________________
अह धम्मी, तत्तंतरसिद्धी, अब्भुवगमम्मि य पदोसो ।
धणिमित्तेण तु भेया, ण य भूतेहिं तदुप्पत्ती ॥ ६२ ॥ (अथ धर्मी, तत्त्वान्तरसिद्धिः, अभ्युपगमे च प्रद्वेषः । ध्वनिमात्रेण तु भेदात्, न च भूतेभ्यस्तदुत्पत्तिः ॥)
अथ न प्रत्येक भूतानि नापि भूतसमुदायश्चैतन्यस्य धर्मी, किन्तु स्वयमेव तद्धम्मिरूपं, तच्च घटादिवत् भूतेभ्य उत्पद्यते, ततो न कश्चिद्दोष इति। अत्राह-'तत्त्वान्तरसिद्धि':, यद्येवमिष्यते तर्हि तत्त्वान्तरसिद्धिप्रसङ्गः। तथा च सति 'चत्त्वार्येव पृथिव्यादीनि तत्त्वानीति' तत्त्वसंख्यानियमव्याघातप्रसङ्गः । सूत्रोक्ततत्त्वानामुपलक्षणत्वाददोष इति चेत्, न, तथा सत्यात्मप्रतिषेधानुपपत्तेः । एतदेवाह--अभ्युपगमे च तत्त्वान्तरस्य क्रियमाणे प्रद्वेषः स्वकृतान्तस्य भूतव्यतिरिक्त आत्मा नास्तीत्यादिकस्य भवत आपद्यते। कुत इत्याह-ध्वनिमात्रेणैव भेदात, तथाहि-त्वया भूतव्यतिरिक्तं धर्मिरूपं चैतन्यमस्तीत्यभ्युपगम्यते, अस्माभिस्तु तदेव भूतातिरिक्तं जीव इति । यदप्यक्तं तच्च घटादिवत् भूतेभ्य उत्पद्यत इति, तदप्ययुक्तं, कुत इत्याह--'न येत्यादि न च भूतेभ्यस्तस्य
चैतन्यस्योत्पत्तियुज्यते, तत्साधकप्रमाणाभावात्, न हि चैतन्यस्य भूतकार्यत्वे किमपि प्रमाणमुपलभामहे, तथाहिन तावत्प्रत्यक्षम्, अतीन्द्रियविषये तस्याभावात्, न हि उत्पन्नमनुत्पन्नं वा चैतन्यं भूतानां कामिति प्रत्यक्षव्यापारमुपैति, तस्य स्वयोग्यसन्निहितार्थग्रहणरूपत्वात्, चैतन्यस्य चामूर्त्तत्वेन तदयोग्यत्वात्, न च भूतानामहं कार्यमित्येवमात्मविषयं भूतकार्यत्वं प्रत्यक्षमवगन्तुमलं,कार्यकारणभावस्यान्वयव्यतिरेकनिश्चयसमधिगम्यत्वात्, व्यतिरेकनिश्चयनिबन्धनस्य चानुपलम्भस्य तत्राभावात्, न च तदुभयातिरिक्तः कश्चिदन्वयी तदुभयान्वयव्यतिरेकज्ञाताऽभ्युपगम्यते, आत्मसिद्धिप्रसङ्गात, नाप्यन्यत्प्रमाणं, तस्यानभ्युपगमात्, 'प्रत्यक्षमेवैकं प्रमाणं, नान्यदितिवचनात् अभ्युપામેડપિ તો વિતતાર્થપ્રતીસિદ્ધિ, અધિકૃતવૈતન્યવહુનો તથાપત્વ સી--- મૈતન્ચ થવ્યાદ્રિ
- - - - - - - - - - -- બને જ નહિ કે “અહી કારણભૂત ભૂતો ન હોવાથી કાર્યરૂપ હું પણ નથી એવો પ્રત્યય થાય. આમ વ્યતિરકનિર્ણયમાં કારણભૂત અનુપલબ્ધિનો અભાવ આવે છે.)
- નાસ્તિક :- અહીં કારણરૂપ અને કાર્યરૂપ ભૂતોથી ભિન્ન અને બન્નેમાં અન્વય ધરાવતા અન્યની કલ્પના આવશ્યક છે. આ અન્ય જ કારણભૂત ભૂતોથી આત્મારૂપ કાર્યભૂત ભૂતોની ઉત્પત્તિનો નિર્ણય કરે છે.
ઉત્તર :-- આ અન્ય ઉભયાન્વયી તત્વ જો ઉભય (કાર્યરૂપ અને કારણરૂ૫) ભૂતોથી ભિન્ન હોય, તો તે અમને માન્ય “આત્મા જ છે. કેમકે અમે આવા જ પ્રકારના આત્માનો સ્વીકાર કર્યો છે. તેથી તમે માર્ગ ભૂલ્યા-જ્યાંથી છૂટવા પ્રયત્ન કર્યો, ભમી ભમીને ત્યાં જ ભટકાઈ પડ્યા. જે આત્માની અસિદ્ધિ માટે અમારી સામે જંગ માંડયો, તેજ આત્માને તમે સિદ્ધ કરી દેખાડ્યો. આમ ભૂતો “હું ભૂતકાર્ય છું તેવો આત્મવિષયક પ્રત્યક્ષબોધ કરવા સમર્થ નથી.
નાસ્તિક :- તો, અમે અનુમાન પ્રમાણથી તેમ સિદ્ધ કરી બતાવશું. જૂઓ -
ઉત્તર :- બસ, આગળ મત બોલશો. તમે અનુમાન પ્રમાણ માનો છે જ ક્યાં ? કે જેના બળપર ભૂતવાદની સિદ્ધિ કરી શકો. કેમકે તમારું જ વચન છે માત્ર પ્રત્યક્ષ જ પ્રમાણ છે. બીજા નહિ.”
નાસ્તિક :- અમે તો અનુમાનને પ્રમાણરૂપ માનતા જ નથી. પણ તમે બધા પ્રતિવાદીઓ અનુમાન વગેરેને પ્રમાણરૂપ માનો છે. તેથી તમારી આગળ તત્વની સિદ્ધિ માટે જ તમને માન્ય અનુમાનનો સ્વીકાર કરીએ છીએ.
ઉત્તર :- અતુ. તો પણ તમે તે બધા પ્રમાણથી પણ અધિકૃત ચૈતન્યને ભૂતકાર્યતરીકે સિદ્ધ કરી શકો તેમ નથી, કેમકે ચૈતન્યતત્વ ભૂતકાર્યરૂપ નથી. જો ચૈતન્ય પૃથ્વીવગેરે ભૂતોનું કાર્ય હોય, તો ચૈતન્યનો “ભૂતમાત્રજન્યસ્વભાવ અને ભૂતમાત્રનો ચૈતન્યજનકસ્વભાવ હોવો જોઇએ. તેથી હંમેશા અને બધે જ ઘડાવગેરેમાં પુરુષવગેરેની જેમ વ્યક્ત ચૈતન્યની ઉત્પત્તિ થવી જોઇએ. કેમકે ઉભયત્ર (પુરુષ અને ઘડાવગેરરૂપ) ભૂતમાત્રરૂપ નિમિત્ત સમાનરૂપે હાજર છે. તેથી જો ચૈતન્ય ભૂતમાત્રના કાર્યરૂપ હોય, તો ઘડાવગેરે પુરુષવગેરેને તુલ્ય બની જાય (જડ અને ચૈતન્ય વચ્ચે કોઈ ભેદ ન રહે. આખુ જગત માત્ર ચૈતન્યથી જ છલકાઈ જાય.) પણ આ પ્રત્યક્ષબાધિત છે. તેથી ચૈતન્યને ભૂતમાત્રના કાર્યરૂપ માની શકાય નહિ.
. (કાયાકાર પરિણતિવાદનું ખંડન) નાસ્તિક:- “કાયાકાર અને પ્રાણાપાનતરીક પરિગૃહીત પરિણમેલા ભૂતોમાંથી જ ચૈતન્ય પ્રગટે છે નહિ કે બધા જ અવિશિષ્ટ ભૂતોમાંથી એવું વચન છે તેથી કાયાકાર વગેરેથી સભર પુરષમાં જ ચૈતન્ય ઉપલબ્ધ થશે અને કાયાકારવગેરેથી અયુક્ત એવા ઘટાદિમાં ચૈતન્ય ઉપલબ્ધ નહિ થાય. તેથી અમારે પૂર્વોક્ત કોઈ દોષને અવકાશ નથી.
ઉત્તર :- આ વાત અમાન્ય છે. કેમકે તમારા મતે કાયાકારપરિણામ જ યુક્તિસંગત બનતો નથી. તે આ પ્રમાણે આ કાયાકારપરિણામમાં કારણ કોણ છે ? (૧) શું પૃથ્વીવગેરે ભૂતમાત્ર જ કારણ છે ? કે એ ભૂતોથી ભિન્ન બીજી ઈ વસ્તુ ? કે પછી આ કાયાકારપરિણામ નિતક છે ? પ્રથમપક્ષ જો માન્ય હોય, તો પૃથ્વીવગેરે ભૂતોની હાજરી તો ઘડાવગેરે સર્વત્ર સમાનરૂપે છે. તેથી સર્વત્ર કાયાકારપરિણામની ઉપલબ્ધિનો પ્રસંગ છે. જે તમને પણ અમાન્ય છે.
ધર્મસંગ્રહણિ ભાગ ન ટ ૭.