________________
सपरुवगारट्ठाए जिणवयणं गुरुवदेसतो गाउं । वोच्छामि समासेणं पयडत्थं धम्मसंगहणिं ॥ ३ ॥
(स्वपरोपकारार्थं जिनवचनं गुरूपदेशतो ज्ञात्वा । वक्ष्यामि समासेन प्रकटार्थां धर्मसङ्ग्रहणिम् ॥ ) असति हि प्रयोजनाद्यभिधाने प्रेक्षावतामेवमाशङ्का प्रवर्त्तेत- निष्फलमस्याभिधेयं, काकदन्तपरीक्षावत्, अशक्यानुष्ठानं वा, सत्यपि फले सर्वव्याधिहरानन्तचूडारलधारणोपदेशवत्, अनभिमतं वा श्रवणप्रयोजनं, मातृविवाहोपदेशवत्, अतो वा प्रकरणाल्लघुरन्यस्तस्य प्रयोजनस्य प्राप्त्युपायो भविष्यतीति । न चासामन्यतमयाऽप्याशङ्कया प्रेक्षावान् प्रवर्त्तेत, तद्वत्ताहानिप्रसङ्गात्, अतस्तन्निवृत्त्यर्थमेष प्रयोजनाद्युपन्यास इति । नन्वयं प्रयोजनाद्युपन्यासोऽनर्थकः, अतः सम्यक् प्रयोजनाद्यनवगतेः सकलप्रकरणार्थपरिज्ञानपुरस्सरो हि प्रयोजनाद्यवगतिः, सा कथमतो भवितुमर्हतीति, न, अस्मादेव प्रयोजनाद्युपन्यासात्सामान्येन सम्यक् प्रयोजनाद्यवगतेः, लोके तथाव्यवहारदर्शनात् । सामान्येन तदवगतावेव च तद्विशेषपरिज्ञानार्थं प्रकरणे प्रेक्षावतां प्रवृत्तिर्नान्यथेति, तत्प्रवृत्त्यर्थत्वान्नासावपार्थक इति स्थितम् ।
મૂળમાં દર્શાવેલું ભગવાનનું તીર્થંકર’વિશેષણ નિરર્થક છે. કેમકે જે અર્થત: પ્રાપ્ત હોય, તેનામાટે શબ્દપ્રયોગની આવશ્યક્તા હોતી નથી. સમાધાન : તમારી વાત સુયોગ્ય નથી. કેમકે કેવળજ્ઞાની ગણધભગવંતોમાં પણ વીતરાગત્વ'વગેરે ગુણો સારી રીતે સંભવી શકે છે. તેથી તીર્થંકર વિશેષણના અભાવમાં તેઓ પણ ગ્રાહ્ય બને. પણ તે મૂળકારશ્રીને ઇષ્ટ નથી. કેમકે તેઓશ્રીને પરમાત્માની સ્તુતિ અભિમત છે. તેથી ગણધભગવંતોની બાદબાકી કરવા તીર્થંકર” પદનું ઉપાદાન કર્યું છે. ગણધભગવંતો વીતરાગઆરૂિપ હોવા છતાં તીર્થંકર નથી. તેથી પ્રસ્તુતસ્તુતિના વિષયતરીકે તેમનો સમાવેશ થશે નહિ. શંકા : તો પછી, માત્ર તીર્થંકર પદ જ હો. વીતરાગ વગેરે વિશેષણોની શ્રેણિની આવશ્યક્તા નથી. કેમકે તીર્થંકર વિશેષણના સામર્થ્યથી જ‘વીતરાગપણું વગેરે ગુણો સૂચિત થઈ જાય છે. અને કેવલજ્ઞાની ગણધર ભગવંતોવગેરેનો વ્યવચ્છેદ પણ થઈ જશે.
સમાધાન :- એમ નથી. નદીવગેરેના વિષમસ્થાનોમાં સુખેથી ઉતરવામાટે જેઓ તીર્થકરવાના સ્વભાવવાળા છે તેઓને પણ લોકો ‘તીર્થંકર” હે છે. તેથી માત્ર તીર્થંકર પદ જોઇને મુગ્ધબુદ્ધિ જીવો આ લૌક્તિીર્થંકરોની બુદ્ધિ ન કરે તે હેતુથી લૌક્તિીર્થોનો વ્યવચ્છેદ કરવામાટે વીતરાગપણું વગેરે ગુણો દર્શાવતા વીતરાગ’આદિ વિશેષણોનું ગ્રહણ
છે.
આટલા બધા વિશેષણોથી વિશિષ્ટ કઈ વ્યક્તિને અહીં નમસ્કાર ર્યો છે? એ દર્શાવવા વિશેષ્યપદ દર્શાવે છે, મહાવીર મહાવીર પદની વ્યુત્પત્તિ- તિવ્રયો ઇ ધાતુ ગતિ અને પ્રેરણા અર્થમાં આવે છે. વિ +ઇર-જે વિશેષથી કર્મને પ્રેરે છે–વિનાશ કરે છે. તથા શિવ=મોક્ષમાં જાય તે વીર. મહાન વીર=મહાવીર...તેમને નમીને....
શંકા :- વાસ્તવમાં જે મહાવીર હોય તે વીતરાગપણું” વગેરે ગુણગણથી ગરિષ્ઠ જ હોય. તેથી આ સમર્થ વિશેષપદનું ગ્રહણ પર્યાપ્ત છે. વીતરાગ વગેરે વિશેષણો વધારાના છે.
સમાધાન :- એમ નથી. નામઆદિમાત્રથી મહાવીરવગેરેને બાકાત કરવાદ્વારા વીતરાગવગેરે વિશેષણો સફળ છે. અહીં પ્રત્યેક પોની સાર્થક્તાની સિદ્ધિ કરી. આજ પ્રમાણે વિચિત્ર પ્રકારના નયોના જ્ઞાતાએ બેવગેરે પોના સંયોગની અપેક્ષાએ પણ શક્તિમુજબ સ્વયં જ વિશેષણોની સફળતાનો વિચાર કરી લેવો. તેથી અહીં વિસ્તારથી સર્યું. આ પ્રમાણે મૂળકારશ્રીએ ઇષ્ટદેવતાની સ્તુતિ કરી. આ સ્તુતિથી ગ્રંથની પ્રવૃત્તિઅંગેના મૂળકારશ્રીના સઘળા વિઘ્નોનો સમુદાય નષ્ટ
થયો.
શ્રવણાદિ પ્રવૃત્તિ કરાવવા પ્રયોજનવગેરેનું પ્રતિપાદન કરવાની હું સ્વપરના ઉપકાર માટે સંક્ષેપથી પ્રગટ અર્થથી યુક્ત
હવે ગ્રંથકાર પોતાના ગ્રંથમાં પ્રેક્ષાવાન પુરૂષોની ઇચ્છાથી આ પ્રમાણે કહે છે - ગાથાર્થ :–ગુરુના ઉપદેશથી જિનવચનનું જ્ઞાન કરી, ધર્મસંગ્રહણિ કહીશ. ગા
(પ્રયોજનકથનની આવશ્યક્તા.)
પ્રયોજનવગેરે જો બતાવવામાં ન આવે, તો વિચારશીલ વ્યક્તિને આશંકા થાય કે આ ગ્રંથથી જે કહેવાનું છે તે (૧) કાગડાના દાંતની પરીક્ષાની જેમ ક્દાચ નિષ્ફળ=વ્યર્થ ન હોય! અથવા (૨) ફળયુક્ત હોવા છતાં, જેમ શેષનાગના મસ્તકપર રહેલા સર્વવ્યાધિને દૂર કરનારાં ચૂડાસ્તને ધારણ કરવાનો ઉપદેશ અશક્ય અનુષ્ઠાનસૂચક હોઈ અનાદેય છે. તેમ આ ગ્રંથ પણ ક્દાચ અશક્ય અનુષ્ઠાનસૂચક ન હોય! અથવા (૩) આ ગ્રંથ સાંભળવાનું પ્રયોજન માતાના વિવાહના ઉપદેશની જેમ દાચ અનિષ્ટ=અશ્રાવ્ય ન હોય ! અથવા (૪) તે પ્રયોજનની પ્રાપ્તિઅંગેનો આ પ્રકરણથી પણ ટુંકો અન્ય કોઇ ઉપાય ાચ ન હોય! ઉપરોક્ત ચારમાંથી કોઇપણ પ્રકારની આશંકાની હાજરીમાં પ્રેક્ષાવાન પુરૂષ પ્રવૃત્તિ કરે નહિ. કેમકે જો આશંકાની હાજરીમાં પણ પ્રવૃત્તિ છે, તો તેની વિચારશીલતાને જ વ્યાઘાત પહોંચવાનો પ્રસંગ છે. માટે, આ આશંકાઓને દૂર કરવા પ્રયોજનવગેરેનો ઉપન્યાસ આવશ્યક છે.
ધર્મસ ગ્રહણિ ભાગ-૧ -૧૦