________________
ખાલી થાય છે. જે ચડે છે તે ઊતરે છે. જે લીલું હોય છે તે સુકાઈ જાય છે અને જે નવું હોય છે તે જીર્ણ થાય છે. બધું જ પોતાની મર્યાદામાં હોય છે. કાલ-મહાકાલ સર્વભક્ષી હોય છે.’ પદાર્થોનાં પરિવર્તનની કેટલી સરસ વૉત કરી છે કવિએ ? પરિવર્તનશીલ પદાર્થો સાથે પ્રેમ નહિ ઃ
૧. શિશુઅવસ્થા,
૨. બાલ્યઅવસ્થા,
૩. તરુણઅવસ્થા,
૪. યુવાવસ્થા, ૫. પ્રૌઢાવસ્થા,
૬. વૃદ્ધાવસ્થા.
અવસ્થાને અનુરૂપ મનના ભાવોનું અને શરીરની ક્રિયાઓ - કર્મોનું પણ પરિવર્તન થાય છે ને ?
કોઈ વાર શરીર નીરોગી હોય છે, કોઈ વાર શરીર રોગગ્રસ્ત હોય છે.
– કોઈક વાર શરીર સુંદર હોય છે, તો કોઈ વાર અકસ્માતમાં શરી૨ કુરૂપ પણ થઈ જાય છે.
કોઈ વાર ઠંડું હોય છે, તો કોઈ વા૨ ગરમ હોય છે.
આવા શરીર ઉપર ભરોસો રાખીને એને પ્રેમ શા માટે કરવો ?
એક કવિએ કહ્યું છે.કે
-
ક્યા તન માંજતા રે,
એક દિન મિટ્ટી મેં મિલ જાન.....
જ્ઞાનાનંદજીએ શરીરને ‘મઠ’ની ઉપમા આપીને અને આત્મા(અવધૂ)ને એ
મઠમાં સૂતેલો જોઈને કહ્યું –
કરે
અવધૂ ! ક્યા સોતા ઇસ મઠ મેં ? ઇસ મઠ કા હૈ ક્વણ ભરોસા ? પડ જાયે ચટપટ મેં.....અવધૂ.
પાની કિનારે મઠ કા વાસા, ક્વણ વિશ્વાસ એ તટ મેં ? અવધૂ.
છિન મેં તાતા, છિન મેં શીતલ, રોગ-શોક બહુ મઠ મેં...... અવધૂ.
શાન્તસુધારસ ઃ ભાગ ૧