ્રત્યે માતાપિતાને રોષ આવે છે. - જે પુત્રને માતાપિતાની ઉપર પ્રેમ હોય છે, તે લગ્ન પછી માતાપિતા ઉપર
પ્રેમ નથી રાખતો. મનદુઃખ થતાં પરસ્પર ઝઘડા થાય છે અને પુત્ર
માતાપિતાથી અલગ થઈ જાય છે. - પતિપત્ની વચ્ચે પ્રારંભમાં પ્રેમ હોય છે. પાછળથી પરસ્પર રોજનો ક્લેશ,
અણબનાવ.... ઝઘડા શરૂ થઈ જાય છે. - બે મિત્રો વચ્ચે જ્યારે સ્વાર્થ આવી જાય છે ત્યારે પ્રેમના સ્થાને શત્રુતા આવી
જાય છે. - સ્વજન-પરિજનનો સ્નેહ પ્રાયઃ સ્વાર્થજન્ય હોય છે. જ્યારે એકબીજાનો
સ્વાર્થ પુષ્ટ થાય તો પ્રેમ કરે છે, પરંતુ સ્વાર્થપૂર્તિ નથી થતી તો સ્વજનપરિજનો બદલાઈ જાય છે. શત્રુતાભર્યો વ્યવહાર કરે છે. સ્વજન-પરિજનોનો સંબંધ આવો પરિવર્તનશીલ હોય છે, છતાં પણ તેમના પ્રત્યે મૂઢ મન આસક્ત રહે છે. એનું મમત્વ તૂટતું નથી.
અમે એક વૃદ્ધાશ્રમમાં ગયા હતા. એ સમયે ત્યાં માત્ર પ-૭ વૃદ્ધ પુરુષો હતા. તેમને તમામ પ્રકારની સુવિધાઓ પ્રાપ્ત હતી. મેં પૂછ્યુંઃ અહીં તમને શાન્તિ મળે છે ને? શાન્તિથી ધર્મ-આરાધના તો થાય છે ને? તેમણે કહ્યું વારંવાર ઘર, સ્વજનપરિવાર યાદ આવે છે - મનમાં રાગદ્વેષ થાય છે.'
જે પરિવારે જે સ્વજનોને આ વૃદ્ધોને તેમનાં જ ઘરોમાંથી બહાર કાઢી મૂક્યા હતા, આશ્રમમાં મોકલી દીધા હતા, જે સ્વજનો એમનાં મુખ જોવા માગતાં ન હતા. એ સ્વજન-પરિજન પ્રત્યે અત્યારે પણ એ વૃદ્ધોને મમત્વ હતું - પ્રેમ હતો ! આવો પ્રેમ કરનારા મનને પ્રેતહત ન કહીએ તો શું કહીએ?
જેમનપ્રેતહત નથી હોતું, જે મન મૂઢ નથી હોતું, જેમન જ્ઞાનવિજ્ઞાનથી વાસિત હોય છે, તે પ્રથમથી જ સંસારના પદાર્થોને પરિવર્તનશીલ માની લે છે; વૈષયિક સુખોને દુઃખદાયી માની લે છે અને તેમનો ત્યાગ કરીને સંયમમાર્ગ પર - ચારિત્રમાર્ગ ઉપર ચાલે છે. વૈષયિક સુખોને અને સ્વજન-પરિજનોનો ત્યાગ કરી દે છે. એ રાહ
L. શાન્ત સુધારસઃ ભાગ ૧]