________________
સંતોનો ઉદાસીન ભાવ:
ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી ‘અનિત્ય ભાવનામાં ૬ વાતોની અનિત્યતા બતાવીને એક પ્રશ્ન પૂછે છેઃ
तत्किं वस्तु भवे भवेदिह मुदामालम्बनं यत्सताम् ?' આ સંસારમાં એવી કઈ વસ્તુ છે કે જેથી સંતો સજ્જનોને હર્ષ પ્રદાન કરે ? એવી એક પણ વસ્તુ નથી કે જેથી સંતોને હર્ષ થાય! હું સતાનો અર્થ સંતપુરુષ કરું છું. સંતપુરુષો એ છે કે જે આત્મજ્ઞાની હોય છે. જડ અને ચેતનનો ભેદ જેમણે જાણ્યો છે. આત્મા અને પુદ્ગલનું ભેદજ્ઞાન જેમણે મેળવ્યું છે. એટલા માટે સંસારમાં સંતપુરુષ હર્ષ-શોકથી મુક્ત હોય અને ઉદાસીન ભાવમાં રહેતા હોય છે. ચિદાનંદજીએ કહ્યું છેઃ
ધન્ય ધન્ય જગ મેં તે પ્રાણી, જે નિત રહત ઉદાસ,
શુદ્ધ વિવેક હિયે મેં ધારી, કરે ન પર કી આસ. સંસારમાં ઉદાસીન ભાવથી જીવવું સરળ નથી, એટલા માટે ઉદાસીન ભાવથી જીવનારા સંતોને ચિદાનંદજી ધન્યવાદ આપતાં કહે છે: “ધન્ય! ધન્ય.’ આ વાત ત્યારે જ બને જ્યારે ભીતરમાં ‘શુદ્ધ વિવેકનો ઉદય થાય. એટલે કે અચેતનનું ભેદજ્ઞાન સ્પષ્ટરૂપમાં ઉભાસિત થાય.
શરીર, આયુષ્ય, જીવન, સંપત્તિ, વૈયક્તિક સુખ, સ્વજન, પરિવાર ઇત્યાદિ પ્રત્યે મોહિત થતો નથી, એ જ રીતે ઉદ્વિગ્ન પણ થતો નથી. રાગદ્વેષ રહિત ઉદાસીન સ્થિતિ પ્રાપ્ત થાય છે. આવી સ્થિતિ પામવી વિદ્વાનો માટે પણ મુશ્કેલ હોય છે. એ વાતને ગાતાં નિરાશાના સૂરમાં વિનયવિજયજી કહે છેઃ
प्रातभ्रातरिहावदातरुचयो ये चेतनाऽचेतना, द्रष्टा विश्वमनः प्रमोदविदुरा भावाः स्वतः सुन्दराः । तांस्तत्रैव दिने विपाकविरसान् हा नश्यतः पश्यत
श्चेतः प्रेतहतं जहाति न भवप्रेमानुबन्धं मम ॥ હું જાણું છું. જોઉં છું કે જે ચેતન - અચેતન પદાર્થ પ્રભાતમાં શોભાયમાન હોય છે, તે મનને પ્રસન્ન કરી દે છે. આફ્લાદક એટલે કે આકર્ષક હોય છે એ જ પદાર્થો સંધ્યા સમયે નીરસ, નિસ્તેજ અને અનાકર્ષક બની જાય છે. આ પ્રત્યક્ષ જોવા છતાં પણ મારું પ્રેમહત મન, મૂઢ મન એ પદાર્થોનો પ્રેમ-મોહ, રાગ છોડતું નથી. આ ખૂબ દુઃખદ વાત છે. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જડ-ચેતન પદાર્થોમાં પરિવર્તન આવે છે. એ પરિવર્તનની પ્રક્રિયાને ઉપાધ્યાયજીએ જોઈ છે. પરિવર્તન બે પ્રકારના હોય છે?
૯૦
શાન્તસુધારસ : ભાગ ૧