________________
દ્રવ્યાત્મક અને ભાવાત્મક. પરિવર્તન : દ્રવ્યાત્મક અને ભાવાત્મકઃ
- સવારે પુષ્પ ખીલે છે, સાંજે કરમાઈ જાય છે. - સવારે સ્નાન કરેલું શરીર સાંજે ગંદુ થઈ જાય છે. - સવારે જે વસ્ત્રો સુંદર લાગે છે, તે સાંજે મેલાં થઈ જાય છે. - સવારનું પ્રિય ભોજન, સાંજે અપ્રિય લાગે છે. આ બધાં દ્રવ્યાત્મક પરિવર્તન
કહેવાય છે. - સવારે પ્રિય વચન સંભળાવનાર સ્વજન સાંજે અપ્રિય શબ્દોની વર્ષા કરે છે. - સવારે જેના પ્રત્યે સ્નેહ હોય છે તેના પ્રત્યે સાંજે દ્વેષ થાય છે. - સવારે જેના પ્રત્યે દુભવ હોય છે તેને માટે સાંજે સદ્ભાવ પેદા થાય છે. આ બધાં ભાવાત્મક પરિવર્તનો છે. જેનાં રૂપ, રસ, ગંધ બદલાતાં રહે છે અને જેમના રાગદ્વેષ અને મોહ આદિ ભાવ બદલાય છે. એવા જડ પદાથો પ્રત્યે પ્રેમ થવો ન જોઈએ. પ્રેમ પરિવર્તનશીલ પદાર્થપ્રત્યે ન થવો જોઈએ. શાશ્વતું સાથે જ થવો જોઈએ. અનિત્ય - પરિવર્તનશીલ પદાર્થ સાથે પ્રેમ ન થવો જોઇએ. શાશ્વતુ સાથે કરેલો પ્રેમ તૂટી જતો નથી. એટલા માટે પરમાત્મા સાથે પ્રેમ કરવો, કારણ કે પરમાત્મા શાશ્વત છે !
પરંતુ વાસનાના પ્રેતથી આહત મન, અનિત્ય અને પરિવર્તનશીલ પદાર્થો સાથે જ પ્રેમ કરે છે, આવા મનને કેવી રીતે સમજાવવું? ઉપાધ્યાયજીએ “ચેતઃ પ્રેતહત' કહ્યું છે. પ્રેત એટલે ભૂત, વ્યંતર! ભૂતપ્રેત કહીએ છીએ ને? જેને ભૂતપ્રેત વળગે છે એ વિવેકશૂન્ય વર્તન કરે છે. એની પાસે પોતાની સમજદારી હોતી નથી. સામાન્યતયા ભૂતપ્રેત નિર્બળ અને ચંચળ ચિત્તવાળાને જલદી વળગે છે. ઉપાધ્યાયજીને શંકા થઈ કે શું મારા મનને ભૂતપ્રેત લાગી ગયું છે? અન્યથા પ્રત્યક્ષ પરિવર્તનવાળા પદાર્થો પ્રત્યે મારું મન કેમ પ્રેમ કરે છે? પદાર્થોની અનિત્યતા બતાવતાં શામળ ભટ્ટે કહ્યું છેઃ * જે જાયું તે જાય, જે ફૂલ્યું તે ખરશે.
ભર્યું તે ઠલવાય, ચડ્યું તે તો ઊતરશે. લીલું તે સુકાય, નવું તે જૂનું થાશે.
આવરદાવશે સર્વ કાલ સૌ કોને ખાશે. જે જન્મે છે તે નાશ પામે છે. જે ખીલે છે તે કરમાય છે. જે ભરેલું હોય છે તે
અનિત્ય ભાવના
૯૧ ;