SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ++ ++ ++++++++સમ્યકત + + * * * * * * * * * * અવસ્થાવાળું.” “અપની મિથ્યાત્વસ્વભાવ' એટલે મદનકોદરા -ચોખાની. હલકી જાતવિશેષ)ના ષ્ટાન્નથી જેમાં સમકતનું આપાદાન કર્યું હોય. (મદનકોદરા સ્વભાવથી મદ પેદા કરે છે. તેને ખાંડવાઆદિથી શુદ્ધ કરવામાં આવે, ત્યારે ત્રણ વિભાગ થાય છે. કેટલાક કોદરા પોતાનો મેદસ્વભાવ ગુમાવી શુદ્ધસ્વરૂપ પામે છે. કેટલાક કોદરા અર્ધશુદ્ધ બને છે. અને કેટલાક એવા ને એવા અશુદ્ધ રહે છે. તેમાં અશક, રહેલા કોદરાતુલ્ય મિથ્યાત્વ, અર્ધશુદ્ધતુલ્ય મિશ્ર અને શુદ્ધતુલ્ય સમ્યકત્વ છે. મૂળ મિથ્યાત્વસર્જક મિથ્યાત્વમોહનીય કર્મના દલિકોપર જયારે કરણાદિ પ્રક્રિયા થાય છે, ત્યારે આમ બને છે.) શંકા:- વિષ્કસ્મિતઉદયવાળા મિથ્યાત્વને “અનુદીર્ણ કહેવું બરાબર છે, કેમકે વિપાકથી ઉદય નથી. પરંતુ મિથ્યાત્વનું જ જે સમ્યકત્વ રૂપે થયું, તે તો વિપાકથી અનુભવાય છે. તેથી તે રૂપે અનુદીર્ણ શી રીતે યોગ્ય ગણાય? સમાધાન:- તમારી વાત બરાબર છે. પણ તે સમ્યકત્વરૂપ પણ દૂર કરાયેલા મિથ્યાત્વસ્વભાવવાળું હોવાથી તેમાં મિથ્યાત્વરૂપે વેદન-અનુભવ નથી. તેથી ઉપચારથી અનુદીર્ણ કહેવામાં કોઇ દોષ નથી. અથવા “ચ પદ દૂર સંબંધિત છે. તેનો ઉપશાન્તપદ પછી અન્વય કરવો. તેથી જે મિથ્યાત ઉદીર્ણ થયું તે નાશ પામ્યું અને જે અનુદીર્ણ છે, તે કાંક ઉપશાન્ત શેય... ઉપશાન એટલે સમ્યકત્વરૂપે પરિણામ પામેલું શ્રેય.. આમ ક્ષય-ઉપશમરૂપ મિશ્રભાવે પરિણામ-સ્વભાવ પામેલું અને તે રૂપે અનુભવાતું, અર્થાત પ્રદેશોદયરૂપે મિથ્યાત્વ અને વિપાકોદયરૂપે સમ્યકત્વનો અનુભવ કરાવતું સમ્યકત્વ લાયોપથમિક સમ્યક્ત કહેવાય. શકા:- “લયોપશમાદિ ભેદવાળું શુભઆત્મપરિણામરૂપ સમ્યકત્વ છે. આવા આગમવચનના પ્રમાણથી તો સમ્યકત્વ આત્મપરિણામરૂપે સિદ્ધ છે. તેથી મિશ્રભાવરૂપે પરિણત અને વેદાતું લાયોપથમિક સમ્યકત્વ છે. આવા કથનમાં વિરોધ આવશે. કેમકે અહીં તો સમ્યકત્વરૂપને પામેલા મિથ્યાત્વના દલિકો (કર્મયુદગળો) જ તેવારૂપે વેદાઇ રહ્યા છે. સમાધાન:- અહીં દોષ (વિરોધ) નથી. કેમકે તે સમ્યકત્વરૂપે અનુભવાતા મિથ્યાત્વકર્મના પૌદ્ગળિકલિકો જીવના તેવા આત્મપરિણામમાં કારણ બનતા હોવાથી “કારણમાં કાર્યોપચાર' ન્યાયથી તેઓમાં સમ્યકત્વનો ઉપચાર કરી શકાય. પ૭૯૭ ઔપથમિક સમ્યકત્વ अधुनोद्देशक्रमानुसरणत औपशमिकं सम्यक्त्वमाह - હવે ઉદેશના ક્રમને અનુસારે ઔપશમિક સમ્યકત્વનું સ્વરૂપ બતાવે છે. उवसमियसेढिगयस्स होइ उवसामियं तु सम्मत्तं । जो वा अकयतिपुंजी अखवियमिच्छो लभइ सम्मं ॥७९८॥ (औपशमिकश्रेणिगतस्य भवति औपशमिकं तु सम्यक्त्वम् । यो वाऽकृतत्रिपुञ्जोऽक्षपितमिथ्यात्वो लभते सम्यक्त्वम्॥). उपशमश्रेणिगतस्य-औपशमिकश्रेणिमनप्रविष्टस्य सतो भवत्यौपशमिकमेव सम्यक्त्वम् । तुरवधारणे । अनन्तानबन्धिनां दर्शनमोहनीयस्य चोपशमेन निर्वृत्तमौपशमिकम् । 'जोवेत्यादि' यो वाऽकृतत्रिपुञ्जः-तथाविधमन्दपरिणामोपेतत्वादनिर्वर्तितसम्यक्त्वमिथ्यात्वोभयरूपपञ्जत्रयोऽक्षपितमिथ्यात्व:-अक्षीणमिथ्यात्वः, क्षायिकसम्यग्दृष्टिव्यवच्छेदार्थं चैतद्विशेषणं, लभते-प्राप्नोति यत्सम्यक्त्वं तदौपशमिकमिति । इह हि कश्चिजन्तुस्तथाविधतीव्रपरिणामोपेतत्त्वेनापूर्वकरणमुपारूढः सन् मिथ्यात्वं त्रिपुञ्जीकरोति । “अप्पुव्वेण तिपुंज मिच्छत्तं कुणइ कोद्दवोवमया" (छा. अपूर्वेण त्रिपुञ्ज मिथ्यात्वं करोति कोद्रवोपमया) इतिवचनात् । ततः सोऽनिवर्तिकरणसामर्थ्यात्सम्यक्त्वमुपनयन् क्षायोपशमिकमेव सम्यक्त्वमुपयाति, मिश्रीभावपरिणतस्य दलिकस्य विपाकतो वेद्यमानत्वात् । यस्तु तथाविधमन्दपरिणामोपेतत्वादपूर्वकरणमुपारुढोऽपि सन् मिथ्यात्वस्य त्रिपुञ्जीकरणासमर्थः सोऽनिवर्तिकरणसामर्थ्यादुदीर्णस्य मिथ्यात्वस्यानवयवशः क्षयात् अनुदीर्णस्य सर्वथा विष्कम्भितोदयत्वात् उषरदेशकल्पं मिथ्यात्वविवरमासाद्य औपशमिकमेव सम्यक्त्वमधिगच्छतीत्यागमोपनिषत् । तत इहोक्तं નો વા ગતિપુનીત્યાર’ I૭૧૮ . ગાથાર્થ:- ઉપશમશ્રેણિમાં પ્રવેશેલો જીવ ઔપશમિક સમ્યકત્વ જ પામે છે. (જકારઅર્થક છે.)અનન્તાનુબન્ધી ચાર (ક્રોધ, માન, માયા અને લોભ) કષાય અને દર્શનમોહનીયત્રિક (સમ્યગ, મિશ્ર અને મિથ્યાત્વ) (આ ૪+૩૭ દર્શનસપ્તકતરીકે ઓળખાય છે.) ના ઉપશમથી ઉત્પન્ન થતું સમ્યકત્વ ઔપશામક છે. (આ થઈ ઉપશમશ્રેણિતની વાત, કાર્મગ્રંથિકમતે બદ્ધાયુક સાયિક સમ્યકતી પણ ઉપશમશ્રેણિ માંડી શકે. હવે પ્રથમ વખત સમ્યકત્વ પામનારની અપેક્ષાએ કહે છે.) અથવા તો તેવા પ્રકારના મંદ પરિણામના કારણે જેને સમ્યકત્વ, મિથ્યાત્વ અને સમ્યકત્વમિથ્યાત્વરૂપ ત્રણjજ કર્યા નથી (આમ તો સાયિકસમ્યકત્વી પણ અકૃત્રિપુંજ છે, પણ તેણે મિથ્યાત્વનો નાશ કર્યો છે, તેથી તેનાથી ભિન્નતા દર્શાવવા બીજું વિશેષણ કહે છે “અખયમિચ્છો'-) અને જેને મિથ્યાત્વનો * * * * * * * * * * * * * * * * ધર્મસંગ્રહણિ-ભાગ ૨ - 114 * * * * * * * * * * * * * * *
SR No.006034
Book TitleDharm Sangrahani Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAdinath Jain Shwetambar Jain Mandir Trust
Publication Year1996
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy