SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ न हि काठिन्यादयो धाः केषाचिंत् पृथिव्यादीनां तन्मात्रनिमित्ताभिव्यक्तिकाः सन्तस्तैः कदाचियज्यन्ते, किं तु सदा अविशेषभावेन। एवं चैतन्यमपि यदि भूतधर्मस्स्यात् ततस्तैः तत्सदाऽभिव्यज्यतेति। अपिच-अभिव्यक्ति म न पूर्वमनावृतस्य भवति, तथाऽनुपलम्भादिति, तस्यावरणं च वाच्यं, तथाविधपरिणामाभाव एवावरणमिति चेत्, न, तस्य सकलशक्तिविकलतया आवरणादिक्रियाकारित्वायोगात्, तदकारकस्य चावरणत्वानुपपत्तेः, अतिप्रसङ्गात् । तद्रूपमेव तथाविधपरिणामाभावस्तेनादोष इति चेत्, न, तथाविधपरिणामस्यापि तन्मात्रनिमित्ततया तपस्य तच्छ्न्य तानुपपत्तेः॥५४॥ किं च-इदं चैतन्यं भूतेभ्यो व्यतिरिक्तं वा स्यादव्यतिरिक्तं वा?, किं चातः, यदि व्यतिरिक्तं ततोऽस्माकमिष्टसिद्धिः, संज्ञामात्रविपर्ययेणात्मनोऽभ्युपगमात्। अथाव्यतिरिक्तं तदयुक्तं, यत आह-- ण य तस्स तहा गमणं दिट्ठसवि संसओ य केसिंचि । નીતાવિતુર્તતાવિ દુ પત્તે વિદિતો જુત્તા છે ૫૬ છે (न च तस्य तथा गमनं दृष्टेष्वपि संशयश्च केषाञ्चित् । नीलादितुल्यतापि हु प्रत्येकमदृष्टितोऽयुक्ता) चो हेतो, यस्मात् दृष्टेष्वपि भूतेषु न तस्य' चैतन्यस्य 'तथा' भूतानामिव गमनम्-अवबोधो निश्चयो भवति। कुत इति चेत्? अत आह-"संसओ य केसिंचि' अत्रापि चशब्दो हेत्वर्थे, यस्मात्केषांचिदग्दिशा प्रतिपत्तृणां चैतन्यविषयो निश्चयप्रतिपक्षभूतः संशय उपलभ्यते, ततो ज्ञायते भूतदर्शनेऽपि न चैतन्यस्य हर्षविषादादिरूपस्य निश्चयः, ततो विरुद्धधर्मसंशयान्न भूतसमुदायादव्यतिरिक्तं चैतन्यम्। प्रयोगश्चात्र-यस्मिन्निश्चीयमाने यन्न निश्चीयते न तयोरैक्यमेव, यथोष्णत्वकठिनत्वयोः, न निश्चीयते च शरीरे निश्चीयमाने चैतन्यमिति। द्विरूपं हि विश्वं, विरुद्धधर्मसंसर्गयुक्तं, तद्रहितं च ।तत्र तद्रहितेषु दृष्ट एकत्वव्यवहारः, स तद्युक्तेऽपि यदि वर्तेत तहनियतविषयः स्यात, नियतविषयतया चासौ व्याप्तस्ततो व्यापकानुपलब्ध्या विरुद्धधर्मसंसर्गिणो रूपाद्वयावर्तमानस्तद्रहितरूपविषयतया व्याप्यत इति व्याप्तिसिद्धिः। यस्मिंश्च निश्चीयमाने निश्चीयते, बन्न -----------------–––– તાત્પર્ય :- જો આ જગતમાં પૃથ્વી વગેરે ચાર ભૂતને છોડી બીજું કોઈ તત્વ જ ન હોય, અને ચૈતન્ય પણ ભૂતોનો જ ધર્મ હોય, તો ચૈતન્યધર્મ ભૂતોમાં હંમેશા રહેલું જ માનવું જોઈએ. કેમકે ભૂતો રહેલા છે. તેથી જો ચૈતન્યનો ભૂતોમાં આવિર્ભાવ ક્યારેક ક્યારેક જ માનવો હોય, તો ભૂતોથી ભિન્ન એવા બીજા તત્વની લ્પના આવશ્યક બને, કેમકે કારણાન્તરના સદ્ભાવ વિના ચૈતન્યનો આ કદાચિભાવ સંભવી ન શકે. (જેમકે માટીમાં ઘરૂપતા ધર્મ રહ્યો હોવા છતાં, એ ધર્મ દાચિત્ જ પ્રગટ થાય છે, કેમકે એ ધર્મના પ્રગટીકરણમાં માટીથી ભિન્ન એવા દંડાદિ બીજા કારણો નિયામક છે. જયારે એ બીજા કારણો ઉપસ્થિત થાય છે ત્યારે જ, માટીમાં ઘટરૂપતાનો આવિર્ભાવ થાય છે.) તેથી જો ચૈતન્ય ભૂતધર્મ હોય, અને તત્વાન્તરનો અભાવ હોય, તો ભૂતોમાં ચૈતન્યનો સદા આવિર્ભાવ થવો જોઈએ. પરંતુ આ દષ્ટ કે ઈષ્ટ નથી. કેમકે મૃતશરીરમાં ચૈતન્યનો આવિર્ભાવ થતો નથી. આમ ચૈતન્યનો આવિર્ભાવ ક્રાચિત્ક જ છે. તેથી ચૈતન્યને ભૂતધર્મ માની શકાય નહિ. ભૂતોના ધર્મો હંમેશા પ્રગટરૂપે હોય, તે દર્શાવવા દષ્ટાંત આપે છે. “નહિ ઈત્યાદિ પૃથ્વી વગેરે કેટલીક વસ્તુઓના કાન્યિવગેરે ધર્મો સર્વમાન્ય છે “આ ધર્મો પૃથ્વીવગેરે પોતાના ધર્મમાં અમુક કાળે જ હોય છે, પણ સર્વદા નથી હોતા' એવું કોઈને માન્ય નથી. કેમકે આ ધર્મો પોતાના પૃથ્વીવગેરે ધર્મમાં હમેશા ઉપલબ્ધ થાય છે. આમ ચૈતન્ય પણ જો ભૂતધર્મ હોત, તો હંમેશા અવિશેષરૂપે અભિવ્યક્ત થાત, પણ તેમ થતું નથી. માટે ચૈતન્ય ભૂતધર્મ નથી. વળી, આટલું સમજી લો, કે જે ઢંકાયેલું હોય, તેનો જ આવિર્ભાવ હોય, પૂર્વે જે ઢંકાયું જ ન હોય, તેનો કેઈ આવિર્ભાવ સંભવતો નથી. કેમકે ક્યાંય અનાવૃત ( નહિ ઠકાયેલા) ને આવિર્ભાવ થતો દેખાતો નથી. તેથી નક્કી થાય છે, કે અવિર્ભાવ થયા પૂર્વે ચૈતન્ય ઢંકાયેલું હતું. તેથી બતાવો કે ચૈતન્યને ઢાંક્વાર આવરણ ઢાંકણ કોણ ? - નાસ્તિક :- તેવા પ્રકારના પરિણામનો અભાવ જ ચૈતન્યનાં આવરણતરીનું કામ કરે છે. ઉત્તર :- આ અભાવ પોતે તત્વરૂપ છે કે ખપુષ્પની જેમ તુચ્છ છે ? જો તત્વરૂપ હોય, તો ભૂતોથી ભિન્ન તત્વની સિદ્ધિ મોં ફાડીને ઉભી છે. અને જો આ અભાવ તુચ્છ હોય, તો એ અભાવમાં કોઇ કાર્ય કરવાની તાકાત નથી, કેમકે ખપુષ્પની જેમ તે બધી શક્તિઓથી રહિત છે. તેથી આ અભાવ ઢાંક્વાની ક્યિા કરવા પણ સમર્થ નથી. અને જે ઢાંક્વાની ક્રિયા કરવા સમર્થ ન હોય, તેને આવરણ માનવાની ભૂલ ન કરશો, અન્યથા ખપુષ્પવગેરેને પણ આવરણ માનવાની આપત્તિ આવશે. તેથી અભાવને આવરણ માનવાની બાલિશ ચેષ્ટા છોડો. નાસ્તિક :- આ તથાવિધિપરિણામનો અભાવ તુચ્છરૂપ પણ નથી, અને અન્ય તત્વરૂપ પણ નથી. કિન્તુ તરૂપ=ભૂતરૂપ જ છે. તેથી અન્ય તત્વની લ્પનારૂપ કે તમે આપેલી આપત્તિરૂપ દોષ પણ રહેતો નથી, અને ઢાંક્વાની ક્રિયામાં સમર્થ એવા આવરણની સિદ્ધિ પણ થાય છે. બોલો, છે હવે કોઈ દોષ ? ઉત્તર :- ભઈ, અહીં પાયામાં પોલ છે. તથાવિધપરિણામ પોતે તરૂપ ભૂતાત્મક છે કે નહિ ? જો નથી એમ કહેશો તો તત્વાન્તરની લ્પના ગળે ચોંટશે અને જો તથાવિધ પરિણામ ભૂતમાત્ર નિમિત્તે હોવાથી તરૂપ ભૂતાત્મક હોય, તો તરૂપમાં તથાવિધિપરિણામની શૂન્યતા યુક્તિસંપન્ન નહિ થાય કેમકે પોતે અને પોતાના અભાવ અને સત્ હોય અને એકરૂપ હોય, તેવી વાત તો તમારા ભેજા સિવાય અન્યત્ર સંભવતી નથી. પિતા ધર્મસંગ્રહણિ ભાગ-1 થી ૧૭)
SR No.006033
Book TitleDharm Sangrahani Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1994
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy