SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ यथा संस्थानविशेषः, इदमुक्तः भवति--यथा भूतानां चित्रस्वभावतया घटपटादीनां भूतकार्यत्वाविशेषेऽपि संस्थानविशेषः प्रतिव्यक्ति भिन्नो भवति, तथा चैतन्यमपि विषमगत्या भविष्यतीति । अत्रोत्तरमाह--'ओहेणं कारणाण तं अत्थि' 'कारणानां' मृत्पिण्डतन्त्वादीनाम् 'ओपेन' सामान्येन, प्रतिव्यक्ति भिन्नं 'तत् संस्थानमस्ति, तथाविधाऽविशिष्टोद्मद्याकारोपलम्भात् । ततः कार्याणामपि घटपटादीनां, तथाविशिष्टदेशकालकादिसामग्रीभावेन, तद्भेदः संस्थानभेदः, प्रतिव्यक्ति भिन्नो युक्त एव । न च वाच्यं-चैतन्यमप्येवं भविष्यतीति । यत आह--'न य चेयन्नं कहंचिदवि' न च चैतन्यं 'कथंचिदपि' केनापि प्रकारेण संस्थानवद्विषमगतिकं युक्तं, प्रत्येकं पृथिव्यादिभूतेषु सामान्येन तस्य विषमगत्याऽनुपलम्भनात् । तस्मात् सर्वत्राप्यविशेषेण तस्य भावोऽभावो बा युक्तो, न चैतदस्तीति यत्किंचिदेतत् ॥ ९३ ॥ अपि च-जीवद्देवदत्तशरीरादौ धम्मिणि चैतन्यशून्यत्वं साध्यं, ततस्तस्य प्रतिषेधे कृते सति हेतुर्विपक्षगमनेन दुष्टः स्यात्, स च तत्प्रतिषेधो दुस्साध्य :, तथा चाह भूतफलत्तं चेयण्णसुण्णया नेति एत्थ किं माणं? ।। णो पच्चक्खं जम्हा सदत्थविसयं तयं सिद्धं ॥ ९४ ॥ (भूतफलत्वं चैतन्यशून्यता नेति अत्र किं मानम्। । नो प्रत्यक्षं यस्मात् सदविषयं तकत् सिद्धम् ॥) - - - - - - - - - - - - - - - - - — — — — — — — —દેવદત્તના શરીરમાં ચૈતન્ય દેખાય છે, પરંત ઘટ-પટમાં દેખાતું નથી. સારાંશ: સર્વત્ર સમાનતયા ચૈતન્ય ઉપલબ્ધ થતું નથી. તેથી નાસ્તિકની દલીલ તુચ્છ છે. ૯૩ (ભૂતકાર્યસાધક પ્રમાણ ખંડન) નળી અમારે જીવતા દેવદત્તના શરીરવગેરેરૂપ ધર્મ-પક્ષમાં ચૈતન્યનો અભાવ સિદ્ધ કરવો છે. તેમાં “ભૂતોનું કાર્ય હોવાથી એ હેતુ છે. હવે જો એ શરીરમાં ચૈતન્યના અભાવનો પ્રતિષેધ (ચૈતન્યની હાજરી) સિદ્ધ કરાય, તો ઉપરોક્ત હેતુ વિપક્ષમાં (ચૈતન્યના અભાવની વિરુદ્ધ ચૈતન્યવાળા ધર્મમાં) રહ્યો ગણાય, અને તો તે દુષ્ટ ગણાય. પરંતુ ચૈતન્યના અભાવનો પ્રતિષેધ સિદ્ધ કરવો દુ:સાધ્ય છે. આ જ વાત આચાર્યદેવ કહે છે ગાથાર્થ :- ભૂતનું કાર્ય હોવા છતાં જીવતા દેવદત્તના શરીરવગેરેમાં ચેતનાનો અભાવ નથી, એમ કહેવામાં તમારી(નાસ્તિક)પાસે શું પ્રમાણ છે ? પ્રત્યક્ષ કે અનુમાન ? એટલો ખ્યાલ રાખવો કે પ્રમાણ વિના કેઈ ઈષ્ટ વસ્તુની સિદ્ધિ થતી નથી. અહીં પ્રત્યક્ષપ્રમાણ કામ નહિ આવે. કેમકે પ્રત્યક્ષપ્રમાણ તો નજીક રહેલા, વિદ્યમાન, તથા ઈન્દ્રિયથી અનુભવને યોગ્ય વસ્તુને જ પોતાનો વિષય બનાવે છે. તેથી આ પ્રમાણ વસ્તુના અભાવને વિષય ન બનાવી શકે. તેથી આ પ્રમાણ પ્રતિષધમાં પ્રવૃત્ત થઈ શકે નહિ. મૂળકારશ્રી આ જ કહે છે-“નો પચ્ચકખમિ ઈત્યાદિ. પ્રત્યક્ષપ્રમાણ વિદ્યમાનઅર્થવિષયક જ છે તેમ બધાને વિરોધ વિના માન્ય છે. તેથી પ્રતિષેધના વિષયમાં આ પ્રમાણ કામ નહિ આવે. જા નાસ્તિક :- ભલે, ત્યારે પ્રત્યક્ષ પ્રમાણ કામ ન આવે અનુમાન પ્રમાણ તો કામ આવશેને નાસ્તિકની આવા આશયની સામે આચાર્ય કહે છે ગાથાર્થ :- અનુમાનપ્રમાણ પણ અહીં યુક્તિસંગત નથી. કેમકે લોકમાં વિશિષ્યલગઆદિનો વિરહ છે. (વિવલિતસાધ્યઅર્થના અભાવમાં જેની વિદ્યમાનતા અસંગત ઠરે તે સાધ્યઅર્થનું લિંગ બને. “આદિપદથી અન્યથા અનુપપત્તિમાં કારણભૂત સંબંધવિશેષનો સમાવેશ કરવો.) અહીં “લોકમાં એમ કહીને અમારે એવું કહેવું છે કે “અમારી પ્રતિભામાં ખામી છે. માટે લિંગ દેખાતું નથી, એમ નથી પરંતુ વાસ્તવમાં જ જગતમાં લિંગ નથી માટે દેખાતું નથી. કેમકે ભૂતની કાર્યતારૂપ લિંગ હેતુ ચૈતન્યવાળારૂપ વિપક્ષમાંથી ચૈતન્યશૂન્યતારૂપ વ્યાપક સાધ્યની અનુપલબ્ધિ થવાથી નિવૃત્ત થાય છે. તેથી ચેતનાન્યતા સાથે વ્યામિ સંબંધ ધરાવે છે.” તાત્પર્ય :- સર્વત્ર ભૂતનું કાર્ય ચૈતન્યશુન્ય જ દેખાય છે તેથી શારીરૂપ ભૂતકાર્યમાં પણ ચૈતન્યશૂન્યતા જ સંભવે છે. ભૂતનું કાર્ય ચૈતન્યયુક્ત હોય, તેવું સાધક કોઇ લિંગદર્શન થતું નથી.) નાસ્તિક:- આકાર અનુમાન બની શકે છે. જ્યાં જ્યાં શરીરરૂપ આકાર હોય છે ત્યાં ત્યાં ચૈતન્ય હોય છે. જેમકે પોતાનામાં. આ જ પ્રમાણે જીવતા દેવદત્તના શરીરમાં કાયાકાર આકાર દેખાય છે માટે ત્યાં ચૈતન્ય લેવું જોઈએ. આ કાયાકાર આકાર જ ચૈતન્યનું કારણ છે. તેથી તેની હાજરીમાં ચૈતન્ય હોય તે સંગત જ છે. અને કાયાકાર ચૈતન્યના અનુમાનમાં લિંગ છે. તેથી “ચે આગારો તિ' મૂળમાં કાયાકાર અનુમાન છે તેમ કહ્યું. 1 ઉત્તરપલ :- તમને કાયાકરપરિણામ ચૈતન્યના કારણતરીકે ઈષ્ટ છે. પણ કારણ સર્વત્ર કાર્યથી સંલગ્ન જ હોય તેવો નિયમ નથી. કેમકે કારણની કાર્ય સાથે વ્યાપ્તિનો અભાવ સંભવે છે. (દા.ત. ધૂમનું કારણ અનિ છે. પણ સર્વત્ર અગ્નિસ્થળે ધૂમાડો હોય જ તેવો નિયમ નથી. દા.ત. લોખંડના ગોળામાં રહેલા અગ્નિથી ધૂમાડો ઉત્પન્ન થતો નથી.) તેથી જ કહ્યું છે કે કારણ અવય કાર્યયુક્ત જ હોય તેવો નિયમ નથી. આમ કારણસ્થળે કાર્યના અવશ્યસંભવનો નિયમ ન હોવાથી કાર્યના અનુમાનમાં કારણ લિંગ બની શકે નહિ. તેથી કાયાકારરૂપ કારણથી ચૈતન્યરૂપ કાર્યનું અનુમાન થઈ ન શકે. (ાચ કિંઈ શંકા કરે કે અવિક્લ કારણસામગ્રીના સભાવમાં અવશ્ય કાર્ય હોય જ, અન્યથા (૧). કારણસામગ્રીની કારણતા અનુપપન બને અને (૨) ૌર્યના નિશ્ચિત કારણસામગ્રીના ઉપાદાનનો વ્યવહાર લોપાય જાય. તેથી જ અવિક્લકારણસામગ્રીસ્થળે કરણથી કાર્યનું અનુમાન પણ ઈષ્ટ ધર્મસંગ્રહણિ ભાગ-૧
SR No.006033
Book TitleDharm Sangrahani Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1994
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy