________________
फलिहमणिस्सालत्तग-जोगातो रत्तयव्व एयंपि ।
તક્ષેવ તહારગામ-વિહતો સર્વ્યહાડ(ન)નુĒ ॥ ૫ ॥
(स्फटिकमणेरलक्तकयोगाद् रक्ततावदेतदपि । तस्यैव तथापरिणामविरहात् सर्वथाऽयुक्तम्)
स्फटिकमणिः - उपलविशेषस्तस्य यथा अलक्तकंयोगाद् रक्तता भवति तथा आत्मनोऽपि सुखादीनां सन्निधानात् तत्प्रतिबिम्बेन तदनुभव इति । अत्र दूषणमाह- 'एयंपीत्यादि एतदपि - प्रतिबिम्बं तस्यैव -- आत्मनस्तथापरिणामविरहतः तत्तत्प्रतिबिम्बरूपतापत्तिलक्षणपरिणाममन्तरेण सर्वथा न युक्तम्, स्फटिकोपलस्य हि तत्तदुपधानभेदेन तत्तत्प्रतिबिम्बं युक्तं, तस्यापरापररूपापत्तियोगतः परिणामित्वात्, आत्मा तु त्वया एकान्तनित्य इष्यते, ततस्तस्य तथापरिणामशून्यत्वेन सर्वथा प्रतिबिम्बमयुक्तमेवेति ॥ २१५ ॥ अथ मा भूदेष दोष इति तस्य तथापरिणाम इष्यते, तत आह-
तस् य तहपरिणामे परिणामित्तं पसज्जती तह य ।
ल्हायादिसहावत्ता तद्धम्मत्तं सुहादीणं ॥ २१६ 11
(तस्य च तथापरिणामे परिणामित्वं प्रसज्यते तथा च । ह्वादिस्वभावत्वात् तद्धर्मत्वं सुखादीनाम् ) तस्य પ-આત્મનઃ प्रतिबिम्बान्यथानुपपत्त्या तथापरिणामे - अपरापरसुखादिप्रतिबिम्बरूपतापत्तिलक्षणेऽभ्युपगम्यमाने परिणामित्वं प्रसज्यते, तथा च सति तस्यात्मनो ह्रादादिस्वभावत्वात् सुखादीनामात्मधर्मत्वं प्रसज्यते, तथाहि-- आत्मा सुखादिप्रतिबिम्बरूपपरिणामभावात् ह्लादादिस्वभावो जातो, ह्लादादयश्च सुखादय इति ॥२१६॥ सुखादीनामात्मधर्म्मत्वमेव सर्वज्ञमुखेन द्रढयति-
सुहदुक्खे सातेतरकम्मोदयजे जिणेहि पण्णत्ते । आयपरिणामरूवे ऊहाविन्नाणगम्मेत्ति ॥ २१७ ॥ (सुखदुःखे सातेतरकर्मोदयजे जिनैः प्रज्ञप्ते । आत्मपरिणामरूपे ऊहाविज्ञानगम्ये इति)
જો તે સ્વભાવે ખસવું જ ન હોય, તો તે હંમેશા સુખી કેમ રહેતો નથી ? (સુખી થવાના સ્વભાવ વિના સુખી થઇ શકે નહિ, અને દુ:ખી થવાના સ્વભાવ વિના દુ:ખી થઇ શકે નહિ. તેથી સુખ-દુ:ખકાળ સ્વભાવભેદ થવો જ જોઇએ.) સારાંશ એકાંત નિત્ય” એવું પૂર્વપક્ષીય વચન માલ વિનાનું છે. ર૧૩ગા
(સાંખ્યમતનિરાસ)
હવે સાંખ્યમતનું ખંડન કરતાં હે છે
ગાથાર્થ :- (સાંખ્ય) સુખ, દુ:ખ ભિન્ન છે, આત્મા ભિન્ન છે. (જૈન) આબાળગોપાળ પ્રસિદ્ધ અનુભવ કોને થશે? (સાંખ્ય) તેના (સુખ દુ:ખના) પ્રતિબિંબથી તેને (-આત્માને) જ.
સાંખ્ય :- સુખ-દુ:ખ અને આત્મા પરસ્પરથી અત્યંત ભિન્ન છે. તેથી સુખવગેરેની અન્યથા અનુપપત્તિ દ્વારા આત્માને પરિણામી સિદ્ધ કરવો અસ્થાને છે.
જૈન :– જો આત્મા સુખ અને દુ:ખથી એકાન્તે ભિન્ન જ હોય, તો આબાળગોપાળપ્રસિદ્ધ સુખવગેરેનો આ અનુભવ કરનાર કોઇ મળશે નહિ. કેમકે તમે આત્માને સુખઆદિથી એકાન્તભિન્ન કહી આત્માને અનુભવકર્તા તરીકે સ્વીકારતા નથી. અને આત્મભિન્ન વસ્તુઓ ઘડાવગેરેની જેમ અચેતન છે. તેથી તેઓને અનુભવ સંભવતો નથી. છે.
સાંખ્ય : સુખ અને દુ:ખનું આત્મામાં પ્રતિબિંબ પડતું હોવાથી આત્મા જ સુખઆદિનો અનુભવ કરે છે. બીજાઓ નહિ. તેથી અનુભવસાથે વિરોધની આપત્તિ નથી. ાર૧૪ા
અહીં દૃષ્ટાંત બતાવે છે.
ગાથાર્થ :- જેમકે અલક્તક (‘અલથો” નામનું પગે લગાડવાનું દ્રવ્યવિશેષ)ના સંબંધથી સ્ફટિકમણિ લાલાશ ધારણ કરે છે. (ઉત્તર) આ પણ આત્માનો તેવા પરિણામ ન હોવાથી તદ્દન અયોગ્ય છે.
સ્ફટિકમણિ નિર્મલ છે. છતાં અલથાવગેરેના સંયોગથી તેમાં લાલાશ દેખાય છે. તેમ આત્મા સ્વયં સુખઆદિથી રહિત છે, છતાં પણ સુખવગેરેના સંનિધાનથી સુખવગેરેનું પ્રતિબિંબ પડતું હોવાથી સુખનો અનુભવ કરે છે. તેમ કહી શકાય.
ઉત્તરપક્ષ : અહીં દૂષણ આ છે + આત્માનો તેવા પ્રકારનો પરિણામ ન હોવાથી આત્મામાં પ્રતિબિંબ સંભવતું નથી. આત્મામાં જો સુખઆદિની પ્રતિબિંબરૂપતા પામવાનો પરિણામ હોય, તો જ તેમાં પ્રતિબિંબ પડે. તેવો પરિણામ ન હોય, તો પ્રતિબિંબ પડે તે સર્વથા અસંગત છે. સ્ફટિક તે તે વસ્તુના સન્નિધાનથી તેવા તેવા રૂપને ધારણ કરે, તે મગજમાં બેસી શકે, કેમકે સ્ફટિકમાં અન્ય અન્ય રૂપની પ્રાપ્તિ સંભવે છે, કેમકે તે પરિણામી છે. જ્યારે તમે આત્માને એકાન્તનિત્ય સ્વીકારો છો તેથી તમારા મતે આત્મા તેવા તેવા પરિણામ વિનાનો છે. તેથી આત્મામાં સુખવગેરેનું પ્રતિબિંબ પડે, તેવી ક્લ્પના યુક્તિ વિનાની છે. ારપા
આવો ઘેષ ઉભો ન થાય, તે હેતુથી આત્માનો તેવો પરિણામ સ્વીકાર્ય છે. સાંખ્યના આ મત અંગે હે છે.
ગાથાર્થ :- પ્રતિબિંબની અન્યથાઅનુપપત્તિ થવાથી આત્માનો અપરાપરસુખાદિપ્રતિબિંબરૂપતાની આપત્તિરૂપ પરિણામ સ્વીકારવામાં આત્મા પરિણામી થવાનો પ્રસંગ છે. વળી, આત્માનો આહ્લાદાદિસ્વભાવ હોવાથી સુખવગેરે આત્માના ધર્મ છે. તે આ પ્રમાણે આત્મા જ્યારે સુખાદિના પ્રતિબિંબાત્મક પરિણામને ધારણ કરે છે, ત્યારે તે આહ્લાદવગેરે સ્વભાવવાળો થાય છે. અને આહ્લાદવગેરે સુખઆરૂપ જ છે. તેથી સુખવગેરે આત્માના ધર્મતરીકે નિર્ણીત થાય છે.
-
મારવા
ધર્મસંગ્રહણિ ભાગ-૧ ટ ૧૫૫