________________
इति न 'तत्र' परासौ काये वायुरस्ति, ततस्तदभावात्तत्र चैतन्याभाव इति । अत्राह--सति शुषिरे स वातः कथं न भवेत्?, भवेदेवेति भावः, शुषिरे वश्यंभावी वायुः संभाव्यत इति । किञ्च--यदि तत्र वायुवैकल्याच्चैतन्यस्याभावः, ततो बस्त्यादिभिः संपादिते वायौ तत्र चैतन्यमुपलभ्येत, न च तत्र संपादितेऽपि વાયૌ સમુપત ૬૭ લાદ--
ण य तं कएवि दीसइ पाणापाणणभावतो णो चे ।
- જો ની વામાવાતો વિમેત્ય માનતિ વરબં? / ૬૮ (न च तत्कृतेऽपि दृश्यते प्राणापानयोरभावानो चेत् । न जीवाभावात् किमत्र मानमिति वक्तव्यम् ।) -— — — — — — — - - - - - - -
- - - -
-- - - - ઉત્પત્તિ થાય છે. નહિ કે સર્વથા અસત પર્યાયોની. તેથી “સર્વથા અસતની ઉત્પત્તિ ન થાય તેવા અમારા નિયમને બાધ કે વ્યભિચારોષ આવતો નથી. આ બાબતમાં સૂકમબુદ્ધિથી વિચાર કરવો. તથા આચાર્ય પોતે જ આગળ ઉપર આ બાબતમાં વિસ્તાર કરશે. - આ પ્રમાણે (૧)સર્વથા અસત્ની ઉત્પત્તિ ન થાય અને (૨) કારણથી સર્વથા વિલક્ષણકાર્યની ઉત્પત્તિ ન થાય ઈત્યાદિ સિદ્ધ થાય છે. એટલે જ ભૂતોના તેવાપ્રકારના ભાવથી ચૈતન્ય ઉપપન્ન થઈ શક્યું નથી. ભૂતોને તેવા પ્રકારના પરિણામથી ચૈતન્યનો ઉદ્ભવ કે ભૂતોના સમુદાયથી અત્યન્ત અસત્ ચૈતન્યની ઉત્પત્તિ સંભવતી નથી, કેમકે ચૈતન્યમાં ભૂતોના ધર્મો ઉપલબ્ધ થતા ન હોવાથી ચૈતન્ય ભૂતોથી અત્યન્ત વિલક્ષણ છે.
શંકા :- ચૈતન્યમાં ભૂતોના ધર્મો ઉપલબ્ધ નથી તેમ શી રીતે કહી શકાય ?
સમાધાન :- ભૂતોના હ્નિતા, દવા, ચલત્વ વગેરે ધર્મો છે. ચૈતન્ય ક્યારેય પણ આવા ધર્મોવાળા તરીક અનુભવાતું નથી. પરંતુ ભૂતોમાં ક્યારેય ઉપલબ્ધ ન થતા અમૂર્તત્વ બોધત્વ વગેરે ધર્મોથી સંલગ્નરૂપે જ અનુભવાય છે. આ વાત દરેકને સ્વસવદનસિદ્ધ છે. તેથી ચૈતન્ય ભૂતોના કાર્ય તરીકે સિદ્ધ થતું નથી. દા.
આ પ્રમાણે કાયાકારરૂપે પરિણત થયેલા ભૂતોમાંથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે એવી, પ્રતિજ્ઞાને મોટા વિસ્તારપૂર્વક દૂષિત કરી. હવે “ભૂતોના ભાવમાં ચૈતન્ય હોય છે. એવા હેતુને શેષગ્રસ્ત જાહેર કરવાની ભાવનાથી કહે છે.
(વાયુના અભાવમાં ચૈતન્યાભાવનું ખંડન) નાસ્તિકોએ “ચૈતન્યને ભૂતકાર્યતરીક સિદ્ધ કરવા હેતુ આપ્યો કે કાયાકારરીક પરિણત થયેલા. ભૂતસમુદાયમાત્રની હાજરીમાં ચૈતન્ય ઉપલબ્ધ થાય જ છે. તેથી ભૂતોથી ભિન્ન એવા આત્મારૂપ કારણાન્તરની ચૈતન્યને અપેક્ષા નથી" આ વાત બરાબર નથી. કેમકે પ્રાણ વિનાના ખોળીયા તરીકે રહેલું શરીર ચૈતન્યહીન દેખાય છે.
નાસ્તિક - જ્યારે પૃથ્વી, અપ(પાણી) અગ્નિ અને વાયુરૂપ ભૂતચતુષ્ટયનો સમુદાય ભેગો થાય છે. ત્યારે ૪ ચૈતન્ય હોય છે. મૃતશરીરમાં વાયુનો અભાવ છે. આમ ભૂતચતુષ્ટયના સમુદાયમાંથી એક્તત્વનો અભાવ થવાથી જ 'મૃતશરીરમાં ચૈતન્ય ઉપલબ્ધ થતું નથી.
ઉત્તરપલ :- આ વાત બરાબર નથી. કેમકે કાયા પોલાણવાળી હોવાથી તેમાં વાયુનો અભાવ શી રીતે સંભવે ? પોલાણ હોય, તો વાયુ અવશ્ય હોય જ' આવો નિયમ હોવાથી મૃતશરીરમાં પણ વાયુની અવયતયા ઉપસ્થિતિ છે જ. તેથી તેના અભાવમાત્રથી ચૈતન્યનો અભાવ કહી દેવો વ્યાજબી નથી. વળી ક્રાચ માની લો, કે. “મૃતશરીરમાં વાયુના અભાવથી ચૈતન્યનો અભાવ છે.' તો પણ બસ્તિવગેરે દ્વારા એ શરીરમાં વાયુ પૂરવાથી તો ચૈતન્ય ઉપલબ્ધ થવું જ જોઇએ, કેમકે હવે, તો ભૂતચતુષ્ટયમાંથી એકપણ તત્વ ગેરહાજર નથી. પરંતુ વાયુ પૂરવા માં મૃત શરીરમાં ચૈતન્યના કોઈ અંશ દેખાતા નથી. તેથી વાયુના અભાવથી ચૈતન્યનો અભાવ કહેવો વ્યાજબી નથી. દાદા
આજ વાત કરતા કહે છે .
-“આમ વાયુના સંપાદનમાં પણ ચૈતન્ય દેખાતું નથી,' એમ સૂરિ કહે છે - ત્યાં નાસ્તિક નિષ્ફળ દલીલ કરે – મૃતકાયમાં વાયુનો અભાવ છે તે વાયુસામાન્યના અભાવને ઉદ્દેશીને નહિ પણ પ્રાણ અને અપાનરૂપ વાયવિશેષના અભાવને ઉદ્દેશીને % છે. તેથી વાયુ પૂરવા માત્રથી કંઈ ચૈતન્ય ઉપલબ્ધ ન થાય. પ્રાણ-ઉચ્છવાસ. અપાનઃ- નિસ્વાસ. ગન્ધહસ્તીએ % જ છે - “પ્રાણાપાન એટલે ઉચ્છવાસ–
નિસ્વાસ(શ્વાસોચ્છવાસ). આમ મૃતશરીરમાં શ્વાસોચ્છવાસ વાયુનો અભાવ હોવાથી જ તેમાં ચૈતન્ય નથી. (“એ” શબ્દ વ્યદિ (જો) અર્થમાં નિપાતરૂપ છે. તેથી જો નાસ્તિક આમ ઇચ્છતા હોય માનતા હોય એવો અર્થ પ્રાપ્ત થાય છે.)
ઉત્તરપલ :- “મૃતશરીરમાં જીવનો અભાવ હોવાથી ચૈતન્યનો અભાવ છે એમ ને માનતા સ્વાસોચ્છવાસના અભાવથી ચૈતન્યનો અભાવ છે તેમ માનવામાં તમારી પાસે ક્યું પ્રમાણ છે ? તે બતાવો. કેમકે પ્રમાણ વિના અભિપ્રેત અર્થની સિદ્ધિ થતી નથી. પ્રમાણ વિના માત્ર સ્વેચ્છાથી સર્વ અર્થની સિદ્ધિ કરવામાં તો બધા જ તેમ કરવા માંડે ઈત્યાદિ અતિપ્રસંગ આવે. અને વાસ્તવમાં પ્રાણાપાનના અભાવમાં ચૈતન્યના અભાવનું સાધક પ્રમાણ મળતું નથી. તેથી આ દલીલ તુચ્છ છે. '
ધર્મસંગ્રહણિ ભાગ-૧ છે જ