SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमाणं, यथा गगनेन्दीवरज्ञानं, न भवति च विषयवत् शाब्दं ज्ञानमिति । तथाहि-- द्विविधो विषयः, प्रत्यक्षः परोक्षश्च । तत्र न तावत्प्रत्यक्षः शाब्दज्ञानस्य विषयः, यस्य हि प्रतिपत्तुः संबन्धिनो ज्ञानस्य प्रतिभासेन स्फुटाभनीलाद्याकाररूपेण योऽनुकृतान्वयव्यतिरेकोऽर्थः स तस्य प्रत्यक्षः, तस्य च प्रत्यक्षस्यार्थस्यायमेव प्रतिपत्तिप्रकारो नापरः । तदर्थान्वयव्यतिरेकानुविधायि च स्फुटप्रतिभासं ज्ञानं प्रत्यक्षं, प्रत्यक्षज्ञेयत्वात् । तन्नो प्रत्यक्षोऽर्थोऽनेकप्रकारप्रतिपत्तिविषयो, यः शाब्दप्रमाणस्यापि विषयः कल्प्येत । नापि परोक्षोऽर्थस्तस्य विषयो, यतोऽन्वयव्यतिरेकनिश्चिततन्नान्तरीयकार्थदर्शनात्परोक्षस्यार्थस्य प्रतिपत्तिः, यथा धूमदर्शनाद् वह्नेः, अन्यथाऽतिप्रसङ्गात्। न चार्थेन सह शब्दस्य नान्तरीयकता अन्वयव्यतिरेकाभ्यां निश्चिता, प्रतिबन्धाभावात् तादात्म्यतदुत्पत्त्यनुपपत्तेः । तथाहि - अर्था बाह्या घटादयो न रूपं शब्दानां नापि शब्दो रूपमर्थानां तथाप्रतीतेरभावत्, तत्कथमेषां तादात्म्यं ? येन कृतकत्वानित्यत्वयोरिव व्यवस्थातो भेदेऽपि नान्तरीयकता स्यात् । अपि च तादात्म्याभ्युपगमे क्षुरिकानलाचलादिशब्दोच्चारणे वदनपाटनदहनपूरणादिदोषप्रसङ्गः, तन्नायमभ्युपगमः श्रेयान् । नापि तदुत्पत्त्यभ्युपगमः, वस्तुनः शब्दोत्पत्तावकृत संकेतस्यापि पुंसः प्रथमपनसदर्शने सति तच्छब्दोच्चारणप्रसङ्गात् । शब्दाच्च वस्तुत्पत्तौ विश्वस्यादरिद्रताप्रसङ्गः, तत एव कटककुण्डलाद्युत्पत्तेः । ततः प्रतिबन्धाभावान्न शब्दस्यार्थेन सह नान्तरीयकतानिश्चयः । तदभावाच्च न शब्दान्निश्चितार्थप्रतिपत्तिर्युक्ता, अपि त्वनिवर्त्तितशङ्कत्वादस्ति नवेति विकल्पितार्थप्रतिपत्तिः । न च विकल्पितमुभयरूपं वस्त्वस्ति यत्प्राप्यं सत् शब्दस्य विषयः स्यात् । प्रवर्त्तमानस्य तु पुरुषस्यार्थस्य पृथिव्याममज्जनादवश्यमन्यत् ज्ञानान्तरं तत्प्रतिपत्तिनिमित्तभूतमुत्पद्यते, यतः सोऽवाप्यत इति शाब्दज्ञानस्य विषयवत्त्वाभाव इति” । तदेतदयुक्तमवगन्तव्यं, विषयवत्वाभावासिद्धेः । परोक्षस्य तद्विषयत्वात् । यत्पुनरुक्तं- 'नैवार्थेन सह शब्दस्य પર્વત” શબ્દ હેતાની સાથે જ મુખ પૂરાઈ જાય. (કે ઇરી વગેરે શબ્દો *છરી વગેરે અર્થસાથે તાદાત્મ્યથી જોડાયેલા છે, પરંતુ તેમ થતું નથી.) માટે શબ્દનો અર્થસાથે તાદાત્મ્ય સંબંધ સ્વીકારો શ્રેયસ્કર નથી. તથૈવ, શબ્દનો અર્થસાથે તત્પત્તિસંબંધ પણ સ્વીકાર્ય નથી. વસ્તુમાંથી શબ્દ ઉત્પન્ન થતો નથી જો વસ્તુમાંથી શબ્દની ઉત્પત્તિ માનશો તો જેને નસ (ફળવિશેષ)નો સંત ખબર નથી (આને ફનસ હેવાય. એવું જ્ઞાન નથી) એવી વ્યક્તિ પણ પ્રથમવાર ફનસના દર્શન કરતાની સાથે નસ શબ્દનો ઉચ્ચાર કરશે. તેમ માનવાનો પ્રસંગ આવશે. (જે વસ્તુના પ્રથમ દર્શનની સાથે જ વસ્તુના શબ્દનો ઉચ્ચાર સંભવિત હોય, તો વસ્તુ અને શબ્દ વચ્ચે તત્પત્તિસંબંધ માન્ય થાય.) અથવા જો શબ્દમાંથી વસ્તુની ઉત્પત્તિ થતી હોય, તો આ જગતની ગરીબી કાયમમાટે હટી જાય. કેમકે ‘સુવર્ણવલય. કુંડળ' વગેરે શબ્દો બોલતાની સાથે જ જાદુઈ ચિરાગની જેમ ટપોટપ તે તે સુવર્ણવલયાદિ વસ્તુ હાજર થઈ જાય, પણ આ પ્રમાણે થતું દેખાતું નથી. તેથી શબ્દમાંથી અર્થની ઉત્પત્તિ અસિદ્ધ છે. તેથી તે રૂપે પણ તત્પત્તિ સંબંધ અસિદ્ધ છે. આમ તાદાત્મ્ય કે તત્પત્તિ બેમાંથી એકપણ સંબંધ શબ્દ અને અર્થ વચ્ચે વિદ્યમાન નથી. તેથી શબ્દ અને અર્થ વચ્ચે અન્વય-વ્યતિરેારા અવિનાભાવ નક્કી થઈ શક્તો નથી. અને આ અવિનાભાવના નિશ્ચયના અભાવમાં શબ્દથી નિશ્ચિત અર્થની પ્રતિપત્તિ (-બોધ) સંભવતી નથી. બલ્કે, શંકાનું નિવારણ થતું ન હોવાથી તે હો કે નહિ એવા વિકલ્પિત અર્થનું જ જ્ઞાન થાય છે. (ઘ શબ્દોચ્ચારથી ઘો છે જ તેવો નિશ્ચય નથી થતો. પણ આ વક્તા ઘટ" શબ્દ બોલે છે, તો શું જગતમાં ઘટ જેવી કોઇ વસ્તુ હશે કે નહિ” એવો શંકાસ્પદ બોધ જ થાય) અને જેમાં ઉભયરૂપ (અસ્તિત્વરૂપ અને નાસ્તિત્વરૂપ) વિકલ્પિત હોય તેવી કોઇ વસ્તુ વાસ્તવમાં છે જ નહિ, કેમકે વસ્તુમાત્ર સત્ હોવાથી એકમાત્ર અસ્તિત્વરૂપવાળી જ છે.) આમ શબ્દના વિષયતરીકે કોઇ વસ્તુ સિદ્ધ થતી નથી. શંકા :– આમ તો, વક્તા જે જે વસ્તુનો શોચ્ચાર કરે, શ્રોતાને તે તે વસ્તુ ઉભયરૂપ વિકલ્પિત જ જ્ઞાત થશે. અને તેવી વસ્તુ તો છે જ નહિ. તેથી શ્રોતાને તે તે વસ્તુના અભાવનો નિશ્ચય થશે. તેથી શ્રોતા ક્યારેય પણ સાંભળેલી વસ્તુ અંગે પ્રવૃતિ કરશે જ નહિ, કેમકે તેને માટે તો તે વસ્તુ અસત્ છે. સમાધાન :અલબત્ત, શબ્દશ્રવણથી તો વિકલ્પિતઉભયરૂપવાળી વસ્તુનો જ બોધ થાય, અને તે રૂપે વસ્તુનો અભાવ જ છે. છતાં પણ તે વસ્તુમાં પ્રવૃત્ત થતા પુરુષ માટે કંઇ તે વસ્તુ પૃથ્વીમાં ડૂબી જતી નથીતે વસ્તુનો અભાવ થઈ જતો નથી. પણ તે વસ્તુ ઉપલબ્ધ થાય જ છે. શબ્દની વસ્તુની ઉપલબ્ધિમાં કાણતા નથી, એ તો ઉપરની ચર્ચાથી સિદ્ધ થાય છે. છતાં શબ્દશ્રવણ પછી પ્રવૃત્તિ કરનાર પુરુષને અર્થની ઉપલબ્ધિ પણ થાય છે. માટે માનવું જ પડશે કે ત્યાં તે વસ્તુની ઉપલબ્ધિ = જ્ઞાનમાં કારણભૂત જ્ઞાનાત્તર ઉત્પન્ન થાય છે. અને તે જ્ઞાનાન્તરથી જ વસ્તુ ઉપલબ્ધ થાય છે. માટે શાબ્દજ્ઞાન વિષયવત્તાના અભાવવાળું નિર્વિષય હોવાથી પ્રમાણભૂત નથી. (શાબ્દજ્ઞાનની વિષયવત્તાની અને પ્રમાણતાની સિદ્ધિ) જૈન :- બૌદ્ધની આ દલીલ યુક્તિયુક્ત નથી, કેમકે શાબ્દજ્ઞાન વિષયવંત્તાના અભાવવાળું નિર્વિષય છે. એવું કથન સત્યથી વેગળું છે. કારણ કે પરોક્ષ વસ્તુઓ શાબ્દજ્ઞાનના વિષય છે જ. (બધા જ પરોક્ષ અર્થો માત્ર અનુમાનગમ્ય જ છે તેવો સિદ્ધાંત પ્રમાણસિદ્ધ નથી. પરોક્ષ અર્થોમાં પણ જેટલા પદાર્થો પ્રત્યક્ષઆદિ પ્રમાણસિદ્ધ અર્થસાથે વ્યાપ્તિ ધરાવતા હોય, અને જેઓના વિના સિદ્ધ અર્થ અન્યથાઅનુપપન્ન બનતો હોય, તેવા જ અર્થો અનુમાનયોગ્ય બને. બાકીના પોક્ષ અર્થો અનુમાનગમ્ય નથી. વળી અર્થોની પ્રત્યક્ષતા કે પરોક્ષતા નિશ્ચિત નથી પણ તે તે પ્રમાતાની અપેક્ષાએ તે તે દેશકાળને આશ્રયીને વસ્તુ પ્રત્યક્ષ કે પરોક્ષ બને છે. વળી સત્ પદાર્થો પ્રત્યક્ષદિ સર્વ પ્રમાણોના વિષય બનવા સમર્થ છે. જે વખતે જેવા પ્રકારના પ્રતિભાસનો તે વિષય બને, તેવા પ્રકારના પ્રમાણનો ધર્મસંગહણિ ભાગન દરર
SR No.006033
Book TitleDharm Sangrahani Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1994
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy