________________
'प्रकृतिविकाररूपाण्येवेति" केचित्, "अणुद्वयणुकादिक्रमारब्धकार्यरूपाणी" त्यपरे "विज्ञानमात्र"मित्यन्ये । ननु चेयं न वास्तवी विप्रतिपत्तिः, प्रसिद्धव्यवहारनियमात्, तथाहि सर्वेऽपि सांख्यादयः शौचाद्यर्थ मृदायेव गृह्णन्ति, विज्ञानवादिभिरपि चैत्यकांद्यर्थ मृदायेव गृह्यत इति, अत्रोच्यते, यत्किंचिदेतत्, आत्मन्यपि समानत्वात्, તi---સર્વ પત્ર વારિતો નાસ્તિક કપ ચાવત્ રેટસ નહત્વાન્ તતિર્જાિનેવ તર્મન વનस्मरणप्रत्यभिज्ञानालोचनादि कुर्वन्ति, तस्मादत्रापि प्रसिद्धव्यवहारनियमात् नेयं वास्तवी विप्रतिपत्तिः, ततोऽहंप्रत्ययलक्षणप्रत्यक्षगम्यत्वादात्मा प्रत्यक्ष एवेति स्थितम्। ननु चाहं गुरुरहं गौरोऽहं कृश इत्यादयोऽप्यहमितिप्रत्यया अनुभूयन्ते, न चैतेषामात्मालम्बनत्वमात्मनो गौरत्वाद्यभावात, तत्कथमहंप्रत्ययस्य यथार्थता व्यभिचारित्वादिति चेत, न, एवं सति इन्द्रियजप्रत्यक्षस्याप्ययथार्थताप्रसक्तेः, तस्यापि द्विचन्द्रादिविषये भ्रान्तत्वेनोपलब्धत्वात्, अथ तत्प्रत्यक्षाभासं न प्रत्यक्षमिति न तेन व्यभिचारः, यद्येवं तर्हि अत्रापि अहं गुरुरित्यादिकोऽहंप्रत्ययोऽहंप्रत्ययाभासो, न सम्यगहंप्रत्ययः, गुरु मे शरीरमित्यादिभेदप्रत्ययदर्शनादिति समानमेतदिति स्थितम् ॥४६॥ यदुक्तं-"अवग्रहादिधर्माणां धर्मी जीव एव, स च तत्प्रत्यक्षत्वतः प्रत्यक्ष एवेति" तत्र पर आह--
भूतेहिं चेतन्नं कायागारादिपरिणतेहिंतो । तब्भावे भावातो मज्जंगेहिं व मदसत्ती ॥ ४७ ॥ (પૂૉીતચં વારવિન્તિઃ | તાલે પાવા માગ ૩ મતવિક્તઃ 1 )
हंप्रत्ययाभास हादिधर्माणां धम्मा भूतेहिं चेत
—
—
—
—
—
—
મતે “પ્રત્યક્ષથી ઉપલબ્ધ થતી બધી જ વસ્તુઓ માત્ર વિજ્ઞાનરૂપ જ છે. તેથી પ્રત્યક્ષથી ઉપલબ્ધ થતા પદાર્થોમાં વિપ્રતિપત્તિ ન જ હોય તેવો નિયમ રહેતો નથી. તેથી તે નિયમના બળ પર આત્માને અપ્રત્યક્ષ ઠેરવવાની ચેષ્ટા પણ વ્યાજબી નથી.
પૂર્વપક્ષ :- ભૂતોઅગેની આ વિપ્રતિપત્તિઓ માત્ર શાબ્દિક છે. વાસ્તવિક નથી. કેમકે પ્રસિદ્ધ વ્યવહારનો નિયમ છે. તે આ પ્રમાણે :- સાંખ્ય વગેરે બધા જ શૌચવગેરેઅંગે માટીઆદિને ગ્રહણ કરે છે. અને વિજ્ઞાનવાદી બૌદ્ધ પણ મંદિરના નિર્માણ આદિઅંગે માટીવગેરે જ ગ્રહણ કરે છે. આમ બધા પ્રસિદ્ધવ્યવહારથી જ પ્રવૃત્તિ કરે છે. અને પ્રસિદ્ધ વ્યવહાર બધાનો સમાન દેખાય છે. તથા વ્યવહાર જ વસ્તુના યથાર્થરૂપને પ્રગટ કરે છે. તેથી પ્રસિદ્ધવ્યવહાર નિયમ પ્રત્યક્ષસિદ્ધ ભૂતોમાં ઉદ્ભવતી શાબ્દિક વિપ્રતિપત્તિઓને અકિચર બનાવે છે.
ઉત્તરપક્ષ :- આ તર્ક પણ તુચ્છ છે. કેમકે આત્માઅંગે પણ સમાનરૂપે લાગુ પડે છે. નાસ્તિકે ભલે ભૂતોથી ભિન્ન આત્મતત્વને માનતા ન હોય, અને બધા વાદીઓમાં ભલે આત્માઅંગે શાબ્દિક વિપ્રતિપત્તિઓ દેખાય, તો પણ નાસ્તિકસહિતના તે બધા જ જડ દેહથી ભિન્ન અને ચૈતન્યધર્મયુક્ત અન્ય(આત્મા) થી જ દર્શન, સ્મરણ, પ્રત્યભિજ્ઞા, વિચારણાવગેરે કરે છે, નહિ કે દેહથી. કેમકે દેહ તો જડ છે. આમ અહીં પણ પ્રસિદ્ધવ્યવહારનયમથી જ વિપ્રતિપત્તિઓ અવાસ્તવિક ઠરે છે. આમ વ્યાડિવગેરેની દલીલો ઊડી જાય છે. તેથી “અહંપ્રત્યયરૂપ પ્રત્યક્ષજ્ઞાનથી આત્માની ઉપલબ્ધિ થાય છે. અને “આત્મા પ્રત્યક્ષસિદ્ધ છે. તેમ નિષ્કટક સિદ્ધ થાય છે.
પૂર્વપક્ષ :- એમ તો હું ભારે છું “હું ગોરો છું હું કૃશ હું વગેરે પણ “અહંપ્રત્યયો થાય છે. સ્પષ્ટ છે કે આ પ્રત્યયો દેહને અવલંબીને જ છે. અને તમને ઇષ્ટ આત્મા તો ‘ગોરાપણુંવગેરે ગુણવાળો નથી. તેથી આ યયો આત્માને અવલંબીને નથી, તેમ જ સર્વમાન્ય છે. આમ આ પ્રત્યયો દેહને અવલંબીને પણ થતા હોવાથી, એકાતે આત્માને જ અવલંબીને થાય, તેવો નિયમ રહ્યો નહિ. તેથી આ “અહંપ્રત્યયો આત્માની પ્રત્યક્ષસિદ્ધિમાં યથાર્થ સાધન બની શકે તેમ નથી.
ઉત્તરપક્ષ :- આ પ્રમાણે જો કહેશો, તો તમારે ઈન્દ્રિયથી થતા પ્રત્યક્ષને પણ અયથાર્થ કહેવાનો પ્રસંગ આવશે. કેમકે તે પ્રત્યક્ષથી ઘણીવાર બે ચતું પ્રત્યક્ષજ્ઞાન થાય છે જે માત્ર ભાન્તિરૂપ છે. આમ ઈન્દ્રિયજ પ્રત્યક્ષ પણ ઘણીવાર ભાન્તરૂપે ઉપલબ્ધ થાય છે. તેથી જો “અહંપ્રત્યય દેહઅંગે પણ થતો હોવાથી આત્માઅંગે પણ તે પ્રત્યયને અયથાર્થ કહેશો, તો બે ચન્દ્રવગેરેઅંગે ઈન્દ્રિયપ્રત્યક્ષ ભ્રાન્ત હોવાથી સર્વત્ર ઈન્દ્રિયપ્રત્યક્ષને પણ ભ્રાન્ત કહેવું પડશે.
પૂર્વપક્ષ :- બે ચન્દ્રવગેરેનું જે ઈન્દ્રિયપ્રત્યક્ષ થાય છે. તે પ્રત્યક્ષ પ્રત્યક્ષપ્રમાણરૂપ નથી, પણ પ્રત્યક્ષાભાસ રૂપ છે. તેથી તેના આધારે પ્રમાણભૂત ઈન્દ્રિયપ્રત્યક્ષમાં વ્યભિચારનું અને અયથાર્થતાનુ આપાદાન કરવું યોગ્ય નથી.
ઉત્તરપક્ષ :- બસ, એજ અમારે કહેવું છે. શરીરને આશ્રયીને થતો “હું ગોરો છું ઈત્યાદિ “અહંપ્રત્યય પ્રત્યયાભાસરૂપ છે. સમ્યમ્ “અહંપ્રત્યય નથી. કેમકે મારું શરીર ભારે છે.' ઇત્યાદિ પ્રત્યયોમાં આત્માથી ભિન્નરૂપે શરીરનો પ્રત્યય થાય છે. તેથી સમાનરૂપે આ પ્રત્યયને આધારે આત્માસંબંધી થતા “અહે" પ્રત્યયને અયથાર્થ ઠેરવી શકાય નહિ. ૪દા
ધર્મસંગ્રહણિ ભાગ-૧ ( ૫૩