________________
भूप्रत्यक्षेणोपलम्भः, अनुमानतो भविष्यति, बाहि-दृश्यते पूर्वापरव्यवहारः स च न वस्तुस्वम्पमात्रनिमित्तो, वर्तमानेऽपि तत्प्रसङ्गात्, ततोऽसौ यन्निमित्तः, स कालः, तस्य च कालस्य पूर्वत्वमपरत्वं च स्वयमेव प्रतिपत्तव्यम्, अन्यथाऽनवस्थानुषङ्गात्, ततः पूर्वकालयोगी पूर्वोऽपरकालयोगी चापरः, उक्तं च-"पूर्वकालादियोगी यः, स पूर्वाद्यपदेशभाक। पूर्वापरत्वं तस्यापि, स्वरूपादेव नान्यतः। तदयुक्तम, एकान्तैकत्वाभ्युपगमे पूर्वादित्वासंभवात्। तचाहि-यद्येकान्तेनैकत्वं, कथं तस्य पूर्वत्वमपरत्वं चेति कल्पना, अथ सहचारिसंपर्कवशादेकस्यापि तथात्वकल्पना, समाहि--सहचारिणो रामादयः पूर्वे, अपरे चापरे, ततस्तत्संपर्कवशात्कालस्यापि पूर्वापरत्वव्यपदेशः, भवन्ति च सहचारिणो व्यपदेशाः, यथा-मञ्चाः क्रोशन्तीति, तदेतदसमीचीनम्, इतरेतराश्रयदोषप्रसङ्गात, तथाहि-सहचारिणां रामादीनां पूर्वादित्वं कालगतपूर्वादित्वयोगात्, यदि पुनः स्वत एव तेषां स्यात्तर्हि निरालम्बना कालकल्पना भवेत्, कालस्य च पूर्वादित्वं सहचारिगतपूर्वादित्वयोगात्, तत एकासिद्धावपरस्याप्यसिद्धिः, ततः परपरिकल्पितस्य कालस्य युक्त्याऽनुपपद्यमानत्वाद्वर्तनालक्षण एव कालः प्रतिपत्तव्यः, तत्राक्लेशेन पूर्वादित्वसंभवात, तथाहि यस्यातीता वर्तना स पूर्व उच्यते, यस्य च भाविनी सोऽपरो, यस्य च तत्काले सती स वर्तमानः, तस्य च वर्तनालक्षणस्य कालस्य प्रतिद्रव्यं भिन्नत्वादानन्त्यं, ततः स एव कालो धर्म इति विशेषणसमासः,
— — — — — — — “સ્વભાવ અને ધર્મ પરસ્પર પર્યાયવાચી શબ્ધ હોવાથી સ્વભાવને ધર્મ ધો છે. ૩૧ાા
હવે કાલધર્મનું સ્વરૂપ દર્શાવે છે.
ગાથાર્થ :- વર્તનાદિપ કાળ ધર્માસ્તિકાયવગેરે દ્રવ્યના જ પર્યાય છે. તેથી તે વર્તનાદિરૂપ કાલ એજ ધર્મ = કાલધર્મ. અથવા લોકમાં જે કાળનો જે ધર્મ હોય, તે કાળધર્મ. વર્તના–પદાર્થ સ્વયં વર્તી રહ્યો છે. આ પ્રમાણે વર્તી રહેલા પદાર્થને તેવા પ્રકારની પરિણતિને અભિમુખ લઈ જવાના સ્વભાવવાળી જે ક્લિા પ્રેરે છે કે “પદાર્થ તું વર્ત ! વર્ત | નિવૃત ન થા.' તે ળ્યિા વર્તના કહેવાય છે. વર્તનાદિમાં “આદિપદથી “સાદિ, “અનાદિ પરિણામ પણ સમજવા. આ બધા પરિણામરૂપ સ્વભાવવાળો પર્યાય જ કાલ છે.
(કાળ દ્રવ્યના પર્યાયરૂપ) પ્રશ્ન :- વૈશેષિકે વગેરેની જેમ તમે કેમ કાળને અલગ દ્રવ્ય માનતા નથી ?
ઉત્તર :- વૈશેષિક વગેરે બીજાએ જે કાળનામના એક વ્યાપક અને નિત્ય દ્રવ્યની લ્પના કરી છે. તે કાળ નામનો પદાર્થવિશેષ જીવાદિ વસ્તુથી અલગરૂપે ક્યાંય ઉપલબ્ધ થતો નથી.
પૂર્વપક્ષ :- પ્રત્યક્ષથી ભલે ઉપલબ્ધ ન થાય, પણ અનુમાનથી તો ઉપલબ્ધ થાય જ છે ને. લોકોમાં “પૂર્વ “અપર જનો-નવો) એવો વ્યવહાર થતો દેખાય છે. આ વ્યવહાર કંઈ વસ્તુના સ્વરૂપમાત્રના નિમિત્તે થતો નથી. અર્થાત વસ્તુનું કંઈ પૂર્વત્વ કે અપરત્વ સ્વરૂપ નથી કે જેથી તેને આગળ કરી વસ્તુને પૂર્વ કે અપર કહી શકાય. જો વસ્તુનું જ એવું સ્વરૂપ હોત, તો વર્તમાનઅવસ્થામાં પણ વસ્તુને પૂર્વ કે અપર કહેવાનો પ્રસંગ આવત. તેથી વસ્તુમાં
પૂર્વ “અપર ઈત્યાદિ જે વ્યવહાર છે. તે કોઈ સ્વતંત્ર પદાર્થને આધીન છે અને તે સ્વતંત્રપદાર્થ “કાળ' છે. કાળમાં પૂર્વવ હોવાથી કાળસાથે જોડાયેલી વસ્તુ પૂર્વ તરીકે ઓળખાય છે. આજ પ્રમાણે “અપર' માટે સમજવું. કાળમાં રહેલું આ પૂર્વત્વ અને “અપરત્વ સ્વત: સમજવું. નહિતર એ માટે નવા પદાર્થની લ્પના કરવામાં, એ નવા પદાર્થમાં પૂર્વત્વ “અપસ્વ લાવવા નવા પદાર્થની લ્પના..એમ અનવસ્થા દોષ આવે. તેથી પૂર્વકાળસાથે યોગ કરનારી વસ્તુ પૂર્વ બને. અને અપરકાળસાથે સંયોગ પામેલી વસ્તુ અપર બને. કાં પણ છે. “પૂર્વકાળવગેરેસાથે જે જોડાય તે પૂર્વઆદિ વ્યપદેશ પામે છે. તેનું પણ (પૂર્વાદિકાળનું પણ) પૂર્વત્વ અને અપરત્વ સ્વરૂપથી જ છે, અન્યથી નથી."
- ઉત્તરપલ :- આ વાત ગળે ઉતરે એવી નથી. તમે કાળને એકાન્ત એક જ માનો છો. પછી તેમાં પૂર્વાદિપણું શી રીતે સંભવી શકે ? જો કાળ એકાન્ત એકરૂપ હોય, તો તેમાં પૂર્વપણું અને અપરપણાની લ્પના શી રીતે ઘટી શકે ? કેમકે પૂર્વપણું અને અપરપણું એ બે વિરુદ્ધ ધર્મો છે. અને વિરુદ્ધધર્મવાળી વસ્તુ ભિન્ન જ હોય, કેમકે એડ્ઝ એક સાથે બે વિરુદ્ધ ધર્મો તમને ઈસ્ટ નથી. આમ તમારા મતે જ કાળ દ્રવ્ય બે સંખ્યાવાળું થાય.)
પૂર્વપક્ષ :- વાસ્તવમાં તો કાળ એક જ છે. પણ તે કાળને સહચારી વસ્તુના સંપર્કથી એક એવા પણ તે કાળની પૂર્વત્વ, અપરત્વ ઈત્યાદિ લ્પના થાય છે. “રામ વગેરે સહચારી વ્યક્તિ પૂર્વવર્તી છે તો ભરૂઆદિ બીજી સહચારી વ્યક્તિઓ અપરવર્તી–ઉત્તરવર્તી છે. તેથી રામઆદિના સંપર્કથી કાળ પૂર્વ કહેવાય છે અને ભરતાદિના સંપર્કથી કાળ
અપર' કહેવાય છે. અને સહચારીનો વ્યપદેશ સહચાર્યમાં થતો દેખાય જ છે. જેમકે અવાજ કરતા પુરુષોના સહચારથી “માંચડા અવાજ કરે છે.' એવો વ્યપદેશ થાય જ છે.
ઉત્તરપક્ષ :- તમારી અન્યોન્યાશ્રયષરત વાત અમાન્ય છે. રામવગેરે સહચારીઓમાં પૂર્વાદિપણું શાનાથી છે? જે સ્વત: જ હોય, તો કાલ' પદાર્થના અભાવમાં પણ પૂર્વાદિપણું ઉપપન થશે. કેમકે કાળપદાર્થના અભાવમાં પણ પૂર્વઆદિપણું ઉપપન થાય છે. અને જો રામવગેરેમાં પૂર્વઆદિપણું કાળગતપૂર્વાદિપણાથી છે, તો કાળમાં પૂર્વાદિપણું શાનાથી આવ્યું? જે સ્વતઃ સિદ્ધ માનશે તે ઉપર કહ્યું તેમ કાળના એત્વને વ્યાધાત આવશે. અને જો રામઆદિ સહ
ધર્મસંતણિ ભાગ-૧ ૭