________________
तथोत्पद्यते भूतचतुष्टयालम्बनं, नात्मालम्बनमिति" यदुक्तं तदप्यसमीचीनम् । अहमितिज्ञानस्य भूतचतुष्टयालम्बनत्वानुपपत्तेः, अरूपादिप्रतिभासात्मकत्वात्, अन्तर्मुखावभासितया प्रवृत्तेश्च। न चास्येत्थं प्रतिभासमानस्यापि अहंप्रत्ययस्य विषयान्तरकल्पना न्याय्या, अतिप्रसङ्गात् । अबादिप्रतिभासिनोऽपि ज्ञानस्य पृथिवीविषयत्वकल्पनया तदभावप्रसक्तेः। एतेन "रूपादिवत्स्वभावानवधारणादिति" यदुक्तं, तदपि प्रत्युक्तमवगन्तव्यम्, यतो यथा रूपादिषु तन्निर्भासं ज्ञानमुत्पद्यमानं रूपादीनां स्वभावमवगमयति, तथा अहमितिप्रत्ययोऽप्यात्मस्वरूपमवगमयत्येव, शरीरगुणग्रहणवैमुख्येनान्तर्मुखावभासित्वात् । यद्येवं तर्हि विषयस्यात्मस्वरूपलक्षणस्य सदा सन्निधानात् आत्मनश्च सदा ग्रहणस्वभावत्वात् सदैवाहप्रत्ययभावप्रसङ्गतो नित्यमात्मग्रहणप्रसङ्ग इति चेत्?, एतदपि यत्किंचिद्, आत्मनः सदा ग्रहणस्वभावत्वानभ्युपगमात् । तस्य हि सकर्मणः सतस्तत्कर्मक्षयोपशमसामर्थ्यत एव तत्र तत्र विषयग्राहकत्वेन प्रवृत्तिः, तत्तत्कर्मप्रतिबन्धादेव च तदैवापरस्मिन् विषये प्रवृत्त्यभाव इति न सदैवात्मग्रहणप्रसङ्गः । यदाह-- "आत्मनाऽऽत्मग्रहेऽप्यत्र, तत्स्वभावास्योयोगतः । सदैवाग्रहणं चास्य, विज्ञेयं कर्मदोषतः ॥१॥" इति। यदप्युक्तम्, "न प्रत्यक्षग्राह्ये वस्तुनि विप्रतिपत्तिरुपलभ्यत" इति, तदप्ययुक्तम् भूतेष्वपि विप्रतिपत्तिदर्शनात, सचाहि-- - — — — — — — — — — —
------ છે. તેથી તમે પૂર્વજ્ઞાત આત્માની ઉપસ્થાપના દ્વારા“અહું પ્રત્યયથી આત્માના બોધનો ભ્રમ થાય છે તેમ કહી શકો તેમ નથી. કેમકે તમારે તેવો સિદ્ધાંત નથી. અને જો તમે આ સિદ્ધાંત સ્વીકારશો, તો આત્માની સિદ્ધિનો સ્વીકાર થઈ જશે. તથા ‘ચારભૂતને અવલંબીને જ–નહિ કે આત્માને અવલંબીને તેવા પ્રકારે (“અહઆકારે) તે જ્ઞાન ઉત્પન્ન થાય છે.' એવું વચન પણ તુચ્છ છે. કારણ કે, (૧) “અહં' એવાં જ્ઞાનના આલંબનતરીક ચારભૂતો અસંગત છે. કારણ કે આ જ્ઞાન ચારભૂતના પાદિગુણોના પ્રતિભાસકરૂપ નથી. અર્થાત્ આ જ્ઞાનમાં ચારભૂતના રૂપાદિ એકપણ ગુણ પ્રતિભાસતા નથી. (અને જે જ્ઞાનમાં જેના ગુણો ન પ્રતિભાસે, તે જ્ઞાન તે વસ્તુને અવલંબીને થતું નથી. દા.ત. પટજ્ઞાનમાં ઘટના કમ્બગ્રીવામિત્વવગેરે ગુણો પ્રતિભાસતા નથી. તો તે જ્ઞાન ધટને અવલંબીને થતું નથી. “અહં' જ્ઞાનમાં ભૂતપ્ન. ગુણો પ્રતિભાસતી નથી, માટે
અહ'જ્ઞાન ચારભૂતને અવલંબીને થતું નથી.) તથા (૨) “અહં' જ્ઞાને અન્તર્મુખઅવભાસક્તરીકે જ પ્રવૃત્ત થાય છે. અન્તર્મુખ અવભાસજ્ઞાન ભૂતાવલંબી હોતું નથી, કેમકે ભૂતને અવલંબી થતા જ્ઞાનો બહિર્મુખએવભાસી જ હોય છે. તેથી–“અહં જ્ઞાન ભૂતને અવલંબીને થતું નથી તેમજ સિદ્ધ થાય છે. આમ અંતર્મુખપ્રતિભાસી “અહં પ્રત્યાયના વિષયતરીક આત્મા સિદ્ધ થાય છે. માં જો તમે આત્માના અભાવના દાગ્રહના કારણે આ સત્યને તરછોડી આ પ્રત્યયના વિષયતરીક આત્મભિન્ન ભૂતાદિની લ્પના કરશો, તો તે ન્યાયસંગત નહિ રહે. કેમકે અતિપ્રસંગદોષ ઉભો છે. કેમકે આ જ પ્રમાણે પાણી વગેરેના પ્રતિભાસક જ્ઞાનના વિષયતરીકે પૃથ્વીને જ લ્પી લઈ પાણી વગેરેનો પણ અભાવ માનવાનો પ્રસંગ આવે. આ અકાય તર્કથી જ ઈન્દ્રદત્તની રૂપવગેરેની જેમ સ્વભાવનું અવધારણ થતું ન હોવાથી ઈત્યાદિ ઈન્દ્રજાળ ભેદાય જાય છે. કેમકે જેમ રૂપાદિવિષયમાં ઉત્પન્ન થતું રૂપાદિનિર્માસકજ્ઞાન રૂપવગેરેના સ્વભાવનો નિર્ણય કરાવે છે, તેમ “અહં પ્રત્યય પણ આત્મસ્વરૂપનો અવગમ કરાવે જ છે. કેમકે આ જ્ઞાન શરીરસંબંધી ગુણોથી વિમુખ થવાદ્વારા અન્તર્મુખતયા જ પ્રતિભાસે છે. અને “અન્તર્મુખતયા પ્રતિભાસ પામવો' એ જ આત્માનો સ્વભાવ છે. તેથી “અહં જ્ઞાન પણ આત્માના સ્વભાવનો નિર્ણય કરાવે છે.
પૂર્વપક્ષ :- જો આમ જ હોય, તો આત્માનો સર્વદા પ્રતિભાસ થવો જોઇએ, કેમકે (૧) આત્મસ્વરૂપરૂપ વિષય હંમેશા સમીપવર્તી છે, (૨) આત્માનો હંમેશા ગ્રહણસ્વભાવ છે. અર્થાત્ હમેશા જ્ઞાત થવાનો સ્વભાવ છે. (અથવા આત્માનો હંમેશા પ્રણ=જ્ઞાન કરવાનો સ્વભાવ છે.) અને તેથી (૩) હંમેશા “અહં” પ્રત્યય થવાનો પ્રસંગ છે.
ઉત્તરપક્ષ :- આ તર્કની ધાર બુઠ્ઠી છે. કેમકે “આત્મા હંમેશા પ્રહણસ્વભાવવાળો છે. તેવું અમે માનતા જ નથી. “કર્મથી જકડાયેલો આત્મા તે તે કર્મના ક્ષયોપશમના સામર્થ્યથી તે તે વિષયોના ગ્રાહારીક તે તે વિષયોમાં પ્રવૃત્તિ કરે છે. અને તે જ વખતે તે તે કર્મોના પ્રતિબન્ધના કારણે જ અન્ય વિષયોમાં પ્રવૃત્તિ કરતો નથી. તેથી જ્યારે આત્મગ્રાહક્કાનઆવારિક કર્મનાં ઉદયરૂપ પ્રતિબન્ધક હાજર હોય છે ત્યારે ... “અહં" પ્રત્યય થતો નથી, અને આત્માનું ગ્રહણ થતું નથી. આમ હમેશા આત્માના ગ્રહણ થવાની આપત્તિ રહેતી નથી. કહ્યું જ છે કે “આત્માવડે આત્માનું જ્ઞાન થતું હોવા ક્યાં અહીં તેના તેવા સ્વભાવના કારણે કર્મના દોષથી આત્માનું હમેશા ગ્રહણ જ્ઞાન થતું નથી તેમ સમજવું' ના
(પ્રત્યક્ષમાં પણ વિવાદ). પૂર્વપક્ષ :- અમે આગળ કહી ગયા કે પ્રત્યક્ષગ્રાહા પદાર્થમાં વિપ્રતિપત્તિ વિરોધી માન્યતાઓ સંભવતી નથી? અને આત્મા અંગે તો ઘણી વિપ્રતિપત્તિઓ દેખાય છે.
ઉત્તરપલ :- તમે પૂર્વે આમ , તે બરાબર છે, પણ જે કહ્યું તે બરાબર નથી. કેમકે પ્રત્યક્ષથી ઉપલબ્ધ થતા ભૂતોમાં પણ વિપ્રતિપત્તિઓ દેખાય જ છે. જેમકે સાંખ્યદર્શનના મતે આ ભૂતો પ્રકૃતિના જ વિકાર છે. તો નૈયાયિઆદિ અન્યમતે “આ બધા અણુ ભણુક આદિ કમથી આરંભાયેલા કાર્યરૂપ દ્રવ્યો છે.તો વિજ્ઞાનવાદી બૌદ્ધના
ધર્મસંગ્રહણિ ભાગ-૧ કિ પર