SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ तब्भावम्मि य भावो ण परासुरचेयणो जतो काओ । दीयइ ण तत्थ वाऊ सति सुसिरे सो कह ण होज्जा? ॥ ६७ ॥ तद्भावे च भावो न परासुरचेतनो यतः कायः । दृश्यते न तत्र वायुः सति शुषिरे स कथं न भवेत् ।) यदुक्तं तदावे कायाकारादिपरिणतभूतसमुदायमात्रभावे चैतन्यस्य भाव एव, येन तदतिरिक्तात्मलक्षणकारणान्तरापेक्षा तस्य न स्यात् । कुत इत्याह--'यतो' यस्मात् 'परासुः 'अपगतप्राणः कायोऽचेतनो दृश्यते, स्यादेतत्पृथिव्यप्तेजोवायुलक्षणभूतसमुदयजन्यं चैतन्यं, न चात्र वायुरस्ति । तथाचाह--'न तत्थ वाऊ -- - - — — — — — — — — — — — — — — — — — — — — — — — — — - -- ------- અહી નાસ્તિકનો બીજો ભાઈ કહે છે- જો ઘટવગેરે કાર્યો પરમાણુઓના સમુદાયરૂપ હોય, તો પ્રત્યેક અવસ્થામાં રહેલા પરમાણુઓ ઈન્દ્રિયગ્રાહ્યા બનતા ન હોવાથી તેઓનો સમુદાય પણ શી રીતે ઈન્દ્રિયગ્રાહા બની શકે ? પ્રત્યેક અવસ્થામાં ન હોય, તે સમુદિતઅવસ્થમાં પણ ન આવે એવો નિયમ તો તમને પણ માન્ય છે જ. તેથી ઘડા વગેરેને પરમાણુઓના કાર્યરૂપ માનશો, તો તેઓ પણ પરમાણુની જેમ ચક્ષુવગેરે ઈન્દ્રિયના વિષય બનવા જ જોઇએ. આ સમાધાન :- પરમાણુઓનો ઘટાદિ સ્થળદ્રવ્યરૂપે પરિણામ પામવાનો સ્વભાવ છે. તેથી તે વખતે તેઓમાં ઈન્દ્રિયગ્રાહાતા સ્વભાવ પણ હોય છે. પરમાણુઓમાં જ એવો સ્વભાવ છે કે જેથી તેઓ તે તે કાળઆદિને અપેક્ષીને ત્યાં ત્યાં તેવા પ્રકારના પ્રગટ થયેલા એક્વપરિણામની નિરન્તરતાથી વિશિષ્ટસંસ્થાનવાળા અને બાદર બને છે. તાત્પર્ય - પરમાણુઓમાં જ દેશકાળાદિને અપેકીને (૧) પરસ્પર એકરૂપતા પામવાની (૨) તે દ્વારા ઘટઆદિ આકારતયા લાંબો કાળ ટક્વાની અને (૩) તેવી સમુદિતઅવસ્થામાં બાદર બનવાની યોગ્યતા(સ્વભાવ) રહેલી છે. તેથી તેઓ પ્રત્યેક અવસ્થામાં ઈન્દ્રિયગ્રાહ્ય ન હોવા છતાં ઘટાદિ સમુદિત અવસ્થામાં ઈન્દ્રિયગ્રાહ્ય બની શકે છે. રાંકા :- આ બાદરપણું શું છે ? સમાધાન :- સમ્યગ ભેગા થયેલાઓનું ઈન્દ્રિયથી ગ્રાહ્ય થવાના સ્વભાવપણું. ટૂંકમાં કહીએ તો સ્થળપણું એજ બાદરપણું છે. નાસ્તિક:- જો સૂમપરમાણુઓમાં ઈન્દ્રિયગ્રાહ્યસ્વભાવતાની સત્તા હોત, તો તેઓના સમુદાયમાં તે સ્વભાવની સત્તા પુષ્ટ બનત, અને સમુદાય ઈન્દ્રિયગ્રાહા બની શક્ત. (જેમકે પ્રત્યેક તલમાં તેલની સત્તા છે, તો તેના સમુદાયમાં તેની સત્તા ઉપચિત થાય છે અને તેલનો જથ્થો ઉપલબ્ધ થાય છે) પરંતુ સૂમ પરમાણુઓમાં ઈન્દ્રિયગ્રાહા સ્વભાવતાની સત્તા નથી. તેથી તેઓનો ગમે તેટલો મોટો સમુદાય થાય, તો પણ તે સત્તા પુષ્ટ થઈ શકે નહિ. તેથી સમુદિતઅવસ્થામાં રહેલા પરમાણુઓમાં ઈન્દ્રિયગ્રાહ્માસ્વભાવતા સ્વીકારવી ન્યાયસંગત નથી. (જેમકે રેતીના કણમાં તેલની સત્તા નથી, તેથી સમુદાયમાં પણ તે સના પુષ્ટ થતી નથી. તેથી તેના સમુદાયમાં પણ તેલ ઉપલબ્ધ થતું નથી.) ઉત્તરપક્ષ :- આ યુક્તિ બરાબર નથી. કેમકે સ્વભાવોની વિચિત્રતાના કારણે પરમાણુઓના સમુદાયમાં ઈન્દ્રિયગ્રાહ્યસ્વભાવતા ન્યાયસંગત બે છેસ્થૂળત્વ અને સૂક્ષ્મત સંબંધી સ્વભાવની વિચિત્રતા પ્રત્યક્ષથી જ દષ્ટ છે. જુઓ, વજનથી પ્રાયઃ સરખા હોવાના કારણે ભૂંડ અને વજુમાં સરખા પરમાણુઓ હોવાનું અનુમાન કરી શકાય. માં પણ બન્નેના ક્રમાં જે તફાવત છે, તે આબાળગોપાળ પ્રસિદ્ધ છે. જેમ સમાન પરમાણુવાળા આ બેમાં ક્રમશ: આપેક્ષિક સ્થળતા અને સુથમતા સ્વભાવભેદથી યુક્તિસંગત કરે છે, તેમ સમુદિત અવસ્થામાં રહેલા સૂક્ષ્મ પરમાણુઓમાં ઈન્દ્રિયગ્રાહાસ્વભાવતા પણ સ્વભાવની વિચિત્રતાથી જ યુક્તિસંગત ઠરે છે. તેથી ઘટવગેરે કાર્યો પરમાણુઓના સમુદાયરૂપે અને સ્થૂળતરીક સિદ્ધ થાય છે. તેથી જ અત્યન્ત અસત્ ઘડાવગેરેની ઉત્પત્તિની માન્યતા પણ અસિદ્ધ ઠરે છે. કેમકે અત્યન્તઅસની ઉત્પત્તિ સંભવતી નથી નાસ્તિક:- “અત્યન્ત અસત્ની ઉત્પત્તિ ન જ થાય તેવા તમારા નિયમને પર્યાયો દ્વારા વ્યભિચારદોષ લાગે છે તે વાત અમે આગળ કરી જ છે. ઉત્તરપલ :- તમારી તે વાત પણ અસત્ છે. દ્રવ્ય પોતે. અનંતશક્તિઓથી યુક્ત છે. તેથી દ્રવ્ય પોતેજ તે તે પર્યાયરૂપે પરિણામ પામે છે. તેથી પર્યાયોની ઉત્પત્તિપૂર્વે સર્વથા અવિદ્યમાનતા અસિદ્ધ છે. કેમકે પૂર્વે પણ તદ્યોગ્ય દિવ્યરૂપે તેઓ વિદ્યમાન હોય છે. જો મલિંડવગેરે દ્રવ્ય જ જે તે પર્યાયરૂપે પરિણામ પામતા ન હોય, તો ઘઆદિપ પર્યાયો દલવિનાના= ઉપાદાનસામગ્રી વિનાના થઈ જવાથી ઉત્પન્ન જ થઈ શકે નહિ. તેથી મૃત્પિપૂડાદિ દ્રવ્ય જ પૂર્વરૂપને છોડી અન્યથારૂપે પરિણામ પામે એજ ઘટાદિપર્યાયોની ઉત્પત્તિરૂપ છે. તેમ સ્વીકારવું રહ્યું નાસ્તિક:- આ પર્યાય દ્વવ્યનું કંઈક અન્યથા થવામાત્રરૂપ હય, તો પણ તે અન્યથાભવનરૂપ પર્યાય પૂર્વે અસનું જ ઉત્પન્ન થાય છે. આમ અત્યન્સઅસની ઉત્પત્તિ સિદ્ધ છે. તેથી તેનાદ્વારા તમારા ઉપરોક્તનિયમને વ્યભિચાર આવે જ છે. ઉત્તરપલ :- આમ કહેવામાં સાર નથી. કેમકે આ અન્યથાભવનરૂપ પર્યાય વ્યથી ક્યૂચિત અભિન્ન છે. તેથી પૂર્વે દ્રવ્ય સન્ હોવાથી એ પર્યાય પણ તે રૂપે કથંચિત્ સત્ જ હોય છે. તેથી પૂર્વે થંચિત્ સત્ પર્યાયોની જ ધર્મસંસાહસિ ભાગ-૧ ૦ ૦૦.
SR No.006033
Book TitleDharm Sangrahani Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1994
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy