SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ अलंकिया पुहई" । ततश्च न विपर्ययेणापि क्रियायाः फलं संभावनीयं, यथा हिंसादिक्रियाभ्यः शुभं तद्विपरीतक्रियाम्यश्चाशुभमिति । कुत इत्याह--लोकविरोधात्, न ह्येवं लोके कस्यापि प्रतीतिरस्ति यथा भवता विपर्ययेणोच्यते । अथ कदाचित्परो लोकमप्यतिक्रामेत, यथा-न खलु लोको यथा प्रत्येति तथैव वस्त्वपि, किंत्वन्यथापि, यथा गगने श्यामता, ततो हेत्वन्तरमाह--'प्रतीतिबाधातश्च प्रतीतिः-प्रतीतिविषयः, विषयिणो विषयस्योपलक्षणत्वात्, प्रतीयमानोऽर्थ इतियावत्, न हि ज्ञानं स्वरूपेणार्थेन सह विरुध्यते, किंतु विपरीतमर्थमुपस्थापयत्, अत इह प्रतीतिरिति प्रतीतिविषयो व्याख्यातः, तया प्रतीत्या प्रतीतिविषयेण विपरीतेनार्थेन बाधातः । इदमुक्तं भवति--अशुभरूपस्यादृष्टस्य हिंसादिक्रियाजन्यत्वेन प्रतीयमानेन शुभरूपस्य च दानहिंसाविरत्यादिक्रियाजन्यत्वेन तद्विपरीतस्य कल्प्यमानस्यार्थस्य बाधनान्न विपर्ययेण फलं संभावनीयम् । सा च प्रतीतिर्युक्तयागमाभ्याम् । तत्र तावद्युक्तिमुपन्यस्यति- 'थेवसुहिदंसणाओ,' स्तोकसुखिदर्शनात्, यदि हि दानादिक्रियादिभिरशुभरूपमदृष्टं जन्येत हिंसादिक्रियाभिश्च शुभं ततः सुखिबाहुल्यमुपलभ्येत, बहवो हि प्रााणिनो हिंसादिक्रियास्वनवरतं प्रवर्त्तमाना उपलभ्यन्ते क्वचिदेव च दानहिंसाविरत्यादिक्रियासु, तदुक्तम्-"बहवः पापकाणो, विरलाः शुभकारिणः" इति। ततश्च प्रभूतानां प्रभूततरशुभकर्मोपचयसंभवेन सुखबहुलता स्यात्, कतिपयानामेव च दुःखबहुलता, अथ च स्तोकाः सुखिन उपलभ्यन्ते बहवश्च दुःखिताः, ततः स्तोकसुखिदर्शनात् हिंसादिक्रियाजन्यमदृष्टमशुभरूपमितरच्च तद्विपरीतक्रियाजन्यमवसेयम् । ननु चेदं स्तोकसुखिदर्शनमसाधनं, निश्चयाभावात्, न हि ——————————————————————— (ક્તિાફળમાં અવિપર્યાસના કારણો) “પ્રસ્તુતમાં ષિાના ફળમાં વિપર્યય કેમ ન થાય ?" આવી શંકા કરવી નહિ. કેમકે ગાથાર્થ :- વિપર્યયથી ફળ નથી, કેમકે (૧) લોવિરોધ છે (૨) પ્રતીતિબાધ છે, (૩) અલ્પ સુખી દેખાય છે. તથા (૪, જિનાગમ છે. [અહીં પ્રાપ્ત હોવાથી તૃતીયાવિભક્તિના અર્થે સપ્તમીનો પ્રયોગ છે. પાણિનિએ પોતાના પ્રાલક્ષણમાં ક્યું છે “તૃતીયાના અર્થમાં સમી (વપરાય છે)" જેમકે તેનું તેનું અલંક્યિા પુહઇ (તે ત્રણથી પૃથ્વી અલંક્ત છે.)] વિપર્યયથી ક્રિયાના ફળની સંભાવના ન કરવી, જેવી કે “હિંસા આદિક્રિયાથી શુભફળ મળે, અને દાનઆદિથી અશુભફળ મળે.” કેમકે આવી વિપરીત સંભાવના ઘણા (તઓથી બાધ પામે છે. (૧) લોકર્વિરોધ છે, કેમકે આવી વિપર્યયફળની પ્રતીતિ લોકમાં કોઈને થતી નથી. અહીં કોઈ લોકની પરવા ન કરે, અને કહે કે “ભઇ! લોકો જે પ્રમાણે પ્રતીતિ કરે, એ જ પ્રમાણે વસ્તુ હોય, તેવો નિયમ નથી. કેમકે પ્રતીતિથી વિરઇ પણ સંભવે છે, જેમકે લોકો આકાશમાં શ્યામળતા–ભુરારાના દર્શન કરે છે, પણ વાસ્તવમાં આકાશ ભૂરું નથી. તેથી લોકપ્રતીતિવિરોધના નામે સંભાવનાને ઊડાડી દેવાય નહિ.” તેથી વિપરીત સંભાવનાનાં બાધકતરીક બીજો બતાવે છે પ્રતીતિબાધ' છે - પ્રતીતિ પ્રતીતિનો વિષય. કેમકે વિષયી(=જ્ઞાન) પોતાના વિષય(અર્થ)નું ઉપલક્ષણ બને છે. તાત્પર્ય :- પ્રતીતિ પ્રતીત થતો અર્થ. શંકા :- “પ્રતીતિ થી “અર્થનું જ્ઞાન' એવો વાચ્યાર્થ છોડી “જ્ઞાનનો વિષય બનતો અર્થ એવો લક્ષ્યાર્થ કેમ ર્યો ? સમાધાન :- જ્ઞાન સ્વરૂપથી અર્થસાથે વિરોધ ધરાવતું નથી. કેમકે અન્યજ્ઞાનવખતે પણ અન્યઅર્થ સંભવે છે.) પરંતુ વિપરીત અર્થની ઉપસ્થાપના કરતું જ્ઞાન વિરક્ત કહેવાય છે. અર્થાત્ અર્થોના પરસ્પર વિરોધથી જ્ઞાનમાં વિરોધ આવે છે, સ્વરૂપથી નહિ. તેથી અહીં “પ્રતીતિપદથી “પ્રતીતિનો વિષય એવો અર્થ કર્યો. પ્રતીતિથી=પ્રતીતિના વિષય બનતા વિપરીત અર્થથી બાધ છે. સાર :- અશુભઅષ્ટ હિસાઆદિ ક્યિાથી જન્યરૂપે અને શુભઅદષ્ટ દાન, હિસાવિરતિવગેરે ક્રિયાથી જન્યરૂપે પ્રતીત થાય છે. તેથી તેઓ(=પ્રતીત થતા શુભાશુભઅો ) વિપરીતરૂપે કલ્પાતા અર્થના બાધક બને છે. તેથી વિપર્યયથી ફળની સંભાવના કરવી નહિ. આ પ્રતીતિ યુક્તિના અને આગમના બળપર થાય છે. તેમાં પ્રથમ યુક્તિ દર્શાવે છે. 'થેવસૂહિદંસણાઓ સુખીઓ થોડા દેખાય છે. જો, દાનવગેરે યિાઓથી અશુભઅદૃષ્ટ ઉત્પન્ન થતું હોય, અને હિસાવગેરે ક્યિાથી શુભઅષ્ટ જન્મતું હોય, તો, જગતમાં સુખીઓ વધારે દેખાવા જોઇએ, કેમકે, ઘણા જીવો હિસાવગેરેમાં સતત પ્રવૃત્ત થતાં દેખાય છે અને ક્યારેક જ, કેટલાક જ દાન, હિસાવિરતિ વગેરે યિામાં પ્રવૃત્ત થતાં દેખાય છે. %ાં છે કે “પાપકરનારાઓ ઘણા છે. શુભકરનારા વિરલ છે" તેથી ઘણા લોકોને અતિઘણા પ્રમાણમાં શુભકર્મની સંપ્રાપ્તિનો સંભવ થાય, અને ઘણું સુખ પ્રાપ્ત થવું જોઇએ. અને કેટલાકને જ દુ:ખની વૃદ્ધિ થવી જોઈએ. પણ વાસ્તવમાં દેખાય છે વિપરીત. સુખીઓ થોડા છે, દુઃખત્રસ્ત ઘણા છે. તેથી નિશ્ચય થાય છે કે, હિસાવગેરે ક્યિાથી ઉત્પન્ન થતું અદષ્ટ અશુભ છે, અને દાનઆદિક્ષિાથી પ્રાપ્ત થતું અદષ્ટ શુભ છે. રાંકા :- “થોડા સુખી દેખાય છે આ વાત “દાનાદિથી શુભઅદષ્ટ બંધાય' ઇત્યાદિ સિદ્ધાન્તને સિદ્ધ કરવા સાધન બનતું નથી. કેમકે થોડા સુખીના દર્શન માત્રથી આવો નિર્ણય થઈ શકતો નથી. તમને કંઈ સઘળાય દેશ અને કાળને વ્યાપીને રહેલા ભાવોના સ્વભાવનો નિર્ણય કરાવતું દર્શન થયું નથી. તેથી જોકે આ ભરતક્ષેત્રમાં થોડા જ સુખીઓ દેખાય છે, માં પણ અન્યત્ર-ભરતક્ષેત્રથી બહાર ઘણા સુખીઓ સંભવી શકે છે. તેથી તમારો “અલ્પસુખીદર્શન’ હેતુ સંદિગ્ધ અને અસિદ્ધ છે. સમાધાન :- (“તહ જિણચંદાગમાઓ ય અહીં “ચ' શબ્દ વાક્યભેદદ્ધારો અલ્પસુખીદર્શનની સિદ્ધિમાં જિનચન્દ્રના આગમની હેતતા દર્શાવે છે.) જૈનાગમમાં સુખીઓનું પ્રમાણ અલ્પ બતાવ્યું છે. તેથી અલ્પસુખીદર્શન સિદ્ધ જ છે, સંદિગ્ધ નથી. સાર :- દેશ અને કાળથી દૂર રહેલા ભાવોઅંગે આપણા જેવા છદ્મસ્થને પ્રત્યક્ષજ્ઞાનનો ઉદય થતો નથી. અને અનુમાન પ્રાય: પ્રત્યક્ષપૂર્વક હોવાથી અનુમાન પણ થતું નથી. છતાં પણ જિનેશ્વર ભગવાનનું સંપૂર્ણ જ્ઞાનાવરણીયકર્મ નાશ પામ્યું હોવાથી તેઓ સર્વજ્ઞ છે. અને તેમને કેવલજ્ઞાનપ્રત્યક્ષદ્વારા દેશ અને કાળથી દૂર રહેલા ભાવો અંગે પણ પ્રત્યક્ષ બોધ થાય છે. ધર્મસંગ્રહણિ ભાગ-૧ ૪ ૧૨૨
SR No.006033
Book TitleDharm Sangrahani Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1994
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy