________________
स्मरणकार्यान्यथानुपपत्त्या सुषुप्त्यवस्थायां चैतन्यमस्तीति नियमात् प्रतिपत्तव्यम्, तथाहि-- सुषुप्त्यवस्थाभाविस्वप्नादिचैतन्यविषयं स्मरणमविगानेनानुभूयते, न चाननुभूते तत् स्मरणमुपपद्यते, अतिप्रसङ्गात् । न च कायान्वयनिबन्धनमेव तत्स्मरणं, तथाप्रतीत्यभावात्, तत्स्वरूपसंस्पर्शिस्मृत्यननुभूतेस्तथापि चेदेवं कल्पना तर्ह्यतिप्रसङ्गः । न चं तथास्वभावत्वसामर्थ्यात् कायादेव तत्समरणमिति वाच्यं तस्य तथास्वभावत्वासिद्धेः, तत्साधकप्रमाणाभावात् । तस्मादनुभूतसुषुप्त्यवस्थाभाविचैतन्यविशेषनिबन्धनमेव तत्स्मरणम् । तथाच सिद्धं - - सुषुप्त्यवस्थायामपि चैतन्यमिति । एतेन प्रागपि यदुक्तं तथापि चेत्तत्कल्पना' इत्यादि तदपि निर्विषयमापादितं द्रष्टव्यं प्रबुद्धावस्थाभाविचैतन्यस्य सुषुप्त्यवस्थाभाविचैतन्यपूर्वकत्वेनैव व्यवस्थापितत्वात् । यदप्यभ्यधायि, 'न चेदमपि वक्तुं युक्तं, चैतन्यापेक्षया अत्यन्तवैलक्षण्यादित्यादि तदपि न मनोरमम्। सूक्ष्माप्रदेशपरमाणूनां स्थूलप्रदेशघटादिकार्यापेक्षया अत्यन्तवैलक्षण्यासिद्धेर्मूर्त्तत्वादिधर्म्मसमन्वयात्, तथाहि-- सूक्ष्मा अप्यणवो मूर्त्ता रूपाद्यात्मकत्वात् न च अप्रदेशा एव परमाणवः, सतः क्वचिदवस्थानेन नियमत एव दिग्विभागभेदस्वभावात्, अन्यथा अवस्थानायोगात् । दिग्विभागभेदवतश्च नियमतः कथंचित्सप्रदेशत्वात् । न च वाच्यमेवं सति परमाणोः परमाणुत्वं विरुध्यत इति । तस्य तदन्याल्पतराभावनिबन्धनत्वात्, एतच्चोत्तरत्र विस्तरतरकेणाचार्यः स्वयमेव दर्शयिष्यति । ततश्चैवंभूतेभ्यः परमाणुभ्यस्तत्समुदायात्मकं स्थूलसप्रदेशघटादिकार्यमुपपद्यत एव कारणविशेषधर्मानुगमेन तस्य तदनुरूपत्वात्। अपरस्त्वाह-
ભાવનાવિશેષથી અપ્રીતિવગેરેદ્વારા ચૈતન્યમાં વિકાર દેખાય છે. વળી તમે તો અપ્રીતિવગેરે વિના દેહના વિકારમાત્રથી પણ ચૈતન્યમાં વિકારનો સ્વીકાર કર્યો છે. તેથી ચૈતન્ય અપ્રીતિવગેરે ભાવોના પણ અન્વયવ્યર્તિરને અનુસરતું નથી. આમ દેહ અને અપ્રીતિવગેરે ભાવો આ બન્ને ચૈતન્યના હેતુ બનતા ન હોવાથી ચૈતન્યને નિર્હતુક માનવાનો પ્રસંગ આવે છે. આમ દેહવિકારપૂર્વક ચૈતન્યનો વિકાર સિદ્ધ થતો નથી. (ઘણીવાર ઘડપણઆરૂિપ દેહવિકારની હાજરીમાં પણ ચૈતન્યનો વિકાર થતો નથી, લોકમાં તો એવી વ્હેવત પણ છે કે ઘરડા ગાડા વાળે") તેથી ચૈતન્યવિકારને અપ્રીત્યાદિભાવપૂર્વક જ માનવો યુક્તિયુક્ત છે. કેમકે તે પ્રમાણે દેખાય છે. અને જો ચૈતન્યવિકારમાં અપ્રીત્યાદિને પણ કારણ ન માનો, તો તેને નિર્હેતુક જ માનવાનું રહેશે.
નાસ્તિક :– અપ્રીતિવગેરેની હાજરીમાં થતો પણ ચૈતન્યવિકાર પરમાર્થથી તો દેહવિકારપૂર્વક જ છે. કેમકે ઘડપણવગેરે અવસ્થાઓમાં તે જ પ્રમાણે દેખાય છે. તે આ પ્રમાણે-ઘડપણવગેરેથી દેહવિકાર થાય છે. આ દેહવિકારથી અપ્રીતિ, અસ્વાસ્થ્યવગેરે ભાવો જન્મે છે.
ઉત્તરપક્ષ :– આ વાત પણ બરાબર નથી. કેમકે દેહના વિકારના અભાવમાં પણ તેવા પ્રકારના સંલ્પોને કારણે અપ્રીતિવગેરે ભાવો પ્રગટતા દેખાય છે. વળી દેહવિકારમાત્રની હાજરીમાં ચૈતન્યનો વિકાર દેખાતો હોવાથી જો ચૈતન્યને દેહના કાર્યતરીકે સ્વીકારો, તો વિપરીતલ્પનાની આપત્તિ દુર્નિવાર બનશે. કેમકે શોક, હર્ષવગેરે અવસ્થામાં ચૈતન્યના વિકારથી દેહમાં વિકાર થતો દેખાય છે. (શોકઆદિ વખતે ગ્લાનિ, શતાવગેરે અને હર્ષઆદિ વખતે પ્રફુલ્લતા, પુષ્ટિ વગેરે દેખાય છે.) આમ ચૈતન્યના વિકારથી દેહનો વિકાર સિદ્ધ થતો હોવાથી દેહને ચૈતન્યથી ઉત્પન્ન થયેલો માનવાની મોટી આપત્તિ છે.
વાસ્તવમાં તો જે ચૈતન્યના વિકારમાં નિમિત્તભૂત હોય, તેનાથી ચૈતન્ય ઉત્પન્ન થાય તેવો નિયમ જ બરાબર નથી. વાઘ આવે છે ચોર આવે છે ‘રાક્ષસ આવે છે વગેરે વચનના શ્રવણથી અને લોહીવગેરેના દર્શનમાત્રથી પણ ભયવગેરેથી કેટલાક્ના ચૈતન્યમાં વિકાર ઉત્પન્ન થાય છે. પણ એ શબ્દશ્રવણથી કે લોહીદર્શનથી ચૈતન્યની ઉત્પત્તિ કોઈને ઇષ્ટ નથી. તેથી ચૈતન્યના વિકારના બળપર ચૈતન્યની કાયાથી ઉત્પત્તિ માનવી બરાબર નથી.
વળી ઉંઘની અવસ્થામા ચૈતન્યનો અભાવ છે, કેમકે ઉપલબ્ધિને યોગ્ય હોવા છતા તેની ઉપલબ્ધિ થતી નથી” ઇત્યાદિ નાસ્તિકોનો જે પોકાર છે તે પણ બેકાર છે. કેમકે સ્વવેદનમાત્ર અને અવ્યક્ત એવું ચૈતન્ય તે વખતે (=ઉઘવખતે) પણ અનુભવાય જ છે. કેમકે આ બાબત લોકોમાં નિર્દોષતયા પ્રસિદ્ધ છે. તેથી જ ચૈતન્યના અભાવમાં લોકો મૃતનો વ્યવહાર કરે છે અને ચૈતન્યની અવ્યક્નિકાળે સુપ્ત(=સુતેલા)નો વ્યવહાર કરે છે. ‘સુતેલા”ને કોઇ મરેલો' માનતા નથી.) વળી સ્મૃતિરૂપ કાર્યની અન્યથાઅનુપપત્તિ થતી હોવાથી પણ સુષુપ્તિઅવસ્થામાં ચૈતન્ય અવશ્ય છે” તેમ સ્વીકારવું જ જોઇએ. તથાહિ—ઉંઘમાં જોયેલા સ્વપ્નોઆપિ ચૈતન્યસંબંધી સ્મરણ જાગૃતકાળે નિર્ભ્રાન્તરૂપે અનુભવાય છે. અર્થાત્ ઉંઘમાં જોયેલા સ્વપ્નો તે પછીની જાગૃત અવસ્થામાં યાદ આવે જ છે. અને એ વાત તો સર્વમાન્ય છે, કે જે અનુભવ્યું હોય, તેનું જ સ્મરણ થાય. નહિ અનુભવેલી વસ્તુનું સ્મરણ થતું નથી. નહિ અનુભવેલી વસ્તુનું પણ સ્મરણ માનવામાં સર્વદા સર્વવસ્તુના સ્મરણઆરૂિપ અતિપ્રસંગ આવે.
નાસ્તિક :– સુષુપ્તિકાળે જે શરીર હોય છે, તે જ શરીર તે પછીની જાગૃતઅવસ્થામાં હોય છે. આમ સુષુપ્તિકાળના શરીરનો જાગૃતકાળે અન્વય થાય છે. આ અન્વયના કારણે જ સુષુપ્તિકાળે જોયેલા સ્વપ્નોનું તે પછીના જાગૃતકાળમાં સ્મરણ થાય છે.
ઉત્તરપક્ષ :—આ વાત બરાબર નથી. કેમકે સુષુપ્તિકાળના શરીરના સ્વરૂપસાથે સંબંધ ધરાવતી સ્મૃતિનો અનુભવ થતો નથી. આમ સ્મૃતિમાં શરીરના અન્વયની નિમિત્તતા પ્રતીત થતી ન હોવાથી એ સ્મૃતિમાં શરીરના અન્વય
ધર્મસંગ્રહણિ ભાગ-૧ - ૯૮