SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ च बुद्धिः, येनैवमुच्यमानमुपशोभेत, किंतु यदेवार्थज्ञानं तदेव बुद्धिरिति कथमनयोरनुमानानुमेयभावः । अथ मन्येथा - नार्थज्ञानं बुद्धेर्लिङ्गं किं तर्हि ?, इन्द्रियार्थी अथाहि यस्मादिन्द्रियमस्ति अर्थश्च तस्माद्भवितव्यमिन्द्रियाश्रितया अर्थविषयया च बुद्धयेति, तदप्ययुक्तम् उभयोरपि व्यभिचारित्वात् । यो ह्यर्थो यन्न व्यभिचरति स तस्य लिङ्गम् इन्द्रियं च ज्ञानं व्यभिचरति, सत्यपि तस्मिन्निन्द्रिये तज्ज्ञानस्याप्रवृत्तेः । अन्यथा सर्वेन्द्रियाणां सदा सद्भावात्सर्वदा सर्वेन्द्रियज्ञानोदयप्रसङ्गः । न चैतद्दृदृष्टमिष्टं वा, तस्मान्नेन्द्रियं ज्ञानाव्यभिचारि । अर्थोऽपि च ज्ञानं व्यभिचरत्येव तस्मिन्सत्यपि तदभावात् । इतरथा हि असन्निहितश्चेदर्थो ज्ञानस्य हेतुरिष्यते, तर्हि सर्वस्य सर्वदा सर्वार्थवित्त्वप्रसङ्गः। सन्निहितश्चेत्ततः सन्निहितस्य सर्वस्यापि युगपद्ग्रहणप्रसङ्गो, न चैतदिष्टं तथानुभवाभावात् । युगपदपीन्द्रियार्थो ज्ञानं व्यभिचरतः, इन्द्रिये सन्निहितेषु चार्थेषु सर्वेषु युगपद् ज्ञानाभावात्, नेन्द्रियार्थों लिङ्गं किन्तु मन इति चेत्, तदयुक्तम्, यतस्तदपि पूर्व तावत्सिद्धस्य ज्ञानस्य सिद्धया तस्य युगपदनुत्पत्त्या स्वयमनुमातव्यम्, तच्च ज्ञानमद्यापि असिद्धमिति कुतः तत्सिद्धिर्येन तल्लिङ्गमुद्धूष्येतेति । व्यक्तोऽर्थो बुद्धेर्लिङ्गं न तु ઇન્દ્રિયોના જ્ઞાનનો ઉપયોગ હોતો નથી.) તેથી ઇન્દ્રિય જ્ઞાનને વ્યભિચારી છે. આ જ પ્રમાણે અર્થ પણ જ્ઞાનનું લિંગ ન બની શકે. કેમકે અર્થ પણ જ્ઞાનને વ્યભિચારી છે. કેમકે અર્થની હાજરીમાં પણ જ્ઞાનનો અભાવ હોય છે. જો દૂરવર્તી પદાર્થ જ્ઞાનનો હેતુ-લિંગતરીકે ઇષ્ટ હોય, તો બધાને હંમેશા સર્વ અર્થના જ્ઞાતા માનવા પડશે. કેમકે હંમેશા દૂરવર્તી અર્થોની વિદ્યમાનતા છે. તેથી લિંગ હોય ત્યાં લિંગી હોય' એ ન્યાયથી તેઓના જ્ઞાનની પણ વિદ્યમાનતા માનવી પડે . હવે જો નજીક રહેલા અર્થે જ્ઞાનના હેતુ-લિંગ હોય, તો નજીક રહેલા તમામ અર્થોનું એકીસાથે જ્ઞાન થવાની આપત્તિ આવે. પણ આ ઇષ્ટ નથી. કેમકે સઘળા અર્થોનું એકીસાથે જ્ઞાન થવાનો અનુભવ થતો નથી.. શંકા :- ઇન્દ્રિય અને અર્થ ભેગા મળીને જ્ઞાનના લિંગ બને છે. તેથી ઉપરોક્ત દોષ નહિ આવે. સમાધાન :- આ બન્નેને ભેગા મળીને જ્ઞાનના લિંગ માનવામાં પણ વ્યભિચારર્દોષ ઉભો જ છે. કેમકે બધી ઇન્દ્રિયો અને એ બધી ઇન્દ્રિયોના અર્થો હાજર હોવા છ્તાં એકીસાથે તે બધાનું જ્ઞાન થતું નથી. (અન્યમનસ્ક તો એક પણ ઇન્દ્રિયના અર્થનું જ્ઞાન કરતો નથી, પણ અન્ય જ વિચારમાં ડૂબેલો રહે છે.) શંકા :- ઇન્દ્રિય અને અર્થ જ્ઞાનના લિંગ નથી, પણ મન જ જ્ઞાનનું લિંગ છે. સમાધાન :- આ વાત પણ બરાબર નથી. કેમકે મન પોતે જ હજી પગભર=સિદ્ધ નથી. કેમકે જ્ઞાનની સિદ્ધિ થયા બાદ, મનની સિદ્ધિ થાય છે. મન જ્ઞાનની સાથે યુગપત્ ઉત્પન્ન થતું ન હોવાથી મન સ્વયં અનુમેય છે. અને જ્ઞાન પોતે જ અત્યારના અસિદ્ધ છે. તેથી મન પણ અસિદ્ધ અવસ્થામાં છે. (કેમકે મનની સિદ્ધિ જ્ઞાનપર અવલંબિત છે.) તેથી અસિદ્ધ મનને જ્ઞાનનું લિંગ શી રીતે કહી શકાય ? અર્થાત્ જ્ઞાનના લિંગ તરીકે મન અસિદ્ધ છે. શંકા :- વ્યક્ત થયેલો અર્થ બુદ્ધિનું લિંગ બને છે, જે તે અર્થ નહિ. તેથી પૂર્વોક્ત દોષ નથી. સમાધાન :- આ વિલ્પ પણ ત્યાજ્ય છે. અર્થની વ્યક્તિથી (=વ્યક્તપણાથી) તમારે શું અભિમત છે ? જ્ઞાન ? કે અર્થમાં રહેલું જ્ઞાનહેતુક પ્રાયરૂપ સ્વરૂપવિશેષ ? જો અર્થની વ્યક્તિતરીકે જ્ઞાન ઇષ્ટ હોય, તો જ્ઞાન પોતે હજી અસિદ્ધ અવસ્થામાં છે, તેથી અર્થની વ્યક્તિ અસિદ્ધ છે. તેથી તે રૂપે અર્થ પણ અસિદ્ધ છે. (વ્યક્તિ અર્થનું વિશેષણ છે અને તે અર્થ જ્ઞાનનું વિશેષણ-લિંગ છે. તેથી વ્યક્તિની અસિદ્ધિમાં અર્થ અને જ્ઞાન બન્ને અસિદ્ધ બને.) હવે, જો જ્ઞાનહેતુક અર્થગત સ્વભાવવિશેષ જ વ્યક્તિ રૂપે ઇષ્ટ હોય, તો જ્ઞાન અસિદ્ધ હોવાથી તેના કાર્યભૂત એ સ્વભાવ પણ અસિદ્ધ થાય છે. તેથી આ પ્રમાણે અર્થગત સ્વભાવવિશેષ અસિદ્ધ હોવાથી તે સ્વભાવથી વિશિષ્ટ અર્થ પણ શી રીતે બુદ્ધિનું લિંગ બને? સિદ્ધ થાય છે કે, વ્યક્ત અર્થ પણ બુદ્ધિનું લિંગ નથી, વળી અર્થમાં રહેલું આ સ્વરૂપવિશેષ તો દરેક પુરુષ પ્રત્યે સમાનપણે રહેલું છે. તેથી તેનાથી તો બધા જ પુરુષોમાં તે અર્થવિષયક બુદ્ધિનું અનુમાન કરવાનો પ્રસંગ આવશે. વળી ક્દાચ લિંગ હોય, તો પણ તમે તો બુદ્ધિને હંમેશા પરોક્ષતરીકે જ સ્વીકારી છે. તેથી તે ક્યારેય સિદ્ધ-પ્રત્યક્ષઆદિથી અનુભૂત થયેલી નથી. તેથી તેની સાથે લિંગનાં સંબંધનું પણ જ્ઞાન કોઇપણ હિસાબે થાય તેમ નથી. અને જ્યાં સુધી લિંગ અને લિંગી વચ્ચેના સંબંધનો નિર્ણય ન થાય, ત્યાં સુધી આ લિંગ છે અને તેનાથી આ લિંગીનું અનુમાન થાય છે તેવો નિર્ણય પણ થઇ શકે નહિ. તેથી બુદ્ધિવિષયક અનુમાન પ્રવર્તી શક્યું જ નથી. આમ બુદ્ધિ પરોક્ષતરીકે સિદ્ધ થતી નથી. તેથી બુદ્ધિ સ્વવિદિતરૂપ જ છે. તેવો નિર્ણય થાય છે. નૈયાયિક જ્ઞાનાન્તરવેûજ્ઞાનમત નિરાસ) નૈયાયિક :– બુદ્ધિનું સવેદન થાય છે, તે વાત બરાબર છે. પરંતુ તેને સ્વસંવિતિ માનવાની જરૂર નથી, કેમકે તે પ્રમેયરૂપ હોવાથી અન્યજ્ઞાનથી જ વિદિત થાય છે. પ્રયોગ:- “જ્ઞાન બીજા જ્ઞાનથી જ વેદ્ય(=સવેદનયોગ્ય) છે. કેમકે પ્રમેયરૂપ છે. જેમકે ઘડો" ઉત્તરપક્ષ :- તમારે આ આલાપ વ્યર્થ વિલાપતુલ્ય છે. કેમકે તમારા અનુમાનપ્રયોગમાં હેતુ ઇશ્વરના જ્ઞાનથી અનૈકાંતિક ઠરે છે. કેમકે ઇશ્વરનું જ્ઞાન જ્ઞાનરૂપ હોવા છતાં તમને જ્ઞાનાન્તરવેદ્યતરીકે સંમત નથી. કેમકે તમે ઇશ્વરના જ્ઞાનને સ્વસંવેદ્ય માન્યું છે. ધર્મસંગ્રહણિ ભાગ-૧ ૪૮
SR No.006033
Book TitleDharm Sangrahani Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1994
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy