________________
अत्यन्तासत
नटनटन्यभावापत्तिप्रसक्तेः। भूताना त
खरविषाणादितुल्यमित्यवध्यभा
अथ मन्येथाः-तस्य चैतन्यस्य एष एव स्वभावो, यदुत-समुदायस्य धर्मो, न प्रत्येकं भूतानाम्, तथा तदैव च विशिष्टायामेव समुदितावस्थायां तद् भवतीति । अत्राचार्य आह--'पत्तेयमित्यादि, न तावत्प्रत्येक भूतेषु चैतन्यं विद्यते, दृश्यस्य सतोऽनुपलम्भात्। प्रत्येकं चासति चैतन्ये अनन्तरोक्ता कूटस्वभावकल्पना क्रियते, न पुनः 'जीवभावो जीवसत्ताऽङ्गीक्रियते इत्यहो बलवान् व्यामोहः । कूटरूपता चानन्तरोक्तस्वभावकल्पनाया अत्यन्तासतश्चैतन्यस्य तथारूपस्वभावायोगात्, अन्यथा असत्त्वमेव तस्य न स्यात् । नाप्यत्यन्तासत उत्पादो घटते, असत्त्वाविशेषेण तद्वत्तदन्यभावापत्तिप्रसक्तेः। भूतानां तज्जननस्वभावत्वात्तस्यैवोत्पत्तिर्नान्यस्येति चेत्, न, तेषां तज्जननस्वभावत्वकल्पनाया अयोगात्, अवध्यभावात्, अनुत्पन्नं हि चैतन्यं खरविषाणादितुल्यमित्यवध्यभावतोऽविशेषेणासज्जननस्वभावत्वं तत्त्वतो भूतानां भवेत, ततस्तेभ्यश्चैतन्यस्येव खरविषाणादेरप्युत्पत्तिप्रसङ्गः ॥६॥ – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –---------------
નાસ્તિક:- ભૂતોને ચૈતન્યને ઉત્પન્ન કરવાનો જ સ્વભાવ છે, તેથી તેઓ માત્ર ચૈતન્યને જ ઉત્પન્ન કરે છે. બીજી અસત્ વસ્તુને ઉત્પન્ન કરવાનો સ્વભાવ ન હોવાથી બીજી અસત્ વસ્તુઓની ઉત્પત્તિનો. અવકાશ નથી.
ઉત્તર :- ભૂતોના તેવા સ્વભાવની લ્પના જ ખોટી છે કેમકે અવધિ=મર્યાદા નથી. ઉત્પન્ન નહિ થયેલું ચૈતન્ય ગધેડાના શિંગડા સમાન છે. અસત્ તરીકે તદ્દન તુલ્ય ચૈતન્ય અને ગધેડાંના શિંગડા, આ બેમાંથી ચૈતન્યરૂપ એકને જ ઉત્પન્ન કરવાઅંગે કોઈ મર્યાદાની રેખા નથી. અર્થાત્ અસત્ તરીકે તુલ્ય વસ્તુઓમાં પરસ્પર કોઈ ભેદરેખા કે મર્યાદા ન હોવાથી જો ભૂતોનો અસને ઉત્પન્ન કરવાનો સ્વભાવ હોય, તો તે સ્વભાવ અવિશેષરૂપે જ રહેલો હોવો જોઈએ.અને ચૈતન્યની જેમ ગધેડાના શિંગડા વગેરે બધી અસત્ વસ્તુઓની તે ભૂતોમાંથી ઉત્પત્તિ થવી જોઈએ. જે અનિષ્ટ પ્રસંગ રૂપ છે. (અત્યન્ત અસત્ વસ્તુઓમાં એવી ભેદરેખા નથી કે આ ચૈતન્યપ અસત્ અને આ ગધેડાના શિંગડારૂપ અસન, તેથી જો અસત્ ની ઉત્પત્તિ સંભવતી હોય, તો તે સામાન્યરૂપે જ ઉત્પત્તિ હોય. અને આમ ગધેડાના શિંગડા વગેરેની ઉત્પતિનો પણ પ્રસંગ આવે) પાદરા
(ભૂતકાર્યતાવાદ ખંડન) ગાથાર્થ :- નાસ્તિક :- ચૈતન્ય પ્રત્યેક ભૂતન કે ભૂતસમુદાયનો ધર્મ નથી, પરંતુ પોતે જ ધર્મરૂપ છે. અને ઘટવગેરેની જેમ ભૂતોમાંથી ઉત્પન્ન થાય છે. તેથી લેઇ દોષ નથી.
ઉત્તર :- જો આમ સ્વીકારો, તો ભૂતોથી ભિન્ન તત્વની સિદ્ધિ થશે. તેથી “પૃથ્વી વગેરે ચારભૂતો જ તત્વ છે એ વચનથી સિદ્ધ તત્વોની ચાર સંખ્યાને વ્યાઘાત પહોંચશે.
નાસ્તિક :- એ સૂત્રમાં જે તત્વો દ્ધા છે તેના ઉપલક્ષણથી ચૈતન્યરૂપ પાંચમા તત્વનું ગ્રહણ થાય છે તેથી આપત્તિ નથી.
ઉત્તર :- શાબાશ ! જો આમ ઉપલક્ષણથી પાંચમાં તત્ત્વને સ્વીકારવાની તમારી હિંમત હોય, તે ઉપલક્ષણથી પાંચમા તત્વતરીક આત્મતત્ત્વને પણ સ્વીકારી શકાય. (મૂળ સૂત્રકારે માત્ર ચાર જ તત્વ દર્શાવ્યા. પાંચમું તત્વ ઉપલક્ષણથી લેવું કે નહિ ? અથવા ઉપલક્ષણથી પાંચમું ક્યું તત્વ લેવું ? તેનો નિર્ણય ર્યો નથી. તેથી જો ઉપલક્ષણથી તત્વાન્તરની સ્પના કરવાની હોય, તો જે
લ્પના સૌથી સુસંગત હોય, અને લાઘવયુક્ત હોય, તે જ માન્ય બને.) તેથી હવે તમે ઉપરોક્ત સૂત્રના બળથી પાંચમાં તત્વનો કે આત્મતત્વનો નિષેધ કરી શકો તેમ નથી. મૂળકાર આ જ વાત “અદ્ભુત્વગમમ્મિસૂત્રથી કહે છે. આમ જો તમે તત્વાન્તર સ્વીકારશો, તો “ભૂતથી ભિન્ન આત્મા નથી ઈત્યાપિ તમારો જે સિદ્ધાંતરૂપતાજોમ છે તેનો તમારાપર ઢષ ઉત્પન્ન થશે. કેમકે તમે માત્ર શબ્દના ફેરથી આત્મતત્ત્વને સ્વીકારી લીધું છે. તમે “ભૂતોથી ભિન્ન ધર્મિરૂપ ચૈતન્ય છે તેમ સ્વીકારો, અને અમે તેને જ ભૂતથી ભિન્ન જીવરૂપે સ્વીકારીએ તેમાં શબ્દ સિવાય બીજું આંતર નથી. વળી તમે જે કહ્યું કે “આ ચૈતન્યધર્મી ઘડાવગેરેની જેમ ભૂતોમાંથી ઉત્પન્ન થાય છે તે પણ બરાબર નથી. કેમકે ભૂતોમાંથી ચૈતન્યની ઉત્પત્તિનું સાધક પ્રમાણ હાજર ન હોવાથી ચૈતન્યની ભૂતોમાંથી ઉત્પત્તિ વ્યાજબી નથી. ચૈતન્યને ભૂતના કાર્યતરીક સિદ્ધ કરનાર કોઇ પ્રમાણ અમને દેખાતું નથી. તે આ પ્રમાણે–પ્રત્યક્ષપ્રમાણ હાજર નથી. કેમકે અતીન્દ્રિય વિષયમાં તેનો અવકાશ નથી. ઉત્પન્ન કે અનુત્પન્ન ચૈતન્ય ભૂતોના કાર્યતરીકે પ્રત્યક્ષપ્રમાણનો વિષય બનતું નથી. કેમકે પ્રત્યક્ષજ્ઞાન અયોગ્ય સમીપવર્તી વિષયને જ ગ્રહણ કરવા સમર્થ છે. ચૈતન્ય અમૂર્ત હોવાથી પ્રત્યક્ષયોગ્ય જ
નથી.
વળી ભૂતો હું ભૂતોનું કાર્ય છું એવું આત્મવિષયક પ્રત્યક્ષબોધ કરવા સમર્થ નથી. કેમકે કાર્યકારણભાવનો નિર્ણય અન્વયવ્યતિરેકના નિશ્ચયથી થાય છે. આત્માતરીકે ઇષ્ટ એવા કાર્યરૂપ ભૂતો અને કારણરૂપ ભૂતો વચ્ચે અવયવ્યતિરક સિદ્ધ નથી. કેમકે કારણરૂપ ભૂતોના અભાવમાં આત્માની અનુપલબ્ધિ થાય, તે કાર્યકારણભાવઅંગેનો વ્યતિરક નિશ્ચિત થાય. પણ તેમ નથી. કેમકે કારણરૂપ ભૂતોના અભાવમાં પણ કાર્યરૂપ આત્મસ્વરૂપ ભૂતોના અનુપલભનો અભાવ હોય છે. અર્થાત્ હાજરી હોય છે. (અથવા જ કારણનો અભાવ હોય, તે કાર્યનો પણ અભાવ હોય તેવા વ્યતિરનો નિર્ણય થતો નથી. કેમકે સર્વત્ર ભૂતપ કારણસામગ્રી ઉપલબ્ધ જ હોય છે. આમ અહીં કારણની ગેરહાજરી ૫ વ્યતિરનો નિર્ણય થતો નથી. તાત્પર્ય અહીં માત્ર કેવલાન્વયી અનુમાન જ છે. તેથી અન્વય-વ્યતિરકથી સાધ્ય કાર્યકારણભાવનો નિર્ણય થઈ શકે તેમ નથી. તેથી ભૂતો હું ભૂતોનું કાર્ય છે તેવો નિર્ણય કરી શકે તેમ નથી.) (અથવા જો ભૂતના કાર્યરૂપે જ આત્મારૂપ ભૂત હોય, તો વ્યતિક નિર્ણય જ થઈ શકે નહિ. કેમકે કારણરૂપ ભૂતોના અભાવમાં કાર્યક્ષ આત્માસ્વરૂપ ભૂતોનો પણ અભાવ આવે, તો વ્યતિરેક નિર્ણય કરે કોણ ? એમ તો
ધર્મસંગ્રહણિ ભાગ-૧ % ૬૨