SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ नान्तरीयकतानिश्चयोऽस्ति, प्रतिबन्धाभावात् तादात्म्यतदुत्पत्त्यनुपपत्तेरिति । तदसमीचीनम् वाच्यवाचकभावलक्षणेन प्रतिबन्धान्तरेण नान्तरीयकतानिश्चयोपपत्तेः । शब्दो हि विवक्षितबाह्यवस्तुवाचकस्वभावतया तन्नान्तरीयकः ततश्च शब्दान्निःशङ्किताबाधितार्थप्रतिपत्तौ नातोऽस्ति नवेति विकल्पितार्थप्रतिपत्तिः, येन विकल्पितस्याभावात्तदप्रापयत् शाब्द ज्ञानमविषयं भवेत् । स्यादेतत् यदि वास्तवः संबन्धोऽर्थैः सह शब्दानां तर्हि किमिदानी संकेतेन ?; स हि संबन्धो यतोऽर्थप्रतीतिः, स चेद्वास्तवो निरर्थकः संकेतः, तमन्तरेणापि तत एवार्थप्रतीतिसिद्धेः । नहि प्रदीपः स्वप्रकाश्यप्रकाशने संकेतमपेक्षते इति । नैष दोषः, यतो न सम्बन्धो विद्यमान इत्येतावतैवार्थप्रतीतिनिबन्धनं, किंतु स्वात्मज्ञानसहकारी, प्रदीपवदेव, तथाहि-यथा प्रदीपः स्वात्मदर्शनसहकारी सन् रूपप्रकाशनस्वभावः, ततोऽसति चक्षुषि न प्रकाशयति, स्वात्मदर्शनसहकार्यभावात्, तथा संबन्धोऽपि स्वात्मज्ञानसापेक्षः सन् प्रतीतिजननस्वभाव इति વિષય બને. દા.ત. પર્વતપર રહેલો અગ્નિ ત્યાં રહેલી વ્યક્તિને પ્રત્યક્ષ પ્રમાણનો વિષય બને. દૂર રહેલી માત્ર ધૂમાડાને જોઈ શક્તી વ્યક્તિમાટે અનુમાનનો વિષય બને. અને આ બેમાંથી એક વ્યક્તિ બોલે કે પર્વતપર અગ્નિ છે ત્યારે અંધ જેવી વ્યક્તિ કે જેણે અગ્નિ અને ધૂમાડો આ બન્નેને જોયા નથી, તેના શાબ્દબોધનો વિષય બને. તેથી વિષયના પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે વિભાગ કરી, વિષયના પ્રત્યક્ષ અને અનુમાન એ બે જ પ્રમાણ સ્વીકારવા અને શબ્દપ્રમાણને નિર્વિષય જાહેર કરવું વ્યાજબી નથી.) બૌદ્ધ – શબ્દનો અર્થસાથે તાદાત્મ્ય કે તત્પત્તિ બેમાંથી એક પણ પ્રકારનો સંબંધ ઘટતો નથી. આમ સંબંધના અભાવમાં શબ્દનો અર્થસાથે અવિનાભાવનો નિશ્ચય થઈ શકે નહિ. અને તેના અભાવમાં શબ્દથી નિશ્ચિત અર્થનો બોધ શી રીતે થશે ? સમાધાન :- તાદાત્મ્ય અને તત્પત્તિ આ બેજ સંબંધથી અવિનાભાવનો નિશ્ચય થાય તેવું ક્યાંથી લાવ્યા ? શબ્દ અને અર્થવચ્ચે જે વાચ્યવાચક્ભાવસંબંધ છે તે સંબધથી બન્ને વચ્ચેના અવિનાભાવની ઉપપત્તિ થઈ શકે છે. (ઘટાદ બાહ્યાર્થનો જો સર્વથા અભાવ હોય, તો ઘટાદિશબ્દનો ઘટાબિાહ્યાર્થવાચસ્વભાવ અનુપપન્ન બને.) આમ નિશ્ચિત શબ્દનો નિશ્ચિત અર્થસાથે વાચ્યવાભાવ સંબંધદ્વારા અવિનાભાવ છે. તેથી શબ્દથી નિ:શક્તિ અને અબાધિત અર્થનો બોધ થાય જ છે. તેથી તમે (બૌદ્ધ) જે ક્યું કે “શબ્દથી તે હશે કે નહિ.” તેવા વિકલ્પિતઅર્થની જ પ્રતિપત્તિ થાય છે.” એ વાત ખોટી ઠરે છે. અને વિકલ્પિત અર્થનો અભાવ હોવાથી શાબ્દજ્ઞાન નિર્વિષય છે તેવી વાત પણ પોળ ઠરે છે. (સંક્તની આવશ્યક્તા). શંકા :- જો શબ્દોનો અર્થ સાથેનો સંબંધ વાસ્તવિક હોય, અને તે સંબધમાત્રથી અર્થની પ્રતીતિ થતી હોય, તો સંક્તથી સર્યું. કેમકે સંતના અભાવમાં પણ શબ્દ અને અર્થવચ્ચે વાચ્યવાચક્ભાવ સંબંધ ો જ છે. આ વાચ્યવાચક્ભાવ સંબંધ જ અર્થની પ્રતીતિમાં સમર્થ હોય, તો તેને અર્થની પ્રતીતિમાં સૂક્તની કોઈ અપેક્ષા નથી. દીવો કંઇ પોતાના પ્રકાશ્ય (=પ્રકાશિત થવા યોગ્ય ઘટ આદિ વસ્તુ)નો પ્રકાશ કરવામાં સંક્તની અપેક્ષા રાખતો નથી. પણ સંક્તથી નિરપેક્ષપણે જ સ્વપ્રકાશ્યને પ્રકાશે છે. પણ લોક્માં તે તે શબ્દનાં તે તે અર્થમાં સંક્તના જ્ઞાન વિના તેને શબ્દથી તેને અર્થનો બોધ થતો દેખાતો નથી. અને સંક્તથી જ અર્થનો બોધ થતો હોય, તો નિરર્થક એવા વાચ્યવાચક્ભાવ સંબંધથી સર્યું. સમાધાન : અહીં તમે બતાવી તેવી આપત્તિ નથી. સંબંધ પોતાની હાજરીમાત્રથી અર્થની પ્રતીતિમાં કાણ બનતો નથી. પરંતુ શ્રોતામાં રહેલા પોતાનાસંબધના જ્ઞાનનો સહકાર રાખીને જ કારણ બને છે. જેમ દીવો દર્શમાં રહેલા પોતાના દર્શનરૂપ સહકારીને સાથે રાખીને જ ઘટાદિ બાહ્માર્થનો પ્રકાશ કરવાના સ્વભાવવાળો છે. તેથી દીવાની હાજરી હોવા છતાં આંખના અભાવમાં દીવો કોઇપણ વસ્તુ દેખાડી શક્તો નથી. કેમકે ત્યાં દીવાના દર્શનરૂપ સહકારીની ગેરહાજરી છે. (જે દીવાને જોવા સમર્થ છે તે જ દીવાથી પ્રકાશ્ય વસ્તુને જોઇ શકે છે.) તેમ જે વ્યક્તિને શબ્દ અને અર્થ વચ્ચેના નિશ્ચિત વાચ્યવાચક્ભાવ સંબંધનો ખ્યાલ હોય તે જ વ્યક્તિને એ સંબંધ નિશ્ચિત અર્થની પ્રતીતિમાં હેતુ બને. કેમકે સંબંધ પણ શ્રોતાગત સંબધજ્ઞાનને સાપેક્ષ રહીને જ અર્થની પ્રતીતિ કરાવવામાં સમર્થ છે. તેથી આ સંબંધ વાસ્તવિક હોવા છતાં સૈક્તવગેરેના અભાવમાં અર્થની પ્રતીતિ કરાવતો નથી. કેમકે સંક્તવગેરેના અભાવમાં આ વાચ્યવાચસંબંધના સ્વરૂપના જ્ઞાનરૂપ સહકારીનો અભાવ હોય છે. ટૂંકમાં શબ્દથી અર્થની નિશ્ચિત પ્રતિપત્તિમાં વાચ્યવાચભાવસંબધ નિયામક છે. વાચ્યવાચભાવસંબંધની આ નિયામક્તા એ સંબંધના સ્વરૂપના જ્ઞાનની અપેક્ષા રાખે છે. અને એ સંબંધના સ્વરૂપનું જ્ઞાન ક્ત વગેરેથી થાય છે. શંકા :- ઘણીવાર સંત વિના પણ શબ્દથી અવિપરીતપણે અર્થની પ્રતીતિ થતી દેખાય છે. માટે સંક્તની આવશ્યક્તા નથી. સમાધાન :- અહીં વસ્તુતત્ત્વ આ છે.— વાચ્યવાચક્ભાવસંબંધના સ્વરૂપનું જ્ઞાન તે જ્ઞાનાવરણકર્મના 'ક્ષયથી કે ક્ષયોપશમથી થાય છે. આ ક્ષય કે ક્ષયોપશમ કાંતો (૧) સંક્તથી થાય અથવા (૨) તપથી થાય. કેપછી (૩) ચાત્રિથી થાય અથવા (૪) ભાવનાવગેરેથી થાય. કેટલાકને તપ, સંયમ અને ભાવનાવગેરેથી તે જ્ઞાનાવરણકર્મનો ક્ષય કે ક્ષયોપશમ થાય છે. તેથી સંક્તના અભાવમાં પણ માત્ર શબ્દ કે માત્ર અર્થથી જ શબ્દ અને અર્થવચ્ચેના વાચ્યવાચક્ભાવ સંબંધનું જ્ઞાન ધર્મસંગ્રહણિ ભાગની ૨૩
SR No.006033
Book TitleDharm Sangrahani Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1994
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy