SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ तत्र विरुद्धधर्मसंसर्गभावात्तद्रहितरूपविषयत्वस्य व्यापकस्याभाव इति व्यापकानुपलब्धिरियम्। न चेयम- सिद्धा, यस्माच्चैतन्यस्य हर्षविषादाद्यनेकाकारं रूपं निर्विवादमनुभवसिद्धं, भूतानां काठिन्यादिवत्, तच्च शरीरे निश्चीयमाने न निश्चीयते, तत्प्रतिपक्षस्य संशयस्य दर्शनादिति। स्यादेतत्-चार्वाकं प्रत्यनुमानप्रयोगोऽनुपपन्नः, तन्मतेनास्याप्रमाणत्वात्, तदयुक्तम्, यतश्चार्वाकस्यापि भूतेषु पृथिव्यादिषु नानात्वव्यवहारो विरुद्धधर्मसंसर्गनिमित्तक एव सिद्धः, स चेहाप्येकस्मिन् निश्चीयमाने अपरस्यानिश्चीयमानत्वमित्येवंरूपो विरुद्धधर्मसंसर्गोऽस्ति, ततो निमित्तसंभवे प्रवर्तनीयोऽयं व्यवहारो नो चेदन्यत्रापि न प्रवतीयतव्य इत्येवमनेनानुमानेन नानात्वव्यवहारः प्रवर्तते इत्यदोषः। व्यतिरेकाव्यतिरेकपक्षे त्वविप्रतिपत्तिरेव, अस्माभिरप्यात्मना सह शरीरस्य कथंचिदभेदाभ्युपगमात्। यदपि क्वचिदुच्यते यथा-नीलता प्रत्येकमनुपलब्धाऽपि भूतसमुदाये उपलभ्यते, तथा चैतन्यमपीति, तदप्ययुक्तम्, नीलतायाः पटादिषूपलभ्यमानायाः प्रत्येकमपि तन्तुपक्ष्मादौ दर्शनात्, न चैवं चैतन्यं प्रत्येकमप्युपलभ्यते इति कथं नीलतादितुल्यं तद्भवेत्। तथा चाह--'नीलादितुल्यतापि च प्रत्येकमदृष्टितोऽयुक्तेति' ॥५५॥ - - - - - - - - - - - - - - - - - - - - - (ભદ–અભેદ વિલ્પોથી ભતવાદ ખંડન). વળી, મહેરબાના એ તો બતાવો, કે આ ચૈતન્ય ભૂતોથી ભિન્ન છે કે અભિન્ન ? જો ભિન્ન હોય, તો તમે વાસ્તવમાં માત્ર સંજ્ઞાભેદથી આત્માનો જ સ્વીકાર ર્યો હોવાથી હકીક્તમાં અમારા ઈષ્ટની જ સિદ્ધિ થાય છે. હવે, જો ચૈતન્યને ભૂતોથી અભિન્ન માનશો, તો તે અસંગત છે. કેમકે ગાથાર્થ :- વળી દેખાયેલા પણ ભૂતોમાં ચૈતન્યનો ભૂતોની જેમ નિશ્ચય થતો નથી. કેમકે કેટલાકને સંશય થાય છે. તથા ચૈતન્ય પ્રત્યેકમાં દેખાતું ન હોવાથી નીલાદિની તુલ્યતા પણ અસંગત છે. મૂળમાં રહેલો “ચ”(થ)કાર હેતુદર્શક છે. બીજો “ચ”()કાર પણ હતુદર્શક છે. ભૂતોના દર્શન થવા ક્યાં ભૂતોની જેમ ચૈતન્યનો નિર્ણય થતો નથી. કેમકે કેટલાક અલ્પજ્ઞાની પ્રમાતાઓને ચૈતન્યના વિષયમાં નિશ્ચયનાં વિરોધરૂપ સંશય થાય છે. તેથી નિર્ણય થાય છે કે ભૂતના દર્શન થવા માં હર્ષ, વિષાદવગેરરૂપ ચૈતન્યનો નિર્ણય થતો નથી. આમ ચૈતન્યમાં સંપાયરૂ૫ વિદ્ધ ધર્મનો વાસ હોવાથી ચૈતન્ય ભૂતથી અભિન્ન નથી. અનુમાન પ્રયોગ :- જેના નિશ્ચયમાં જેનો નિરચય નથી. તે બેમાં ઐક્યભાવ-અભેદભાવ સંભવે નહિ, જેમકે ઉષ્ણતા અને કઠિનતા. (ઉષ્ણતાના નિર્ણયથી કઠિનતાનો નિર્ણય થતો નથી, તેથી તે બે ભિન્ન સિદ્ધ થાય છે.) શરીરના નિરચયમાં ચૈતન્યનો નિશ્ચય થતો નથી માટે તે બન્ને ભિન્ન છે. આ જગત બે પ્રકારના દ્રવ્યોથી ભરેલું છે. (૧) વિરુદ્ધધર્મના સંસર્ગવાળા ભાવો અને (૨) વિરુદ્ધ ધર્મ વિનાના ભાવો. એમાં જેઓ વિરુદ્ધ ધર્મ વિનાના ભાવો છે, તેમાં એકત્વ-અભેદનો વ્યવહાર થાય છે. હવે જો આ અભેદવ્યવહાર વિરુદ્ધધર્મોવાળા ભાવોમાં પણ થાય, તો પછી અભેદ વ્યવહારઅંગે કોઇ નિયતવિષય નહિ રહે (અને અમૃત અને વિષને પણ અભિન્ન માનવાનો અવસર આવશે.) પરંતુ આ અભેદવ્યવહાર નિયતવિષયતાથી વ્યાપ્ત છે. (અર્થાત્ જેમાં જેમાં અમેદવ્યવહાર દેખાય છે, તેમાં તેમાં અવશ્ય નિયતવિષયતા હોય છે.) વિરુદ્ધધર્મયુક્ત ભાવોમાં નિયતવિષયતારૂપ વ્યાપક ઉપલબ્ધ નથી. તેથી તેમાંથી વ્યાવૃત્ત થતો એક્વવ્યવહાર નિયતવિષયતાથી વ્યાપ્ત થાય છે. (અહીં એક્વવ્યવહાર માટે વિરુદ્ધધર્મોના અભાવરૂપ નિયતવિષયતા આવશ્યક છે તેમ કહેવાનો ભાવ છે.) આમ વ્યાપ્તિની સિદ્ધિ થાય છે. અને જેના નિશ્ચયમાં જેનો નિશ્ચય થતો નથી, તેમાં વિરદ્ધધર્મનો સંસર્ગ રહ્યો હોય છે (અર્થાત નિશ્ચિત વસ્તુથી તે અનિશ્ચિત વસ્તુ ભિન્ન ધર્મવાળી હોય છે.) તેથી વિરધર્મથી હિતરૂપ નિયતવિષયતા તેમાં (અનિર્ણત વસ્તુમાં) રહેતી નથી. આમ તેમાં વ્યાપનો અભાવ મળે છે. આ વ્યાપકાનુપલબ્ધિ થઈ. ચૈતન્યની બાબતમાં આ વ્યાપકાનુપલબ્ધિ અસિદ્ધ નથી. ભૂતોના કાન્ધિવગેરેની જેમ ચૈતન્યનું હર્ષ વિષાદવગેરે અનેક આકારવાળું સ્વરૂપ છે, તે બધાને જ વિવાદ વિના અનુભવ સિદ્ધ છે. અને આ સ્વરૂપનો નિર્ણય શરીરના નિર્ણયની સાથે થતો નથી. કેમકે નિર્ણયના પ્રતિપક્ષરૂપ સંશય ત્યાં ઉપલબ્ધ થાય છે. ઘણીવાર કોઇ વ્યક્તિના ચહેરા પર હર્ષ દેખાય, પણ વાસ્તવમાં હોય ખેદ. અને ઘણી કુશળ વ્યક્તિ તો પોતાના હર્ષ ખેદને ચેહરા પર વાંચવા જ દેતી નથી. તેથી એ બાબતમાં સંશય વગેરે રહે તે સહજ છે.) નાસ્તિક :- તમે તમારી વાત સિદ્ધ કરવા અનુમાનના સહાયથી ઘણી માથાકૂટ કરી પણ અમે અનુમાનને પ્રમાણરૂપ માનતા જ નથી. તેથી તમારા અનુમાનપ્રયોગ અમારી આગળ “ભેંસ આગળ ભાગવતની જેમ અસંગત છે. ઉત્તર :- તમારી વાત વ્યાજબી નથી. તમે ભૂતોમાં પૃથ્વી વગેરેમાં ભિન્નતાને વ્યવહાર શાના આધારે કરો છો ? નાસ્તિક :- પૃથ્વીવગેરેમાં પરસ્પર વિરદ્ધધમોનો સંસર્ગ દેખાય છે. તેથી ભિન્નતાનો વ્યવહાર થાય છે. ઉત્તર :- બસ, તેજ પ્રમાણે પ્રસ્તુતમાં પણ શરીરરૂપ એના નિશ્ચયમાં ચૈતન્યરૂપ બીજાના નિશ્ચયનો અભાવ હોય છે. આમ ચૈતન્યમાં “અનિશ્ચયસ્વરૂપ વિરુદ્ધ ધર્મ રહેલો છે. આમ ભિન્નવ્યવહાર નું નિમિત્ત હાજર હોવાથી અહીં પણ ભિન્નવ્યવહાર પ્રવર્તે તે યુક્તિયુક્ત જ છે. જે પ્રસ્તુતમાં તમે “આ તો અનુમાનથી સિદ્ધ છે તેથી અપ્રમાણ છે એવા મન્તવ્યથી ભિન્નતાનો વ્યવહાર નહિ પ્રવર્તાવો, તો સમાનન્યાયથી પૃથ્વીવગેરે ભૂતોમાં પણ ભિન્નતાનો વ્યવહાર પ્રવર્તાવી શકશો નહિ. તેથી સર્વત્ર અનુમાનથી ભિન્નતાનો વ્યવહાર થતો હોવાથી દોષ નથી. આમ ધર્મસંહણિ ભાગ-૧ ૪ ૫૮
SR No.006033
Book TitleDharm Sangrahani Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1994
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy